Book Title: Agam 30B Chandravedhyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ગાથા-૯૧ સમય ખપાવે છે, પણ સ્વાધ્યાયથી ઘણાં ભવોના સંચિત કર્મ ક્ષણવારમાં ખપી જાય છે. [૨] તિર્યંચ, સુર, અસુર, મનુષ્ય, કિન્નર, મહોરગ અને ગંધર્વ સહિત સર્વ છાસ્થ જીવો કેવલી ભગવંતને પૂછે છે. એટલે કે લોકમાં છાસ્ય જીવોને પોતાની જિજ્ઞાસાના સમાધાન માટે પૂછવા યોગ્ય સ્થાન એક માત્ર કેવલજ્ઞાની છે. [૯૩,૯૪] જે કોઈ એક પદના શ્રવણ-ચિંતનથી મનુષ્ય સતત વૈરાગ્યને પામે છે. ૨૧૯ – તે એક પદ સમ્યગ્ જ્ઞાન છે. કારણ કે જેનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, તે જ તેનું સાચું જ્ઞાન છે [તેમ જાણ] વીતરાગ પરમાત્માના માર્ગમાં જે એક પણ પદ વડે મનુષ્ય તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય, તે પદ મરણ સુધી પણ મૂકવું ન જોઈએ. [૫] જિનશાસનમાં જે કોઈ એક પદના ધારણથી જેને સંવેગ પ્રાપ્ત થાય છે, તે જ એક પદના આલંબનથી અનુક્રમે અધ્યાત્મયોગની આરાધના દ્વારા વિશિષ્ટ ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા સમગ્ર મોહજાળને ભેદી નાંખે છે. [૯૬,૯૭] મરણ સમયે સમગ્ર દ્વાદશાંગીનું ચિંતન થવું એ અત્યંત સમર્થ ચિત્તવાળા મુનિથી પણ શક્ય નથી. તેથી તે દેશ-કાળમાં એક પણ પદનું ચિંતન આરાધનામાં ઉપયુક્ત થઈને જે કરે છે, તે જીવને જિનેશ્વર પમરાત્માએ આરાધક કહ્યો છે. [૮] સુવિહિત મુનિ આરાધનામાં એકાગ્ર બની સમાધિપૂર્વક કાળ કરી, ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં અવશ્ય મોક્ષ પામે છે, અર્થાત્ નિર્વાણને પામે છે. [] આ રીતે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ગુણો - મહાન લાભો સંક્ષેપથી મેં વર્ણવેલાં છે. હવે ચાસ્ત્રિના વિશિષ્ટ ગુણો તમે એકાગ્ર ચિત્તવાળા બનીને સૌ સાંભળો. [૧૦૦] જિનેશ્વર પરમાત્માએ કહેલાં ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવા માટે જેઓ સવ પ્રકારે ગૃહપાશના બંધનથી સર્વથા મુક્ત થાય છે, તેઓ ધન્ય છે. [૧૦૧] વિશુદ્ધ ભાવ વડે એકાગ્ર ચિત્તવાળા બનીને જે પુરુષો જિન વચનનું પાલન કરે છે, તે ગુણ સમૃદ્ધ મુનિ મરણ સમય પ્રાપ્ત થવા છતાં સ્હેજ પણ વિષાદને અથવા ગ્લાનિને અનુભવતા નથી. [૧૦૨] દુઃખ માત્રથી મુક્ત કરનાર એવા મોક્ષમાર્ગમાં જેઓએ પોતાના આત્માને સ્થિર કર્યો નથી, તેઓ દુર્લભ એવા શ્રમણપણાને પામીને પણ સીદાય છે. [૧૦૩] જેઓ દૃઢ પ્રજ્ઞાવાળા, ભાવથી એકાગ્ર ચિત્તવાળા બની પારલૌકિ હિતની ગવેષણા કરે છે, તે મનુષ્યો સર્વે પણ દુઃખનો પાર પામે છે. [૧૦૪] સંયમમાં પ્રમત્ત બની જે પુરુષ ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને દુગંછાને ખપાવી દે છે, તેઓ પરમ સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ [૧૦૫] અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને પણ જે મનુષ્ય તેની વિરાધના કરે છે, જન્મને સાર્થક બનાવતો નથી, તે વહાણ ભાંગી પડવાથી દુઃખી થતાં વહાણવટીની જેમ પાછળથી અત્યંત દુઃખી થાય છે. [૧૦૬] દુર્લભતર શ્રમણ ધર્મને ખામીને જે પુરુષો-મન, વચન, કાયાના યોગથી ૨૨૦ તેની વિરાધના કરતા નથી. તેઓ દરિયામાં વહાણ મેળવનાર નાવિકની જેમ પાછળથી શોકને પ્રાપ્ત કરતાં નથી. [૧૦૭] પહેલાં તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. મનુષ્ય જન્મમાં બોધિ પ્રાપ્તિ દુર્લભ છે. બોધિ મળે તો પણ શ્રમણપણું અતિદુર્લભ છે. [૧૦૮] શ્રમણપણું મળવા છતાં શાસ્ત્રોનું રહસ્યજ્ઞાન મળવું ઘણું જ દુર્લભ છે. જ્ઞાનનું રહસ્ય સમજવા છતાં ચાસ્ત્રિની વિશુદ્ધિ થવી તેનાથી પણ દુર્લભ છે. તેથી જ જ્ઞાની પુરુષો આલોચનાદિ કરવા દ્વારા ચાસ્ત્રિની વિશુદ્ધિ માટે સતત ઉધમશીલ રહે છે. [૧૦૯] કેટલાંક પુરુષો સમ્યક્ત્વ ગુણની નિયમા પ્રશંસા કરે છે. કેટલાંક પુરુષો ચાસ્ત્રિની શુદ્ધિને વખાણે છે. તો વળી કેટલાંક પુરુષો સમ્યજ્ઞાનને વખાણે છે. [૧૧૦ થી ૧૧૨] સમ્યકત્વ અને ચાસ્ત્રિ બંને ગુણો સાથે પ્રાપ્ત થતાં હોય તો બુદ્ધિશાળી પુરુષે તે બંને ગુણોમાંથી પહેલાં કયો ગુણ પ્રાપ્ત કરવો જોઈએ ? ચાસ્ત્રિ વિના પણ સમ્યકત્વ હોય. જેમ કૃષ્ણ અને શ્રેણિક મહારાજાને અવિરતિપણામાં પણ સમ્યક્ત્વ હતું. પરંતુ જેઓ ચાસ્ત્રિવાન્ છે, તેઓને સમ્યક્ત્વ હોય જ. ચાસ્ત્રિથી ભ્રષ્ટ થયેલાએ શ્રેષ્ઠતર સમ્યકત્વને અવશ્ય ધારણ કરી રાખવું જોઈએ. – કેમકે દ્રવ્ય ચાસ્ત્રિને નહીં પામેલાં પણ સિદ્ધ બની શકે છે. પરંતુ દર્શનગુણ રહિત જીવો સિદ્ધ થઈ શકતાં નથી. [૧૧૩] ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનારા પણ કોઈક મિથ્યાત્વના યોગે સંયમ શ્રેણીથી પડી જાય છે. તો સરાગ ધર્મમાં વર્તાતા સમ્યગ્દષ્ટિ તેમાંથી પતિત થઈ જાય એમાં શી નવાઈ ? [૧૧૪] જે મુનિની બુદ્ધિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે યુક્ત છે અને જે રાગ-દ્વેષ કરતાં નથી, તેનું ચાતિર્ શુદ્ધ બને છે. [૧૧૫] તે ચાસ્ત્રિની શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિના પાલન કાર્યમાં પ્રયત્નપૂર્વક ઉધમ કરો. તેમજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચાસ્ત્રિ એ ત્રણેની સાધનામાં લેશમાત્ર પણ પ્રમાદ ન કરો. [૧૧૬] આ રીતે ચારિત્ર ધર્મના ગુણો - મહાન્ લાભોને મેં ટૂંકમાં વર્ણવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24