Page #1
--------------------------------------------------------------------------
________________ 1. 21 વચનામૃત આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. 2. એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. 3. કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સપુરુષનો સમાગમ અવય સેવવો ઘટે છે. 4. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. M. કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. 6. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે, એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. 7. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. 8. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. 9. તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. 9 હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. 11. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. 12. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભોગી થાઓ. 13. સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. 14. પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. 15. મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. 16. વચનસપ્તશતી' પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. 1 સાતસો મહાનીતિ, જુઓ આંક 19.
Page #2
--------------------------------------------------------------------------
________________ 17. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સપુરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો; સન્શાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. 18. એ એક્કે ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. 19. વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. 20. રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; દ્વેષ કરવો નહીં, કરવો તો કુશીલ પર કરવો. 21. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. 22. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. 23. આ સંસારને શું કરવો ? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. 24. નિર્ગથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા કરતાં અલ્પારંભી થજો. 25. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. 26. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. 27. કુપાત્ર પણ સપુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નીરોગી કરે છે. 28. આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. 29. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. 30. અમે બહુ વિચાર કરીને આ મૂળતત્વ શોધ્યું છે કે,-ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. 31. રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. 32. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. 33. જ્યાં હું માને છે ત્યાં ‘તું નથી, જ્યાં તું માને છે ત્યાં ‘તું નથી. 34. હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે ? 35. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. 36. સજ્ઞાન અને સલ્હીલને સાથે દોરજે. 2 પાઠા. ગુપ્ત ચમત્કારનો
Page #3
--------------------------------------------------------------------------
________________ 37. 37 એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. 38. મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. 39. ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે. 40. આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સલ્ફીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યત બાલ્યાવસ્થા, આત્મતત્વનું ચિંતવન. 41. એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું. 42. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે ? 43. કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. 44. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. 45. સૃષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. 46. એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. 47. શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ? 48. જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. 49. હું તમારી મૂર્ખતા પર હસું છું કે - નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરૂપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો ? 50. અહો ! મને તો કૃતઘ્ની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે ! 51. મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. 52. હું કહું છું એમ કોઈ કરશો ? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ હે સપુરુષ ! તું મારી ઇચ્છા કરજે. 53. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો ! 54. દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સપુરુષની ઇચ્છો.
Page #4
--------------------------------------------------------------------------
________________ 55. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. 56. એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. 57. તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. 58. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. 59. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. 60. નિયમ પાળવાનું દ્રઢ કરતાં છતાં નથી મળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. 61. સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. 62. એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. 63. શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. 64. સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. 65. પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. 66. જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. 67. જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. 68. પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. 69. અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. 70. વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. 71. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકનો સંભારવો નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. 72. કવા 73. જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. 74. શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમતુ મહાવીર સ્વામીએ સમ્યક્રનેત્ર આપ્યાં હતાં.
Page #5
--------------------------------------------------------------------------
________________ 75. ભગવતીમાં કહેલી પદગલ નામના પરિવ્રાજકની કથા તત્ત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. 76. વીરનાં કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. 77. સમ્યફનેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે. 78. કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી [કુદરત તે પૂર્વિતકર્મ. 79. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. 80. ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્વદ્રષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. 81. જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે. 82. કૃતજ્ઞતા જેવો એક્કે મહા દોષ મને લાગતો નથી. 83. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! 84. વસ્તુને વસ્તુગતે જુઓ. 85. ધર્મનું મૂળ વિ. છે. 86. તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. 87. વીરના એક વાક્યને પણ સમજો. 88. અહંપદ, કૃતઘ્નતા, ઉસૂત્રપ્રરૂપણા, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. 89. સ્ત્રીનું કોઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભોગવે છે. 90. દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. 91. અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું. 92. સ્યાદવાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી. 93. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. 94. અભિનિવેશ જેવું એકે પાખંડ નથી. 95. આ કાળમાં આટલું વધ્યું:- ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. 96. તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગીધર્મ બોધી શકું ખરો. 3 શતક 11, ઉદ્દેશ ૧૨માં.
Page #6
--------------------------------------------------------------------------
________________ 97. આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જણે વેદી નથી તે સદગુરૂ થવાને યોગ્ય નથી. 98. કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. 99. આત્માનો ધર્મ આત્મામાં જ છે. 100. મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. 101. હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાગું નથી. 102. નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. 103. મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આર્વિભાવ કરવું જોઈએ. 104. બહ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. 105. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ૦-એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો ! 106. ગજસુકુમારની ક્ષમા અને રાજમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. 107. ભોગ ભોગવતાં સુધી જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી મને યોગ જ પ્રાપ્ત રહો ! 108. સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી. 109. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. 110. પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્દર્શન છે. 111. ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. 112. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળાં ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. 113. તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. 114. શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (જો નિર્જરામાં આવે તો.) 115. કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. 116. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભૂમાવે છે. 117. અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. 118. તું સપુરુષનો શિષ્ય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ 119. એ જ મારી આકાંક્ષા છે. 120. મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. 121. કોઈ રાજમતી જેવો વખત આવો. 122, સત્પરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. 123. સંસ્થાનવિજયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. 124. આત્મા જેવો કોઈ દેવ નથી. 125. કોણ ભાગ્યશાળી ! અવિરતિ સમ્યક્ઝષ્ટિ કે વિરતિ ? 126. કોઈની આજીવિકા તોડશો નહીં.