________________ 119. એ જ મારી આકાંક્ષા છે. 120. મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. 121. કોઈ રાજમતી જેવો વખત આવો. 122, સત્પરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. 123. સંસ્થાનવિજયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. 124. આત્મા જેવો કોઈ દેવ નથી. 125. કોણ ભાગ્યશાળી ! અવિરતિ સમ્યક્ઝષ્ટિ કે વિરતિ ? 126. કોઈની આજીવિકા તોડશો નહીં.