Book Title: Atmanand Prakash Pustak 026 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસ એહુલે કહેવા સુખ તથા શાંતિ. ૨૩૫ સ્વપ્નમાં પણ સુખ અથવા શાંતિ મેળવી શકતો નથી. એ રીતિ જે મનુષ્યની પરિસ્થિતિ સારી હોય છે તે ઘણે ભાગે સુખી અને સંતુષ્ટ રહે છે. પરિસ્થિતિને અર્થ આર્થિક તથા શારીરિક અવસ્થા, સારી ટેવો મિત્રો, સંબંધી, વિદ્યા તથા જ્ઞાન કરવામાં આવે છે. જે મનુષ્યની/પાસે તેની જરૂરીયાત પુરતું યથેષ્ટ ધન હોય છે તે પોતાની નાનો યથેચ્છ પૂર્ણ કરી શકે છે અને પરિણામે સુખી થઈ શકે છે. કદાચ આપણી પાસે આપણું ભેગેચ્છા એને તૃપ્ત કરવા માટે ય છે ધન ન પણ હોય, પણ આપણામાં છે અને સંતોષ હોય * પણ આપણે સુખી રહી શકીએ છીએ. એજ રીતે શારીરિક આરોગ્યતા 4 - સ ૩પર પણ ઘણે અંશે સુખને આધાર રહેલો છે. આપણામાં એક બાલખેવી ? છે કે પહેલું સુખ તે જાતે નર્યા, મનુષ્યની પાસે ખુબ ધનસંપત્તિ હેય, રોગને ચાં પણ હોય, સારા સારા અનેક મિત્રો પણ હોય, પરંતુ તે પોતે હમેશાં સ્ત રહેતા હશે તો તેને સુખી થવામાં ઘણી હરકત ગણાય છે. જે સમયે શરીરમાં જ : તીવ્ર વેદના થતી હોય છે તે સમયે તેને કોઈ પણ પદાર્થથી સુખ મળી શકતું અને નથી. સારી ટેવે સદાચારમાં જ અંતર્ગત થઈ જાય છે, એથી તે પણ sણને સુખી બનાવવામાં કંઈક મદદરૂપ થઈ પડે છે. કોઈ પણ બુદ્ધિમાન પુરૂષ મે કહેવા કે માનવા કદિ પણ તૈયાર નહિ હોય કે ખરાબ ટેવો રાખીને પણ કે મનુષ્ય સુખી અને પ્રસન્ન ચિત્ત રહી શકે છે. સારા મિત્રોથી આપણું કેટલું કલ્યાણ થાય છે અને આપણને કેટલું સુખ મળે છે તે સત્સંગતિના મહત્વવાળા લેખમાં એ બતાવી દેવામાં આવ્યું છે. સારા માણસોને સહવાસ આપણને હંમેશાં સુખી છ દશામાં જ રાખે છે. પરંતુ જો આપણે ખરાબ લોકોની સંગત કરશું તો આપણે ૧' પેતાનો કોઈ અપરાધ હોય કે ન હોય તે પણ કેવળ ખરાબ લોકોની સંગતના અપરાધને કારણે જ આપણે કોઈને કોઈ વિપત્તિમાં ફસાઈ પડવાના અને આપણને ઘણું દુ:ખ ભેગવવું પડવાનું. સુખી બનવા માટે સારા કુટુંબ પરિવારની પણ અત્યંત આવશ્યક્તા રહેલી છે. આ સ્થળે એ કહેવાની જરૂર નથી કે સારા પરિવારવાળા સઘળા લોકો સંસારમાં રહેવા છતાં સ્વર્ગનું સુખ ભોગવે છે અને દુષ્ટ પરિવારવાળા લોકો નરકની યાતનાઓ અહિંયાજ ભોગવે છે. વિદ્યા એ એક એવી વસ્તુ છે કે જે બીજી દશાઓમાં આપણને પ્રસન્ન તથા સુખી રાખે છે એટલું જ નહિ પરંતુ વિપત્તિ તેમજ કષ્ટને સમયે પણ આપણને સુખી રાખે છે. અને જ્ઞાન તે આપણને દુઃખનો અનુભવ જ થવા નથી દેતું. જે આપણે એમ ઈચ્છતા હેઈએ કે સંસારમાં આપણે માટે કયાંય પણ દુ:ખનું નામ નિશાન પણ ન રહેવું જોઈએ, આપણે ચારે તરફ સુખ જ સુખ જોઈએ તે આપણે સઘળાં કાર્યો છેડીને કેવળ જ્ઞાન ઉપાર્જન કરવું જોઈએ. સુખી બનવાનો એના કરતાં બીજો એક પણ ઉપાય સારા નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36