Book Title: Adarsh Muni
Author(s): Pyarchand Maharaj, Chandulal Mohanlal Modi
Publisher: Jainoday Pustak Prakashan Samiti

View full book text
Previous | Next

Page 636
________________ આદર્શ મુનિ. પ૬૮ ^^^^^^^^^^^^^^^ ^^^^^^^ ^^^ ^^^^ ^ ^^^^ ^ સમજી શકાય છે કે જૈન ધર્મનો ઉદયકાળ ભગવાન રાષભનાથના જમાનામાં થયે, કે જે 10-20 હજાર વર્ષના ઈતિહાસના ઘણા કાળ પૂર્વે વિદ્યમાન હતા. ભગવાન રામચંદ્રજીના કુળગુરૂ વશિષ્ઠ ત્રાષિ વિરચિત યેગવશિષ્ઠ નામના ગ્રંથમાં આ પ્રમાણે ઉલ્લેખ છે - नाहं रामो न मे वाञ्छा भावेषु च न मे तनः / ' શાંતિમર્થિાતુમિચ્છામિ ત્મિજ્જૈવ વિના યથા | અર્થાત્ –રામચંદ્રજી કહે છે કે હું રામ નથી, મારે કઈ પણ વસ્તુની અભિલાષા પણ નથી. માત્ર હું જિનદેવની માફક મારા આત્મામાં જ શાન્તિ સ્થાપન કરવા ચાહું છું. - આ ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે રામચંદ્રજીના સમયમાં જૈનધર્મનું તથા તેના ઉદ્ધારક જિનદેવ (તીર્થકરે)નું અસ્તિત્વ હતું. આ બધાને છોડીને હવે અમે વેદો તરફ વળીએ છીએ. જોઈએ કે તેમાં પણ આપણે હાથ કંઈ આવે છે કે કેમ? કેમકે આધુનિક ગ્રંથોમાં વેદ વિશેષ પ્રાચીન મનાય છે. વાગ્યેદ, સામવેદ તથા અથર્વવેદના અનેક મંત્રમાં જૈન તીર્થકરનાં અભિધાનો ઉલ્લેખ કરી તેમને નમસ્કાર કરવામાં આવ્યું છે, જુઓ– ઋગ્વદ પર પહેલાં દષ્ટિપાત કરીએ– ... आदित्या त्वमसि आदित्य सद आसीत स्तभ्रादद्यां " वृषभोन्तरिक्षं" विमिमीते वरिमाणं / पृथिव्या आसिक्तद्विश्वा भुवनानि सम्राविवश्वेतेति वरुणस्य व्रतानि / / 20 20 2

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656