Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
(૪) દેશી નામમાલા (૫) નિઘંટુ શેષ (૬) લિંગાનુશાસન
આ શબ્દ કે પ્રગટ થઈ ગયેલા છે. જેમાં અનેકાર્થ સંગ્રહુ કેશ મૂલ પ્રગટ થયેલ છે. સને ૧૮૮૮માં જર્મન પ્રે. થિડાર જાચારીએ સંપાદન કરીને પ્રગટ કરેલ પરંતુ પુસ્તક પ્રાયઃ અપૂર્ણ અને ઘણી જગ્યાએ અપૂર્ણ અશુધ્ધ પાઠવાળું છે.
સને ૧૮૯૬ માં શ્રી નિર્ણયસાગર પ્રેસ તરફથી પંડિતવર્ય શ્રી શિવદત્ત અને પં. શ્રી કાશીનાથ પાંડુરંગ પરબ દ્વારા સંપાદન કરાવીને પ્રગટ કરવામાં આવેલ છે.
વિ. સં. ૧૯૮૫ સને ૧૯૨૯માં ચૌખમ્મ સંસ્કૃત સિરીઝ (બનારસ) તરફથી પં. શ્રી જનાર્દન તારાદત્તિ અને ૫. શ્રી ધનાનંદ પાંડેય દ્વારા સંપાદન કરાવીને પ્રગટ થયેલ છે. એમણે રસથી સંશોધન કર્યું છે પરંતુ પૂર્ણ પ્રત ન મળવાથી તેમજ જર્મનનું સંપાદિત પુસ્તક તેમને મળ્યું પણ તે અશુદ્ધ હોવાથી કાર્યમાં ઘણી પ્રતિકૂળતા રહી અને પછી બીજા કેશ મેળવી તેના પાઠ મેળવીને સંપાદન કર્યું છે તેમની પાસે નિર્ણયસાગરનું પુસ્તક પ્રગટ થયેલ છતાં સંશોધન વખતે ઉપલબ્ધ થયું નથી. આમ ઘણી મહેનત છતાં કામમાં ખામી રહી ગઈ છે. આ વિદ્વાને વિશ્વપ્રકાશ, મેદિની (ત્રિકાંડશેષ) શાશ્વત, મંખ, વૈજયન્તી, હારાવલી વગેરે શબ્દકેનાં સંપાદક છે.
અનેકાર્થ સંગ્રહ મૂલમાત્ર આ ગ્રંથમાં છપાયેલ છે જર્મન પુસ્તકમાં ક્યાંક ટીપ્પણીઓ છે બાકી અનેકાર્થ સંગ્રહની ટીકા છપાયેલ નથી.
આ અનેકાર્થ સંગ્રહ ટીકા સહિત પ્રગટ થાય છે એની નકલ ખંભાત, પાટણ, અમદાવાદ અને અમારા હસ્તલિખિત ગ્રંથના