________________
ઓળખાતો હતો, પરંતુ વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણની સ્થાપના કર્યા બાદ આ નવી નગરીને પાટનગરીનું પદ મળતાં ગુજરાતની સીમાનો આખો નકશો જ પલટાઈ ગયો અને ભિન્નમાલ મારવાડ રાજ્યમાં સ્થાન પામ્યું. શ્રીમાળ અને પોરવાડ જ્ઞાતિની ઉત્પત્તિ ભૂમિ તરીકે ભિન્નમાલ આ બે જ્ઞાતિઓની પરંપરા માટે તો અનેક રીતે પૂજનીય-સ્મરણીય રહ્યાના કેટલાય ઉલ્લેખો શાસ્ત્રો અને શિલાઓમાં આજેય અંકિત રહેલા જોવા મળે છે.
ઓસવાળ વંશના નામાભિધાન પૂર્વક ઓસિયા નગરીમાં એક લાખ એંસી હજા૨ નવા જૈનોના સર્જક તરીકે ઇતિહાસમાં ગૌરવભર્યું માન પામનારા પૂ.આ.શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજની જન્મભૂમિ ભિન્નમાલ હતી, જેમના ચરણોદકના પ્રભાવે વિષની અસર નિષ્ફળ બની જતી હતી, એવા પૂ. આચાર્ય શ્રી દેવગુપ્તસૂરિજી મહારાજનો આચાર્યપદ મહોત્સવ વિ. સં. ૧૧૦૮ માં આ નગરીમાં ઊજવાયો, ત્યારે ભેસા-શાહ નામના ગુરુભક્ત શ્રેષ્ઠીએ ૭ લાખ દ્રમ્મનો સર્વ્યય કર્યાની નોંધ ઇતિહાસનાં પાને આજેય સુરક્ષિત છે. વિશ્વવિખ્યાત કાલ્પનિક કથાકૃતિ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા મહાકથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિગણિની જન્મભૂમિ આ જ ભિન્નમાલનગરી હતી. ગુજરાતના ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન પામનાર મહામાત્ય શાંતનુ પણ ભિન્નમાલના જ હતા. મહાકવિ માઘ આ જ નગરમાં શ્રી સિદ્ધર્ષિગણિના વંશમાં જન્મ્યા હતા, તેમજ રાજા તરફથી જોઈએ એવી કદર ન થતાં અકિંચન બનેલા માઘ કવિ દાનની ભાવનામાં આ જ નગરીમાં મૃત્યુ પામ્યા હતા, એવી કથા પણ ઉપલબ્ધ છે. નિકોલસ યુલેટ નામના અંગ્રેજ વેપારીએ ઈ. સં. ૧૬૧૧માં અમદાવાદથી જાલોરનો પ્રવાસ ખેડ્યો, ત્યારે ભિન્નમાલના કોટનો વિસ્તાર ૩૬ માઈલનો હોવાનો એણે ઉલ્લેખ કરેલ છે. આમ, આબુથી પશ્ચિમમાં ૫૦ માઈલની દૂરાઈ પર આજેય પ્રતિષ્ઠિત ભિન્નમાલનગરનો ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો જ રોમાંચક છે.
આબુ તીર્થોદ્ધારક
૪