Book Title: Anchalgacchana Jyotirdharo Author(s): Parshwa Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan MandirPage 15
________________ ૧૦ ] અંચલગચ્છ-પ્રવર્તક એક ખમાસમણથી કરી શકાય. સ્ત્રીઓએ મુનિને ઊભે ઊભે જ વાંચવું. કલ્યાણક ન માનવા નત્થણમાં દીવે, તાણું, સરણ, ગઈ, પછઠ્ઠા ઈત્યાદિ પાઠો ન કહેવા. નવકારમંત્રમાં “હોઈ મંગલં” કહેવું. મારી પાખી પૂનમે કરવી. સંવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિવસે કરવી, અને અભિવર્ધિત વર્ષમાં વીસમે દિવસે કરવી. અધિક માસ પષ કે આષાઢમાં જ થાય. આર્ય રક્ષિતસૂરિના સમકાલીન ખરતરગચ્છીય જિનવદભસૂરિ પણ સમર્થ આચાર્ય થઈ ગયા. તેમણે પણ ચૈત્ય વાસીઓ સામે પ્રચંડ ઝુંબેશ ચલાવી હતી. તેમણે ચ ડિકાદેવીની સાધના કરી હતી. તેમની પરંપરામાં જિનદત્તસૂરિએ અજમેરમાં શ્રી પાર્શ્વનાથ-જિનાલયમાં શીતળા વગેરે દેવીએ સ્થાપી. વિધિ પક્ષગણે આવી સામાચારીનો ઉગ્ર વિરોધ કરેલ. આ પરથી દેવીઓ સંબંધમાં આ ગચ્છની માન્યતા કેવી હશે તેને સહેજે ખ્યાલ મળી રહેશે. આજે મૂળ પરંપરાનાં દર્શન થવા દુર્લભ છે. ત્યવાસીઓના પ્રભાવને ભૂંસી નાખવાના ઉદ્દેશથી વર્તમાન ત્રણે ગો-ખરતરગચ્છ, અંચલગચ્છ અને તપાગચ્છનો ઉદય થયા હોઈને તેમની મુખ્ય માન્યતાઓ એક સરખી જ રહી. ખાસ કરીને તીર્થકરેએ પ્રરૂપેલા મૂળ સિદ્ધાન્ત કે નવતર, પંચાસ્તિકાય ઈત્યાદિ ત અંગેની તેમની માન્યતા સમાન રહી. મતભેદો માત્ર સામાચારી વિષયક જ હતા. સમય જતાં આ ભેદેએ એમના વચ્ચે કટુતાનાં બીજ રોપ્યાં પરિણામે તેમના પ્રાદુર્ભાવ કાળે જે ગચ્છ–ઐક્ય જોવા મળેલું તે કદિયે જોવા ન મળ્યું. નૂતન ગચ્છ-સૃષ્ટિની આ એક કમનસીબી ગણાવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 406