Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 116
________________ પરિશિષ્ટ ૧. અરિહંત પરમાત્માના બાર ગુણ ચાર ગુણ તે ચાર મૂળ અતિશય નીચે પ્રમાણે :૧. અપાયાપગમાતિશય, ૨. જ્ઞાનાતિશય, ૩. પૂજા તિશય, ૪. વચનાતિશય બીજા આઠ ગુણ તે આઠ મહાપ્રાતિહાર્ય. એ નીચે પ્રમાણે – ૧. અશોકવૃક્ષ, ૨પુષ્પવૃષ્ટિ, ૩.દિવ્યધ્વનિ, ૪.ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ, ૮. ત્રણ છત્ર આમ કુલ બાર ગુણ તીર્થંકર પરમાત્માના હોય છે. તીર્થંકર પરમાત્માના અતિશયો તીર્થંકર પરમાત્માના ચોત્રીસ અતિશય હોય છે. એમાં ચાર સહજાતિશય, અગિયાર કર્મક્ષયજ અતિશય અને ઓગણીસ દેવકૃત અતિશય હોય છે. આ ચોત્રીસ અતિશય નીચે પ્રમાણે છે: ચાર સહજ અતિશય અથવા મૂલાતિશય અભુત રૂપ અને સુગન્ધવાળું શરીર કમલ સમાન સુગંધી શ્વાસોશ્વાસ ગાયના દૂધની ધારાસમાનધવલ અને દુર્ગધવિનાનાં માંસ અને રુધિર. આહાર અને નિહારની ચર્મચક્ષુથી ન દેખાય એવી ક્રિયા ઘાતિ કર્મોનો ક્ષય થતાં પ્રગટ થતા અગિયાર અતિશય માત્ર એક યોજન જેટલી ભૂમિમાં મનુષ્યો,દેવો અને તિર્યંચોનીકોડાકોડી સંખ્યાનો સમવસરણમાં સુખરૂપ, બાધારહિત સમાવેશ. વાણી-દેશના અર્ધમાગધીમાં આપે, પરંતુ મનુષ્યો, તિર્યંચો અને દેવોને પોતપોતાની ભાષામાં તે સમજાય. એમની વાણી યોજનગામિની – એક યોજન સુધી સર્વદિશાઓમાં પ્રસરે તેવી હોય. ૩. ભામંડલ - મસ્તક પાછળ સૂર્યસમાન તેજવર્તુળ ૪. તેઓ જયાં જયાં વિચારે ત્યાં ત્યાં ભૂમિમાં કોઈ પણ જાતનો રોગ ન હોય. પ. લોકોમાં એક બીજા પ્રત્યે વૈર કે વિરોધ ન હોય. می نه ته و می م ૧૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134