Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 294
________________ અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સ્થિર, શુભ, યશ, અસ્થિરત્રિક અને અનાદેયદ્ઘિક... ફુલ-૨૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ઉત્પત્તિસ્થાને આવ્યા પછી ઔદારિકશરીર, ઔદારિકઅંગોપાંગ, હૂંડક, છેવટ્ટુ, ઉપઘાત અને પ્રત્યેકનામકર્મનો ઉદય થાય છે. અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ૨૨માંથી તિર્યંચાનુપૂર્વી બાદ કરીને, ઔદારિકશરીરાદિ-૬ ઉમેરતાં કુલ ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાત અને અશુભવિહાયોગતિ નામકર્મનો ઉદય થાય છે. અને ઉદ્યોતનો ઉદય પણ થઇ શકે છે. એટલે ૨૭ + ૩ = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉચ્છ્વાસનામકર્મનો ઉદય થાય છે. એટલે ૩૦ + ઉચ્છ્વાસ ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દુઃસ્વરનો ઉદય થાય છે અને કેટલાક આચાર્ય મ.સા.નાં મતે સુસ્વરનો ઉદય પણ થાય છે. એટલે ૩૧ + ૨ = ૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = પ્રશ્ન :- (૫૧) સૂક્ષ્મનિગોદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- સૂક્ષ્મનિગોદ માર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે સ્ત્રીવેદ, પુરુષવેદ, સમો, મિશ્રમો, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્ધિક, આહાદ્વિક, ઔવઅં૦, ૬સંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, આતપ, ઉદ્યોત, ત્રસ, બાદર, પ્રત્યેક, સુભગચતુષ્ક, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ ૪૭ વિના જ્ઞા૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૨૮ [તિર્યંચદ્ધિક, એકેજાતિ, ઔદારિકશરીર, ધ્રુવોદયી-૧૨, સ્થાવરચતુષ્ક, પર્યાપ્તા, દુર્ભાગ, અનાદેયદ્ઘિક, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ] + નીચગોત્ર + અંત૦૫ ૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - પ્રશ્ન :- (૫૨) તત્ત્વાર્થમાં કહ્યું છે કે, એક જીવને એકી સાથે વધુમાં વધુ ચાર શરીર હોય છે. તે વખતે ઔદારિકશરીરની સાથે ઉત્તરવૈક્રિયશરીર ૨૭૭

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322