Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિજ્ઞાન, ૧૩૯ પણ તેના ઉપર નિર્ભર હોય છે. ઘણું આંધળા માણસે માત્ર ગંધ ઉપરથી અમુક માણસ ફલાણે છે એમ ચોક્કસ રીતે કહી શકે છે. કન્દ્રિય ઉપરની ત્રણે ઇનિદ્ર કરતા ઘણી જટીલ અને સૂક્ષમ સંચાકામ વાળી છે, ઉપરની ત્રણ ઈન્દ્રિય અને પદાર્થોનો સાક્ષાત સંબંધ થયા પછી જ પિતાના વિષયનું ભાન કરી શકે છે ત્યારે કન્દ્રિયની રચના એવી છે કે તેનો વિષય બનનાર વ્યતિકર ઘણે દુર હોય છતાં હવામાં પ્રગટતા આંદોલન રૂપે કર્ણના ગેલક ઉપર તે અથડાય છે, અને તે માંહેનું અદ્દભુત કૌશલપૂર્ણ યંત્ર તે આદેલનેને બ્રહીને મન આગળ મોકલી આપે છે. આત્માએ બહારની સૃષ્ટિને હેવાલ મેળવવા માટે ખરેખર, આ કાનને એક અતિ વિકર સંચે બનાવ્યો છે. વિજ્ઞાને એમ અનુમાન બાંધ્યું છે કે આ ઈન્દ્રિય એક સેકન્ડમાં ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ આંદલનો ગ્રહણ કરી શકે છે, અને વધારેમાં વધારે એક સેકડમાં ૩૮૦૦૦ આંદોલને ઝીલી શકે છે. ધીમા સ્વર કે અવાજના આંદલને મંદ વેગવાળા હોય છે અને મોટા અવાજના આંદોલને ત્વરિત ગતિવાળા હોય છે. ઘણા પશુએ-ખાસ કરીને ઘેડા-ઘણે દુરથી શબ્દ સાંભળી શકે છે. કેમકે જીવન-સં. ક્ષણ માટે આ શક્તિનો વિકાસ તેમને જરૂર હોય છે. જંગલી શીકારી મનુષ્ય ઘણે દુરના પશુઓનો પગરવ કળી શકે છે. ગવૈયામાં આ શક્તિની ઝીણવટ ઘણી આશ્ચર્યકારક હદે વિકસી હોય છે. વાચક તેની કલ્પના કરી શકે તેમ છે તેથી વિવેચનની આવશ્યકતા નથી. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું કે આ સૂક્ષમતા દુરથી શબ્દો સાંભળી શકવા તેના કરતાં, તદ્દન જુદી જ જાતની છે. અર્થાત તે શક્તિ અવાજના ભેદ પારખવાની અને તેનું વર્ગીકરણ કરવાની હોય છે. મનુષ્યનાં શારીરિક બંધારણમાં ચક્ષુ સર્વથી ઉચ્ચમાં ઉચ્ચ અને અત્યંત જટીલ રચનાવાળી જેવામાં આવે છે. બીજી સર્વ ઈક્તિ કરતાં મન સાથે તે અધિક વ્યવહાર રાખે છે; અર્થાત ચક્ષુ અને મન વયે જાગૃત અવસ્થાના બધા જ કાળમાં સંદેશા ચાલતા જ રહે છે. ઘણે દુર બનતા વ્યતિકરને તે પોતાની કક્ષામાં લાવી તેનું ભાન મનને કરાવી શકે છે. વિશ્વને પ્રત્યેક પદાર્થ અમુક પ્રકારના આં. દોલનની ગતિમાં હોય છે. આ આંદોલન ઉપરના પ્રકાશનાં કારણે ચક્ષુના પ્રદેશ ઉપર અથડાવાથી તે પ્રદેશના જ્ઞાનતંતુઓમાં એક પ્રકારને ક્ષોભ ઉત્પન્ન થાય છે. આ ક્ષેભનો અર્થ મન તેના વિકાસ અનુસાર કરીને તે તે પદાર્થનું બાહ્ય સવરૂપ નક્કી કરે છે. હું અહીથી એક વૃક્ષ જોઉ છું. તેમાં વસ્તુત: હું વૃક્ષને પિતાને સીધી રીતે જેતે નથી. પરંતુ તે વૃક્ષ આંદોલનની જે કળામાં છે તે આંદોલનને વૃક્ષ ઉપરના પ્રકાશનાં કારણે મારા ચક્ષુપ્રદેશની મર્યાદામાં લાવી રજુ કરે છે, અને તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32