Book Title: Agam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂત્ર-૧૬
૧૧૧
૧૧૨
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
પ્રસવ થાય. જઘન્યથી અંતર્મુહૂર્વ ભવ સ્થિતિ છે. હવે ગર્ભમાં ઉત્પન્ન જીવ શેનો આહાર કરે ?
• સૂત્ર-૧૭ થી ૧૯ -
નિશ્ચયથી જીવ માતા-પિતાના સંયોગમાં ગભમાં ઉપજે છે. તે પહેલા માતાની રજ અને પિતાના શુક્રના કલુષ અને કિબિષનો આહાર કરી રહે છે. પહેલાં સપ્તાહમાં જીવ તરલ પદાર્થ રૂપે, બીજે સપ્તાહે દહીં જેવો જામેલો, પછી લસીની પેશી જેવો, પછી ઠોસ થઈ જાય છે. પહેલા મહિને ફૂલેલા માંસ જેવો, બીજ મહિને માંસપિંડ જેવો ઘનીભૂત હોય છે. ત્રીજે મહિને માતાને ઈચ્છા ઉત્પન્ન કરાવે છે, ચોથે મહિને માતાના સ્તન આદિને પુષ્ટ કરે છે. પાંચમે મહિને હાથ-પગ-માથું એ પાંચ અંગો તૈયાર થાય છે. કે મહિને પિત્ત અને લોહીનું નિમણિ થાય છે. તેમજ અન્ય અંગોપાંગ બને છે.
સાતમે મહિને 30o શિરા, ૫oo માંસપેશી, નવ ધમની, માથા તથા દાઢી સિવાયના વાળોના ૯૯ લાખ રોમછિદ્રો બને છે. માથા અને દાઢીના વાળ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપ ઉત્પન્ન થાય. આઠમે મહિને પ્રાયઃ પૂર્ણ થાય.
• વિવેચન-૧૭ થી ૧૯ :
આ જીવ નિશ્ચિત માતાપિતાના સંયોગમાં - માતાનું ઓજ-લોહી, પિતાનું શુક, તેમાં પ્રથમ તૈજસ-કામણ શરીરો વડે ગર્ભપણે ઉત્પન્ન થાય. કેવો આહાર કરે ? શુક અને લોહીનો. મલિન અને બુર. પછી કયા ક્રમે શરીરની નિષ્પત્તિ થાય ? સાત અહોરાત્ર સુધી શુક અને લોહીનો સમુદાય માત્ર કલલ થાય. પછી સાત અહોરાત્ર તે જ શુક અને લોહી કંઈક કઠણ થાય. પછી માંસખંડરૂપ થાય આદિ. * * *
બીજ માસમાં માંસપેશી ધન રસ્વરૂપ થાય અર્થાત્ સમચતુરા માંસખંડ થાય છે, બીજા માસે માતાને દોહદ જન્મે ચોથે મારે માતાના અંગોને પુષ્ટ કરે. પાંચમે માસે બે હાથ, બે પગ અને મસ્તક રૂ૫ પાંચને નિપાદિત કરે ચે. છઠ્ઠા માસે પીત અને શોણિતને પુષ્ટ કરે છે. સાતમે માસે રૂoo શિરા, ૫oo પેશી, નવ નાડી, ૯ લાખ રોમકા - રોમછિદ્રો, ૯૯ લાખમાં કેશ અને શ્મશ્ન વિના, તેમાં 1 - માથાના વાળ, શ્મણૂ-દાઢી મુંછના વાળ ઈત્યાદિ સૂત્રાર્થવત.
અહીં ઈન્દ્રભૂતિ લોકોપકારને માટે ઐશલેય સર્વજ્ઞને સર્વે જીવોને દયાના એક રસથી પ્રશ્ન કરે છે –
• સૂત્ર-૨૦ -
ભગવાન ! ગર્ભગત જીવને શું મળ, મૂત્ર, કફ, ગ્લેમ, વમન, પિત્ત, વીર્ય કે લોહી હોય છે ? ના, તેમ ન હોય. ભગવન! કયા કારણથી આપ આમ કહો છો ? ગૌતમ ગર્ભસ્થ જીવ માતાના શરીરમાં જે આહાર કરે છે, તેને શ્રોત્ર, ચક્ષ, ધાણ, સન અને સ્પન ઈન્દ્રિય રૂપે, હાડકાં, મજા, કેશ, દાઢી, મુંછ, રોમ, નખરૂપે પરિણમાવે છે. તેથી એમ કહ્યું કે ગભસ્થજીવને મળ ચાવતું લોહી હોતું નથી.
• વિવેચન-૨૦ -
ભગવન્! જીવને ગર્ભત્વ પ્રાપ્ત થયા પછી શું આ વર્તે છે કે – વિઠા, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત, વીર્ય, લોહી હોય? આ વીર્ય અને લોહી બંને પદ ભગવતીજી આદિ સૂત્રોમાં દેખાતા નથી. આગમજ્ઞોએ તે વિચારવું. ના, આ અનંતર કહેલ પ્રત્યક્ષ ભાવ હોતા નથી.
ગૌતમસ્વામીએ પૂછ્યું - કયા કારણે ભગવન્! એમ કહ્યું કે - ગર્ભગત જીવને વિષ્ઠા ચાવતું લોહી ન હોય ?
ભગવંતે કહ્યું - હે ગૌતમાં જીવ ગર્ભમાં રહેલ હોય ત્યારે જે આહાર કરે, તે આહાર શ્રોમાદિ ઈન્દ્રિયપણે પુષ્ટિ ભાવને લાવે છે. ઈન્દ્રિયો બે ભેદે – પુદ્ગલરૂપ દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ-ઉપયોગરૂપ ભાવેન્દ્રિય. વળી નિવૃત્તિ - ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. તેમાં નિવૃત્તિ બે ભેદે - અંતર અને બહાર. તેમાં મંત: - મધ્યમાં, ચક્ષથી ન દેખાય, પણ કેવલી દેટ કદંબ કુસુમાકાર દેહ અવયવ રૂપ કંઈક નિવૃતિ હોય, જે શબ્દ ગ્રહણના ઉપકામાં વર્તે છે. ચક્ષુ ઈન્દ્રિય મળે કેવલિ ગમ્ય ધાન્ય મસૂરાકાર દેહ અવયવ ૫ કંઈક નિવૃતિ હોય, જે રૂ૫ ગ્રહણના ઉપકારમાં વર્તે છે. ઈત્યાદિ • * *
બહિનિવૃત્તિ - બધાં શ્રોત્રાદિ કર્ણશકુલિકાદિક દેખાય છે, તે જ માનવા. ઉપકરણેન્દ્રિય, તે જ કદંબ ગોલક આકાણદિના ખગની છેદન શક્તિ માફક કે જવલનની દહન શક્તિ માફક જે પોત-પોતાની વિષય ગ્રહણ શક્તિ, તે સ્વરૂપે જાણવું. તથા જ્ઞાનાવરણકર્મ ક્ષયોપશમથી જીવની શબ્દાદિ ગ્રહણ શક્તિરૂપ લબ્દિmભાવેન્દ્રિય જે શબ્દાદિના જ ગ્રહણ પરિણામ લક્ષણ, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. તેમાં જેટલી બેન્દ્રિયો, તે જીવોની ઈન્દ્રિય પતિ હોવાથી થાય છે. જેટલી ભાવેન્દ્રિયો તે સંસારીને સર્વાવસ્થામાં હોય છે.
આંખનો વિષય, પ્રકાશક વસ્તુ પર્વતાદિ આશ્રીને ભાંગુલથી સાતિક લાખ યોજન, પ્રકાશકમાં સૂર્ય-ચંદ્ર આદિમાં અધિક પણ વિષય પરિમાણ થાય છે. • X* X- જઘન્ય થકી અતિ નીકટ જોમલ આદિના અણહણવી અંગુલના અસંખ્યાત ભાગથી આગળ સ્થિત વસ્તુ ચક્ષનો વિષય છે શ્રોત્રનો ઉત્કૃષ્ટ વિષય ૧૨-યોજન, ઘાણ-રસ-સ્પર્શનનો ઉત્કૃષ્ટ વિષય નવ યોજન છે. જઘન્યથી ચારેમાં ગુલના અસંખ્યાત ભાગથી આવેલ ગંધાદિ વિષય છે.
મનને તો કેવળજ્ઞાન જ સમસ્ત મૂર્ત-અમૂર્ત વસ્તુ વિષયપણાથી, ફોગથી વિષયપ્રમાણ નથી, કેમકે મનથી અપાયકારીપણે છે. અહીં વિષયરમાણ ઈન્દ્રિયવિચારમાં આમાંગલથી જ જાણવું તથા હાડકાં, હાડકાં મધ્યનો અવયવ, મસ્તકના વાળ, દાઢી-મૂછના વાળ, બગલ આદિના વાળ રૂપે પરિણમે છે. આ કારણથી હે ગૌતમ ! પૂવોંકત પ્રક"થી કહ્યું કે ગર્ભગતજીવને વિઠા યાવતું લોહી ન હોય.
ફરી ગૌતમ જ્ઞાતનંદનને પૂછે છે – • સૂત્ર-૨૧ - ભગવાન ! ગગત જીવ મુખેથી કવલ આહાર કરવા સમર્થ છે ? ગૌતમ!