Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 31
________________ - > વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા - ૯૦ શ્રદ્ધાઃ-મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો દઢ શ્રદ્ધા ધારણ કરવી અને વધારવી અને જ્ઞાનના ઉદ્યમને કથંચિત ગૌણ કરવો. > શ્રદ્ધાવાનને પરમાર્થની પ્રાપ્તિ થાય છે, સંશય કરનાર નષ્ટ થાય છે. - શ્રીમદ્ ભગવદ્ ગીતા મોક્ષમાર્ગ મુખ્યપણે પ્રયોગરૂપ છે, અને શ્રદ્ધાવાન હોય તે જ પ્રયોગમાં સતત લાગ્યો રહી શકે છે. વારંવાર અભ્યાસ કરવો. (પત્રાંક ૩૬ ૨/૮૧૯) પ્રારંભિક નિષ્ફળતાથી નિરાશ થવું નહીં. આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. - વચનામૃત પત્રાંક - પર૫ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ચારના યુગપપણાથી હોય છે : (૧) શાસ્ત્રજ્ઞાન, (૨) આત્મજ્ઞાન, (૩) તત્ત્વાર્થશ્રદ્ધાનું, (૪) સંયમ આ ચારેયમાં આત્મજ્ઞાનને સાધકતમ કહ્યું છે. - શ્રી પ્રવચનસાર ગાથા-૨૩૮ની ટીકા A A ૨ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40