Book Title: Agam 30B Chandravedhyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
11211-34
૨૧૫
ગુરૂ વચનનું પાલન કરતાં નથી. તેઓ અનંત સંસારી બને છે.
[૩૬] અહીં ગણાવ્યા તે અને બીજા પણ ઘણાં ગુણો આચાર્ય ભગવંતોના હોવાથી, તેની સંખ્યાનું પ્રમાણ થઈ શકે એમ નથી. હવે હું શિષ્યના વિશિષ્ટ ગુણોને
સંક્ષેપમાં કહીશ
-
[39] જે હંમશાં નમવૃત્તિવાળો, વિનીત, મદ રહિત, ગુણને જાણનારો, સજ્જન અને આચાર્ય ભગવંતના આશયને સમજનારો હોય છે. તે શિષ્યની પ્રશંસા પંડિત
પુરુષો કરે છે. [અર્થાત્ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે.]
[૩૮] શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા - અનુકૂળતા વગેરેને ખમી ખાનાર - સહેનાર શિષ્યને કુશળ પુરુષો પ્રશંસે છે.
[૩૯] લાભ કે અલાભના પ્રસંગમાં ૫મ જેના મુખનો ભાવ બદલાતો નથી અર્થાત્ હર્ષ કે ખેદયુક્ત બનતો નથી. તેમજ જે અલ્પ ઈચ્ચાવાળો અને સદા સંતુષ્ટ હોય છે. તેવા શિષ્યની પંડિત પુરુષો પ્રશંસા કરે છે.
[૪૦] જે છ પ્રકારના વિનયની વિધિને જાણનારો તથા આત્મિક હિતની રુચિવાળા હોય છે. એવો વિનીત તથા ઋદ્ધિ આદિ ગારવથી રહિત શિષ્યને ગીતાર્થો પ્રશંસે છે.
[૪૧] આચાર્ય આદિ દશ પ્રકારની વૈયાવચ્ચ કરવામાં સદા ઉધત, વાચનાદિ સ્વાધ્યાયમાં નિત્ય પ્રયત્નશીલ તથા સામાયિક આદિ સર્વ આવશ્યકમાં ઉધત શિષ્યની
જ્ઞાની પુરુષો પ્રશંસા કરે છે.
[૪૨] આચાર્ય ભગવંતનો ગુણાનુવાદ કરનાર, ગચ્છવાસી ગુરુ અને શાસનની કીર્તિને વધારનાર અને નિર્મળ પ્રજ્ઞા વડે પોતાના ધ્યેય પ્રત્યે અત્યંત જાગરુક શિષ્યને મહર્ષિજનો વખાણે છે.
[૪૩] હે મુમુક્ષુ મુનિ ! સર્વ પ્રથમ સર્વ પ્રકારના માનને હણીને શિક્ષા પ્રાપ્ત કર. ખરેખર ! સુવિનિત શિષ્યના જ બીજા આત્માઓ શિષ્ય બને છે. અશિષ્યના શિષ્ય કોઈ ન બને.
[૪૪] સુવિનિત શિષ્યે આચાર્ય ભગવંતના અતિશય કટુક-રોષભર્યા કે પ્રેમભર્યા
વચનોને સારી રીતે સહેવા.
[૪૫ થી ૪૮] હવે શિષ્યની પરીક્ષા માટે તેમા કેટલાંક વિશિષ્ટ લક્ષણો અને ગુણો બતાવે છે –
જે પુરુષ ઉત્તમ જાતિ, કુળ, રૂપ, યૌવન, બળ, વીર્ય, પરાક્રમ, સમતા અને સત્વગુણથી યુક્ત હોય, મધુરભાષી, કોઈની ચાડી ચુગલી ન કરનારો, અશઠ, નગ્ન અને અલોભી હોય તથા અખંડ હાથ અને પગવાળો, ઓછા રોમવાળો, સ્નિગ્ધ અને પુષ્ટ દેહવાળો, ગંભીર, ઉન્નત નાસિકાવાળો, ઉદાર દૃષ્ટિ અને વિશાળ નેત્રવાળો હોય. જિનશાસનનો અનુરાગી - પક્ષપાતી, ગુરુજનોના મુખ તરફ જોનારો, ધીર, શ્રદ્ધાગુણથી પૂર્ણ, વિકાર રહિત, વિનય પ્રધાન જીવન જીવનારો હોય.
ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
કાળ, દેશ અને સમય-પ્રસંગને ઓળખનારો, શીલરૂપ અને વિનયને જાણનારો, લોભ-ભય-મોહથી રહિત, નિદ્રા અને પરીષહને જીતનારો હોય.
તેને કુશળ પુરુષો યોગ્ય શિષ્ય કહે છે.
[૪૯] કોઈ પુરુષ કદાચ શ્રુતજ્ઞાનમાં કુશલ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં જો તે અવિનીત અને ગૌરવયુક્ત હોય તો શ્રુતધર મહર્ષિ તેમને
પ્રશંસતા નથી.
૨૧૬
[૫૦,૫૧] પવિત્ર, અનુરાગી, સદા વિનયના આચારોને આચરનાર, સરળ હૃદયવાળા, પ્રવચનની શોભાને વધારનાર અને ધીર એવા શિષ્યને આગમની વાચના આપવી જોઈએ.
ઉક્ત વિનયાદિ ગુણથી હીન અને બીજા નયાદિ સેંકડો ગુણથી યુક્ત એવા પુત્રને પણ હિતૈષી પંડિત શાસ્ત્ર વાચના કરાવતો નથી, તો સર્વથા ગુણહીન શિષ્યને
શાસ્ત્રજ્ઞાન કેમ કરાવાય ?
[૫૨,૫૩] નિપુણ-સૂક્ષ્મ અર્થવાળા શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવેલી આ શિષ્ય પરીક્ષા સંક્ષેપમાં કહી છે,
પારલૌકિક હિતના કામી ગુરુએ શિષ્યની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. શિષ્યોના ગુણોની કીર્તના મેં સંક્ષેપમાં વર્ણવી છે, હવે વિનયના નિગ્રહ ગુણોને કહીશ, તે તમે સાવધાન ચિત્તવાળા બનીને સાંભળો.
[૫૪] વિનય મોક્ષનું દ્વાર છે, વિનયને કદી મૂકવો નહીં, કારણ કે અલ્પશ્રુતનો અભ્યાસી પુરુષ પણ વિનય વડે સર્વે કર્મોને ખપાવી દે છે.
[૫૫] જે પુરુષ વિનય વડે અવિનયને જીતી લે છે, શીલ-સદાચાર વડે નિઃશીલત્વ-દુરાચારને જીતી લે છે, અપાપ-ધર્મ વડે પાપને જીતી લે છે.
તે ત્રણે લોકને જીતી લે છે.
[૫૬,૫૭] મુનિ શ્રુતજ્ઞાનમાં નિપુણ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં અવિનીત અને ગૌરવયુક્ત હોય તો શ્રુતધર તેની પ્રશંસા કરતાં નથી. બહુશ્રુત પુરુષ પણ ગુણહીન, વિનયહીન, ચાત્રિ યોગોમાં શિથિલ બનેલો હોય તો ગીતાર્થ પુરુષ તેને અલ્પ શ્રુતવાળો માને છે.
[૫૮] જે તપ, નિયમ, શીલથી યુક્ત હોય, જ્ઞાન-દર્શન અને યાત્રિ યોગમાં સદા ઉધત-તત્પર હોય તે અલ્પશ્રુતવાળો હોય તો પણ જ્ઞાની પુરુષો તેને બહુશ્રુતનું સ્થાન અર્થાત્ માન આપે છે.
[૫૯] સમ્યક્ત્વમાં જ્ઞાન સમાયેલું છે, ચાત્રિમાં જ્ઞાન અને દર્શન "બનેનો સમાવેશ થયેલો છે, ક્ષમાના બળ વડે તપ અને વિનય વડે વિશિષ્ટ પ્રકારના નિયમો સફળ બને.
[૬૦] મોક્ષફળને આપનાર વિનય જેનામાં નથી, તેના વિશિષ્ટ પ્રકારના તપો, વિશિષ્ટ કોટીના નિયમો અને બીજા પણ અનેક ગુણો નિરર્થક બને છે.
[૬૧] અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ કર્મભૂમિઓમાં મોક્ષમાર્ગની