Book Title: Antarjyoti Part 2
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આંતરતિ દ્વિતીય વિભાગ. પ્રકાશનું વક્તવ્ય શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૧૧૪ મા ગ્રંથ તરીકે તત્વચિન્તનને આ ગ્રંથ તત્વજિજ્ઞાસુઓને કરકમળમાં મૂકતાં અતિ આનંદ થાય છે. આ ગ્રંથના લેખક પરમતત્વચિન્તક શાંતમૂર્તિ સાધુધર્મના સાચા સાધક આચાર્ય શ્રી કાંતિસાગરસૂરિજી છે. જેઓશ્રીએ લખેલ અને મંડળે પ્રકટ કરેલ આંતરતિના પ્રથમ ભાગની પદ્ધતિએ જ અનેક ગ્રંથાના વાંચન અને મનનપૂર્વક કરેલ અવગાહનના ફલસ્વરૂપે આ બીજો ભાગ છે. ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પાસે તેમણે જે જ્ઞાનપ્રસાદી મેળવી છે તે આ ગ્રંથ દ્વારા તેઓએ આપણને આપી છે એમ આ ગ્રંથ વાંચતાં સ્પષ્ટ થાય છે. આ બીજા ભાગમાં આપેલ વસ્તુ તત્ત્વજિજ્ઞાસુ માટે અતિ અમૂલ્ય છે. સેંકડે ગ્રંથના ઢગલામાં બેસી વાંચક જે મેળવી શકે તે આ એક જ ગ્રંથમાં સમાય છે. જાણે જુદાં જુદાં પુષ્પો પર ભમી ભમી મધમાખી મધુ સંચય કરે છે તેમ લેખકે આ આંતરતિ બીજે ભાગ પણ તત્વજ્ઞાનથી સમૃદ્ધ બનાવ્યું છે. જેમાં સગત ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના વિચારોના પ્રતિબિંબ જણાય છે. પ્રથમ ભાગ ૪૮૦ પૃષ્ઠોમાં પૂર્ણ થયા હતા. આ બીજો ભાગ પૃ. ૫૭૫ માં પૂર્ણ થાય છે. તેમાં જ્ઞાનામૃત તે પ્રથમ ભાગ કરતાં યે વધુ સુંદર જણાય છે. પ્રથમ ભાગની માફક આ બીજા ભાગનું લખાણ પણ અમને પ્રકટ કરવા એગ્ય લાગતાં આ મંડળના ઉપપ્રમુખ શ્રીમાન ફત્તેચંદભાઈ ઝવેરભાઈને વાંચવા આપતાં તેઓને પણ તે ઘણું ઉપયોગી અને અનેક શાસ્ત્રના દોહનરૂપ અને જીવનને ઉજ્વળ કરનારું લાગવા સાથે સદ્ગત ગુરુદેવના વિચારો અને વર્તનને અનુરૂપ જણાવ્યું. શ્રી ફતેહચંદભાઈ શાસ્ત્રના ઊંડા અભ્યાસી છે. અવગાહન શક્તિ તીવ્ર છે, અને પક્ષપાત વિના સત્વર ગ્રંથની ઉપયોગિતા કેટલી છે તે વાંચકેતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 585