Book Title: Adarsh Jain Stree Ratno Part 02 Author(s): Atmanand Jain Sabha Publisher: Atmanand Jain Sabha View full book textPage 5
________________ ( ૨ ) સ્ત્રીચરિત્રનું પ્રકાશન પણ ઉત્તમ પુપયોગી ચરિત્રેના પ્રકાશનની કરતાં પણ કેટલીક અપેક્ષાએ વિશેષ ઉપયોગી છે. તેવા ઉત્તમ પવિત્ર, પતિવ્રતા આદર્શ સ્ત્રોતનેને પ્રતાપ, પ્રભાવ પણ અલૌકિક હોય છે. રૂષિઓ તેમજ તપસ્વીઓ વગેરે પુરુષો કરતાં પણ તેવા સ્ત્રીરત્ન વચનસિહ પણ વિશેષ હોય છે અને તેવા તેમના પ્રભાવથી સુરાસુરે પણ તેમને આધીન થઈ તેમના શિયળનું રક્ષણ કરવામાં હાજર થઈ સહાયભૂત થાય છે. આવા સુંદર સ્ત્રી ચરિત્રો મનનપૂર્વક વાંચવાથી સ્ત્રીઓને ધર્મ શું છે, આવી પવિત્ર વીરાંગનાઓને મહિમા કે છે, બાલ્યકાળમાં તેઓને કેવી જાતનું શિક્ષણ આપવામાં આવે તે સંસ્કારી, મહાન પુરૂષોને જન્મ આપનારી, પતિભક્તિ કરનારી સુશીલા આદર્શ સતીરત્ન થઈ શકે વગેરે પ્રતાપી સતી ચરિત્રે વાંચવાથી તેવું જ્ઞાન મળી શકે, તેમજ તેવા ચરિત્રનું મનનપૂર્વક પઠન પાઠનથી તે તેવી આદર્શ રમણ પણ થઈ શકે છે. સ્ત્રી ઉપર આખા ઘરને આધાર હેવાથી તેમને કેળવી કુશળ બનાવવી જોઈએ, કારણ કે તેવી સ્ત્રીઓ ઘરની શોભારૂપ બને છે. સ્ત્રીઓને શિક્ષણ આપવું તે સમજશક્તિ પ્રાપ્ત થવા માટે છે અને તેથી તેઓને ધરા કાર્યની આવડત રસોઈ, અને રીતભાતમાં નિષ્ણાતપણું, ભરત ગુંથણ, શિવણ, કરકસરપૂર્વક ખર્ચ ચલાવવાની કુશળતા એ વગેરે ગૃહકાર્યો તેમજ, પત્ની તરીકેની પિતાની ફરજ, નમ્રતા, સભ્યતા, મર્યાદા, પતિવ્રતાના ધર્મો, નીતિ, સદાચાર, સ્ત્રીઓનું કર્તવ્ય, વિવેક, વિનય, મર્યાદા, સુઘડતા, પતિવ્રતાના સાચા અલંકારે શું છે? સાસરીયામાં કેવી વર્તણુંક ચલાવવી, કેમ બેલવું, ચાલવું, ખરા વસ્ત્રાભૂષણ કયા હેઈ શકે, સદ્ગુણી સ્ત્રીઓના લક્ષણો, વડીલે પ્રત્યેને પૂજ્યભાવ વગેરે સ્ત્રીઓને ધર્મ અને કર્તવ્ય જાણવા માટે છે, પરંતુ આવું શિક્ષણ વર્તમાનકાળમાં કુલેમાં જેમ નથી અપાતું તેમ અનેક સ્થળોએ આપણી જૈન કન્યાશાળાઓમાં પણ અપાતું નથી, પરંતુ સામાયિક, પ્રતિક્રમણ, પ્રકરણદિનું માત્ર શિક્ષણ આપવામાં આવે છે, ( જો કે તેની પણ જીવનમાં જરૂર છે.) જે કે માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 162