Book Title: Agam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂ-૬૪
૧ર૩
૧૨૮
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
તુરંતનો ઉગેલ સુસ્નિગ્ધ સંપૂર્ણ ચંદ્ર, તેના અદ્ધવત્ સંસ્થિત લલાટ-ભાલ જેને છે તેવા, ચંદ્રની જેમ પ્રતિપૂર્ણ સૌમ્ય વદનવાળા, છગાકાર ઉત્તમાંગ દેશવાળા, લોહ મગરની જેમ નિબિડ અથવા અતિશય નિશ્ચિત સુબદ્ધ સ્નાયુ વડે મહાલક્ષણા શિખર સહિતના ભવનતુલ્ય નિરુપમપિડિક સમાન વલપણાથી શિરો અગ્ર જેને છે. છે. ધન નિયિત સુબદ્ધ લક્ષણોmત કૂટાગાર સમાન નિરુપમ પિડિકાગ્રશિર, અગ્નિ વડે નિર્માત અને ધોયેલ તથા તપ્ત-લાલવર્ણા સુવર્ણવત્ મધ્યકેશ કેશભૂમિવાળા.
શાભલીવૃક્ષના ફળ સમાન છોટિતા પણ અતિશય નિયિત, તે યુગલધાર્મિકો કેશપાશ બાંધતા નથી. કેમકે તેમને તેવા પરિજ્ઞાનનો અભાવ છે, તથા સ્વભાવથી શાભલી બોંડ આકારવતુ ધન નિચિત રહે છે, તેથી આ વિશેષણ લીધું.
મૃદુ, નિર્મળ, ગ્લણ, લક્ષણવંત, પ્રશંસાપાત્ર પરમગંધ વડે યુકત, તેથી જ સુંદર તથા ભુજમોચક રત્ન વિશેષ, ભૃગ, મકતમણી, કાજળ, પ્રમુદિત જે ભ્રમણ્યણ કેમકે હર્ષિત ભ્રમરગણ તારુણ્યાવસ્થામાં હોય ત્યારે અતિકૃષ્ણ હોય, તેની જેમ કાળી કાંતિ તથા નિકુટુંબીભૂત નિચિત અવિકીર્ણ કંઈક કુટિલ પ્રદક્ષિણાવર્ત માથાના વાળ જેના છે તે.
લક્ષણ - સ્વસ્તિકાદિ, વ્યંજન-મેષ, તિલકાદિ, ગુણશાંતિ આદિ, તેના વડે યુકત તથા માનોમાન પ્રમાણથી પ્રતિપૂર્ણ, જન્મદોષરહિત બધાં અવયવો જેમાં છે, તેવા સુંદર શરીરવાળા, અહીં માન-ઉન્માન પ્રમાણ પૂર્વ ગ્રંથાવત્ સમજી લેવું. * * * x • પ્રમાણ-આભાંગુલથી ૧૦૮ અંગુલ ઉંચા ચંદ્ર જેવા સૌમ્ય આકારવાળા, કાંત-પિયા દર્શનવાળા, સ્વભાવથી જ શૃંગારરૂપ પ્રધાન વેશ જેમને છે તે.
પ્રાસાદીય - હિતાહિતકારીત્વથી મનને પ્રસન્ન કરનાર, દર્શનીય - દર્શનયોગ, જેને જોતાં આંખને શ્રમ ન લાગે છે, અભિરૂપ બધાં જોનારના મનને પ્રસાદ અનુકૂળતાથી અભિમુખ રૂપ અર્થાત્ અત્યંત કમનીય. તેથી જ પ્રતિરૂપ - પ્રતિ વિશિષ્ટ સાધારણ રૂપ અથવા પ્રતિક્ષણ નવા-નવા રૂપ જેના છે તે.
તે મનુષ્યોનો પ્રવાહ જેવો સ્વર છે, મેઘની જેવો અતિ દીર્ધ સ્વર છે, હંસની જેવો મધુર સ્વર છે, ડ્રીંચની જેમ પ્રયાસ કર્યા વિના પણ દીર્ધ દેશ વ્યાપી સ્વર છે, નંદી-બાર વાજિંત્રોના સંઘાતવત્ સ્વર છે તેવા સ્વરવાળા. નંદીની જેમ ઘોષ-નાદ જેનો છે તેવા, સિંહની જેમ પ્રભૂત દેશવ્યાપી સ્વરવાળા, સિંહઘોષવાળા, પ્રિયસ્વરવાળા, મંજુઘોષવાળા. આજ વાત બે પદ વડે કહે છે - સુસ્વા અને સુસ્વરઘોષવાળા.
અનુકૂળ વાયુવેગ - શરીર અંતર્વતિવાત જેમનો છે તે. વાયુગુભ રહિત ઉદર મધ્ય પ્રદેશવાળા એવો અર્થ છે. કંકની જેમ ગુદાસય નિરોગ વર્ચસ્કતાવાળા, કપોતપક્ષીના જેવું આહાર પરિણમન જેમને છે તેવા, કેમકે કપોતનો જઠરાગ્નિ પાષાણને પણ પચાવી દે છે એવી કૃતિ છે. એ પ્રમાણે તેમને પણ અતિ અર્મલ આહીર ગ્રહણ કરવા છતાં તેને કોઈ અજીર્ણ દોષ થતો નથી. શકુન પક્ષીવતુ પુરીપોત્સર્ગમાં નિર્લેપતાથી અપાનદેશ હોય છે.
તથા પૃષ્ઠ અને અંતર - પૃષ્ઠોદસ્તો જે અંતરાલ અર્થાત્ પડખાં, જંઘા, વિશિષ્ટ
પરિણામવાળા જેમના છે . કમળ, નીલોત્પલ અથવા પા નામે ગંધદ્રવ્ય ઉત્પલ, ઉત્પલકુષ્ઠ, તેમની ગંધની સમાન જે નિઃશ્વાસ, તેથી સુગંધી મુખ જેનું છે તે.
ઉદ્દીપ્તવર્ણ અને સુકુમાલ ત્વચાવાળા, નીરોગી, ઉત્તમ લક્ષણયુક્ત, પ્રશસ્ત, કર્મભૂમિના મનુષ્યની અપેક્ષાથી અતિશાયી, તેથી જ નિરૂપમ શરીર જેનું છે તે. આ જ કથન વિશેષથી કહે છે – દુષ્ટ તિલાકાદિક, પ્રસ્વેદ, રેણુ, માલિન્યકારિણી ચેષ્ટા તેનાથી વર્જિત, મૂત્ર-વિષ્ઠાદિ ઉપલેપ રહિત શરીર જેનું છે તે. શરીર પ્રભા વડે ઉધોતિત શરીર અને પ્રત્યંગવાળા છે.
જેનું વજનકષભનારાય સંહનન છે તેવા, સમચતુરસ સંસ્થાન વડે સંસ્થિત, આ બંનેની વ્યાખ્યાયા આગલ કરીશ. ૬૦૦૦ ધનુષ, અવસર્પિણીના પહેલા મારાની અપેક્ષાથી ઉર્વ-ઉંચાઈથી કહેલા ચે. ધનુષ સ્વરૂપ જંબુદ્વીપ પ્રાપ્તિમાં આ રીતે છે
અનંત સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલના સમુદય સમાગમથી એક વ્યવહાકિ પરમાણુ નીપજે છે. તેમાં શરુ સંકામિત ન થાય. અનંત વ્યવહારિક પરમાણુ સમુદય સમિતિ સમાગમથી એક ઉમ્પ્લક્ષ્મ ઋક્ઝિાકા થાય આઠ ઉત્ શ્લષ્ણ ગ્લણિકા વડે એક ગ્લણશ્લણિકા થાય, આઠ ગ્લણર્ણિકાથી એક ઉદ્ધરણ થાય. આઠ ઉર્વરણ વડે એક ત્રસરેણુ થાય. આઠ ત્રસરેણુનો એક રથરેણુ.
આઠ રેણુનો એક દેવકુટુ-ઉત્તરકુરુ મનુષ્યનો વાલાણ થાય. તેવા આઠ વાલાયોથી હરિવર્ષ-રમ્ય વર્ષના મનુષ્યનો વાલાણ થાય. એ પ્રમાણે મ્ય-હૈરણ્યવંત હૈમવંત-ભૈરચવંતના મનુષ્યો, પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યો જાણવા. આઠ પૂર્વવિદેહ મનુષ્યોના વાલાણની એક લિક્ષા, આઠ લિક્ષાની એક જૂ, આઠ જૂનો એક યવમત્ર, આઠ યવમધ્યનો એક અંગુલ થાય.
આ ગુલ પ્રમાણથી છ અંગુલના પાદ, બાર અંગુલની વેંત, ૨૪ અંગુલનો હાથ, ૪૮ ગુલની કુક્ષી, ૯૬ અંગુલનો એક અક્ષ કે દંડ કે ધનુ કે ચૂપ કે મુશલ કે નાલિકા છે. આ ધનુષ પ્રમાણ વડે ૨૦૦૦ ધનુનો એક ગાઉ થાય.
તે પહેલા આરસના મનુષ્યોને ૫૬ પૃષ્ઠ કરંડક કહેલ છે. તુવેર પ્રમાણ આહાર, છ માસ આયુ બાકી રહેતા સ્ત્રી-પુરુષ યુગલને જન્મ આપી, ૪૯ દિવસ સંતાનોનું પાલન કરે છે. ત્રણ દિવસે આહારની ઈચ્છા થાય છે.
બીજા આરામાં બે કોશ ઉંચા, ૧૨૮ પીઠની પાંસળી, ૬૪ દિવસ સંતાનનું પાલન, બોર પ્રમાણ આહાર, બે દિવસે આહારેચ્છા થાય.
ત્રીજા આરામાં એક કોશ ઉંચા, ૬૪ પાંસળી, ૭૯ દિવસ અપત્યપાલન, આમળા પ્રમાણ આહાર, એકાંતરે ઈચ્છા.
૫૬-તદ્વીપમાં મનુષ્યો ૮૦૦ ધનુરૂપ્રમાણ શરીરની ઉંચાઈવાળા, ચોથે દિવસે ખાનારા, ૬૪ પાંસળીવાળા, 9૯ દિવસ સંતાનપાલન, પલ્યોપમના અસંખ્યાત ભાગ આયુ, બધાં પણ યુગલજીવો, પોતાના આયુષ્ય સમાન કે તેથી ઓછા દેવ રૂપે ઉત્પન્ન થાય છે..
બધાં યુગલ જીવો, હાથી-ઘોડા-ઉંટ-ગાય-પાડા આદિનો સદભાવ હોવા છતાં