Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન શ્રીમદ્ રાજચંદ્રજીએ “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના ૨૯ વર્ષની વયે સંવત ૧૯૫૨માં કરી હતી. નડિયાદ મુકામે શરતુપૂર્ણિમાને બીજે દિવસે સાંજની વેળાએ શ્રીમદજીએ એકાદ કલાકમાં દોહરા છંદમાં ૧૪ર ગાથાઓમાં આત્મસિદ્ધિશાસ્ત્ર' રચ્યું હતું. આપણા વિદ્વદ્વર્ય પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી આત્મસિદ્ધિશાસ્ત્ર' વિષે લખે છે : “ “આત્મસિદ્ધિ' વાંચતાં અને તેનો અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રીમદ્ રાજચંદ્ર આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય વાણી કે ખેચી અર્થ ન કાઢવો પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.” વળી તેઓશ્રી કહે છે ? “જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ઘર્મગ્રંથ તરીકે “આત્મસિદ્ધિશાસ્ત્ર' કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52