________________
ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર
{ ૨૩૫:
અને અંદરોઅંદર લડી, આ સલાહ પ્રમાણે તેમનાં પાંચ યુદ્ધો નક્કી થયાં, જેમાં ચક્ર ને મુષ્ટિ યુદ્ધ જેવાં યુદ્દો તા હિંસક હતાં, પણ સાથે સાથે અહિંસક યુદ્ધ પણ હતાં. એ અહિંસક યુદ્ધમાં દયુિદ્ધ ને નાયુદ્ધ આવે છે. જે જલદી આંખ નીચે કે નમળેા નાદ કરે તે હારે. આ અહિંસક યુદ્ધ સામે કેવું શીખવા જેવું છે! આખા જગતમાં એને પ્રસાર થાય તે જો તે માટે ત્યાગી પ્રયત્ન કરે તે તે દ્વારા જગતનું કેટલું હિત સધાય ! એથી યુદ્ધની તૃષ્ણા શમશે, હારજીત નક્કી થશે અને સવાર થતા અટકશે. પણ બીજા લોકા નહિ તો છેવટે જૈના જ એમ કહેશે કે જગત તે એવું યુદ્ધ સ્વીકારે ખરું ? પણ આ સ્થળે જ જૈન ભાઈ એને પૂછી શકીયે કે જગત તેવું અહિંસક યુદ્ધ ન સ્વીકારે તે નહિ, પરંતુ અહિંસા ને નિવૃત્તિધર્મના ઉપદેશ રાતદિવસ આપનાર ત્યાગીવ, જે સામસામેની છાવણીમાં વહેંચાઇ પોતપેાતાની બાજુએ શ્રાવક લડવૈયાઓને ઊભા કરી અનેક રીતે લડી રહ્યા છે, તે આવા કાઈ અહિં’સક યુદ્ઘના આશ્રય કાં ન લે? જે એ મુખ્ય આચાર્યો કે સાધુઓ વચ્ચે તકરાર હાય તે એ જ દૃષ્ટિ કે મૌન યુથી નહિ તેા તપાયુદ્ધથી હારજીતનો નિણૅય કાં ન કરે ? જે વધારે અને ઉગ્ર તપ કરે તે યા. આથી અહિંસા અને સયમ પાષાવા સાથે જગતમાં આદર્શ સ્થપાશે.
?
આ ઉપરાંત બાહુબળના જીવનમાંથી એક ભારે મહત્ત્વના પદાર્થ પાટે આ પણ જૈતાને શીખવા મળે છે. તે એ કે બાહુબળીએ ભરત ઉપર મુઠ્ઠી મારવા ઉપાડી, પશુ તરત જ વિવક જાગતાં એણે એ મુટ્ઠી અધ્ધરથી જ પાછી વાળો. પાછી વાળીને પણ ખાલી જવા ન દેતાં એ મુઠ્ઠી પોતાના મસ્તક ઉપર,જ ચલાવી. તે એવી રીતે કે તે દ્વારા એણે આત્મધાત ન કર્યો, પણ અભિમાનધાત કર્યો. એણે અહંકારની પ્રતીક જેવી ચોટી ઉખાડી ફેંકી. આ ઘટનામાં કેટલું રહસ્ય ને કેટલા બોધપાઠુ ! ખાસ ફરી ધર્મને નામે લડતા આપણા ફિરકા અને આપણા ગુએ માટે તો બાહુબલીને આ પ્રસંગ પૂરેપૂરા માનિક છે.
બ્રાહ્મો અને સુંદરી
છેવટે આપણે આ બહેન વિશે થાડુંક વિચારી લઈએ. બ્રાહ્મી અને સુંદરી અને પાત્રા કાલ્પનિક હાય કે અકાલ્પનિક, પણ તે જીવનમાં ભારે સ્ફૂર્તિદાયક નીવડે તેવાં છે. એ પ્રાતઃસ્મરણીય બહેનોની બાબતમાં ત્રણ મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચવા ઈચ્છું છું : (૧) આજીવન કુમારત્વ અને બ્રહ્મચર્ય, (૨) ભાઈ ભરતની ઇચ્છાને વશ ન થતાં ઉગ્ર તપપૂર્વક સુંદરીના ગૃહત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org