Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 293
________________ જવાબ :- મનુષ્યગતિમાર્ગણામાં આહારકદ્ધિક અને અપયશ એ ત્રણ પ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવચ્ચે થાય છે. પ્રશ્ન :- (૪૮) કયા દેવોને સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય? અને કયા દેવોને ન હોય ? જવાબ :- કર્મગ્રન્થનાં મતે વૈમાનિકદેવોને જ સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય છે. ભવનપત્યાદિક ત્રણ પ્રકારના દેવોને સમ્યક્ત્વ ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોતો નથી અને સિદ્ધાંતનાં મતે ભવનપતિ વગેરે ચારે પ્રકારના દેવોને સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય છે. પ્રશ્ન :- (૪૯) પર્યાપ્ત એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- પર્યાપ્ત એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૪ [પુવેદ, સ્ત્રીવેદ, સમો, મિશ્રમો વિના]+ તિર્યંચાયુ + નામ-૩૨ [ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, એકે૰જાતિ, ઔદારિકશરીર, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, બાદરત્રિક, યશ, સ્થાવરદ્ધિક, સાધારણ, દુર્ભાગ, અનાદેય, અયશ] + નીચગોત્ર+અંત૦૫= ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * મિથ્યાત્વગુણઠાણે ઓઘની જેમ ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ-૨૬ [૩૨માંથી આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છ્વાસ, સૂક્ષ્મ, સાધારણ વિના] + નીચગોત્ર અંત૦૫ = ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. + પ્રશ્ન :- (૫૦) પર્યાપ્ત વિકલેન્દ્રિયને વિગ્રહગતિમાં નામકર્મની કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? ઉત્પત્તિસ્થાને આવ્યા પછી કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? અને શરીરાદિ-પર્યાપ્તિ પૂર્ણ થયા પછી કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? જવાબ :- પર્યાપ્તવિકલેન્દ્રિયને વિગ્રહગતિમાં નામકર્મની તિર્યંચગતિ, પોતપોતાની જાતિ, તૈજસશરીર, કાર્યણશરીર, વર્ણાદિ-૪, તિર્યંચાનુપૂર્વી, ૨૭૬

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322