Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 14
________________ શ્રી આર્ય રક્ષિતરિ ચને વર્ણવતાં કહે છે કે બરાબર એ જ વખતે ત્રણ વખત આકાશ–વાણી થઈ કે આ વિધિમાગ સિદ્ધાન્તાક્ત, શાસ્ત્રોક્ત અને સર્વોક્ત હેવાથી તેમાં કોઈએ લેશમાત્ર પણ સંદેહ ન કરો ! માનવમહેરામણના જયઘોષ સાથે આ રીતે વિ. સં. ૧૧૬૯ માં વિધિપાગચ્છની પ્રકટરૂપે સ્થાપના થઈ. આર્ય. રક્ષિતસૂરિ આ ગચ્છના પ્રસ્તતા અને પ્રવર્તાક બન્યા. ચૈત્યવાસના અંધકારને દૂર કરનાર પ્રદીપ તરીકે આ અભિનવ ગચ્છ લોકહૈયામાં અપૂર્વ આદર પામ્યું. તેના ઉદયથી પૂર્ણિમાગછના પ્રમુખ આચાર્યો, જેમાં શીલગુણસૂરિ દેવભદ્રસૂરિ વગેરે મુખ્ય છે, તેઓ પોતાના શિષ્યો સહિત તેમાં સ્વેચ્છાએ જોડાયા. તેમને આ ગ૭ પૂર્ણિમાગછની સંશોધિત આવૃત્તિ જે લાગ્યા. શંખેશ્વરગ૨છ, નાણાવાલગચછ, ભિન્નમાલગચ્છ, વલ્લભીગચ્છ ઈત્યાદિએ પણ તેની સામાચારીને સ્વીકાર કર્યો. પૂર્ણિમાગચ્છ, સાર્ધ પૂર્ણિમાગચ્છ અને આગમગએ વિધિ પક્ષગચ્છની કેટલીક મહત્ત્વપૂર્ણ સામાચારીને પિતાની સ્વીકૃતિ આપી. આ રીતે આગમ–પ્રણીત સિદ્ધાંતોને જીવનમાં પરિણિત કરવાના માધ્યમ તરીકે વિધિપક્ષગચ્છે સર્વત્ર લેક–ચાહના પ્રાપ્ત કરી અને અનેક તેમાં હોંશે હોંશે જોડાયા. આ ગચ્છની કેટલીક માન્યતાઓ વિશે જણાવવું પ્રસ્તુત છેઃ મુનિ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા ન કરે. દીપક, ફળ, બીજ તથા બલિપૂજા ન કરવી. તંડુલ કે પત્રપૂજા કરી શકાય, શ્રાવક વસ્ત્રાંચલથી ક્રિયા કરે. પૌષધ પર્વ દિને કરે. સામાયિક સવાર-સાંજ એમ બે ટાણે બે ઘડીનું કરે. ઉપધાનમાલારોપણ કરવાં નહિ. ત્રણ થાય કહેવી. મુનિને વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 406