Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sclerare
मी - १४ श्री द्वादशांग आगम पुरुष
११अंग १.आचारांग २. सूयगडांग ३.ठाणांग
falbe
१.माताधर्मकांग ७. उपासकवशांग
१२ उपांग १.औषपातिक २.राजपनीय ३.जीवाभिगम ४.प्रमापना ५. सूर्यप्रगति ६. अद्वीपप्राप्ति ७.चंद्रग्रजामि ८. नियालिका १. कल्पावतरिका १०. पुष्पिका ११. पुष्पबुलिका १२. बहिवाशा
१. अनुत्तरोपपानिकदशांग १०. अजव्याकरण ११. विपाक (१२) द्रष्टिवाद
प्रकीर्णक
४मूल ओपनियुक्ति आवश्यक दशवकालिका उत्तराध्यान
२चूलिका अनुयोगद्वार मूत्र नरीमन
श्री आगम
पुरुष
प भार्य, 2002, वि.स. २०ायासु१२
પ્રકાશક JIRRI SCIRPRak silatilez શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર ૩૮૨૦૦૭ होन नं. (096) २३२७६२०४, २०५, २५२ ३७स (09८) २३२७६२४६ website : www.kobatirth.org - email :
[email protected]
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
17
www.kobatirth.org
સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં સંગ્રહિત-પ્રદર્શિત બહુમૂલ્ય શિલ્પાંકનો
આ શિલ્પ પ્રાચીન પરિકરનો ભાગ છે, જેમાં પ્રભાસન(પબાસણ)ગાદીનો હિસ્સો મુખ્ય છે. સાથે આજુબાજુ જુદા - જુદા સ્તંભોના હિસ્સાઓ છે. પરિકરના પ્રભાસન (પબાસણ)ના હિસ્સામાં વ્યાલ, હાથી વગેરેના સુંદર અંકનની સાથે મધ્યમમાં આજુબાજુમાં બે હરણ સાથેના ધર્મચક્રનું શિલ્પ છે. બન્ને બાજુના ખૂણે અધિષ્ઠાયક દેવ અને દેવીનું અંકન છે. ધર્મચક્રના ઉપર પ્રાસાદ દેવી અથવા મહાલક્ષ્મી દેવીની પ્રતિમા છે. સ્તંભોમાં પાર્શ્વનાથ ભગવાનની ખડ્ગાસનસ્થ પ્રતિમા છે. જેના ઉપરના હિસ્સામાં ત્રિતીર્થી રૂપ એક પદ્માસનસ્થ તથા બે ખડ્ગાસનસ્થ મૂર્તિઓનું અંકન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતગઢ શૈલીની 6-8 મી સદીની ધાતુની સુંદર પ્રાચીન પ્રતિમાઓ છે.
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃતસાગર
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનું મુખપત્ર
આશીર્વાદ આ રાષ્ટ્રસંત પ. પૂ. આચાર્ય શ્રી પધસાગરસૂરીશ્વરજી મ. સા.
પ.પૂ.પંન્યાસપ્રવર શ્રી અજયસાગરજી મ. સા.
-
-
-
- સંપાદક છે, બી.વિજય જૈન
* સલાહકાર કે શ્રી કનુભાઈ શાહ તથા ડૉ. હેમંત કુમાર
પ્રકાશક છે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨૫૨ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૨૪૯ website : www.kobatirth.org • email :
[email protected]
અંક નં. : ૨૪, ૫ માર્ચ, ૨૦૧૨, વિ.સં. ૨૦૬૮, ફાગણ સુદ ૧૨
- અંક-પ્રકાશન- સૌજન્ય છે
શ્રી અરવિન્દભાઈ તારાચંદ શાહ પરિવાર
એશિયન સ્ટાર પ્રા. લિ. મુંબઈ
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૮-ફાગણ
નવી સ્તુતિ
દેવર્ધિ-દેવવાચક ગણિ ક્ષમાશ્રમણ દ્વારા રચિત પરમ પવિત્ર આગમ શ્રી નંદીસૂત્રની અંતર્ગત તેઓશ્રી દ્વારા કરાયેલ શ્રમણ ભગવાન મહાવીરની શ્રદ્ધા ભક્તિ અને મહિમાનું ગાન કરતી સ્તુતિ.
जयइ जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो। जगणाहो जगबन्धु जयइ जगप्पियामहो भयवं।। ।
जयइ सुयाणं पभवो तित्थयराणं अपगच्छिमो जयह।
जयइ गुरू लोयाणं जयइ महप्पा महावीरो।। भई सब्जगुज्जोयगस्स भई जिणस्स वीरस्स।
भदं सुरासुरनमंसियस्स भदं धुयरयस्स।। જગતના (સમગ્ર) જીવ-સમૂહને જાણનારા, જગતના શાસ્તા, જગતના આનંદ, જગતના નાથ, જગતના બંધુ જગતના પિતામહ, શ્રતના-શાસ્ત્રના ઉદ્દગમસ્થાન, તીર્થકરોમાં અપશ્ચિમ-અંતિમ, અને લોક-જગતના ગુરુ એવા ભગવાનું મહાત્મા મહાવીર જયવંતા વર્તે છે. @દ્ર થાઓ, કલ્યાણ થાઓ, સર્વ જગતનો પ્રકાશ આપનાર એવા દિન વીરનું કલ્યાણ થાઓ. જેમને સર્વ સુરાસુરોએ નમસ્કાર કર્યો છે તેમનું ભદ્ર થાઓ, જેમણે પાપનળને ધોઈ નાંખ્યું છે
તેમનું ભદ્ર થાઓ. (શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની આ અત્યંત ગંભીર અર્થ પ્રધાન અને ભાવવાહી રચના છે. એનામાં રહેલા ગંભીર અર્થોની છણાવટ અને સમજણ આપવા માટે મહાન આચાર્ય ભગવંત શ્રી મલયગિરિએ આ શ્લોકો ઉપર ૧૪૦૦-૧૫૦૦ જેટલા સંસ્કૃત શ્લોકોવાળી ટીકા બનાવી છે. આનાથી ખ્યાલ આવે કે આ ત્રણ લોકોમાં કેટલા ગંભીર રહસ્ય છુપાએલા છે. શ્લોકમાં છુપાએલા ભાવવિશ્વને વિશદ રીતે પ્રગટ કરવુંએ શ્રુતજ્ઞાનનું સમ્યગ અવગાહન છે, ધૃતસાગરમાં મરજીવાની જેમ ડુબકી મારીને શ્રુતરત્નો શોધી લાવવાની પ્રક્રિયા છે.) શ્રતસાગર : (આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનું મુખપત્ર)
અંક: ૧૪ - અનુક્રમ )
લેખક ૧ વીરસ્તુતિ
સં. ભદ્રબાહુવિજય ૨ હસ્તપ્રત : એક પરિચય
૫.પૂ. પંન્યાસશ્રી અજયસાગરજી મ. સા. ૩ અજાણીતીર્થમંડન-સરસ્વતીદેવી છંદ નવિનભાઈ વિ. જૈન ૪ યોગ અને ધ્યાન વિષયક ગ્રંથસૂચિ સં. ડૉ. પૂર્ણિમા મહેતા ૫ ભોજન કંઈ ભારરૂપ ન બને! ભદ્રબાહુવિજય ક પુસ્તક પરિચય
કનુભાઈ શાહ ૭ સમાચાર
સં. દિલાવરસિંહ વિહોલ, હિરેન દોશી, વિનયકુમાર જૈન ૧૪
લેખ
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રુતસાગર-માર્ચ, ૨૦૧૨
www.kobatirth.org
હસ્તપ્રત : એક પરિચય
હસ્તપ્રતના પ્રકારો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
× ૫. પૂ. પંન્યાસશ્રી અજયસાગરજી મ.સા.
પ્રાચીન લેખન-શૈલીના બે પ્રકાર છે : એક શિલાલેખન અને બીજો હસ્તપ્રત-લેખન. પ્રાચીન ભારતીય સાહિત્યને આજે આપણે જે રૂપમાં પ્રાપ્ત કરીએ છીએ તેનો આધાર હસ્તપ્રત છે. શાસ્ત્રોની હાથેથી લખેલ નકલ હોવાને કારણે તેને હસ્તપ્રત કહેવામાં આવે છે, કે જેને પાણ્ડુલિપિ પણ કહેવાય છે. કાળાંતરે મૂળ નકલ નષ્ટ થતી જતી હતી તો સામા પક્ષે તેની ઘણી નકલો તૈયાર થતી રહેતી હતી. પ્રતિલિપિ ૫૨થી પ્રત શબ્દ આવ્યો હોય તેમ જણાય છે. પ્રાચીન ધર્મ-દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની જાણકારી માટે હસ્તપ્રતોનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે માત્ર પુરાતત્ત્વીય સમર્થનથી ઇતિહાસનું નિર્માણ સર્વાંગપૂર્ણ થતું નથી, ઇતિહાસની સત્યતા માટે સાહિત્યની આવશ્યકતા અનિવાર્ય છે. પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોમાં માત્ર હસ્તલિખિત સાહિત્ય જ ઉપલબ્ધ હતું. દેશમાં હસ્તપ્રત લખવાનાં ઘણાં સ્થાનો હતાં. આવા લેખન-સ્થળોના આધાર પરથી અભ્યાસુઓને વિભિન્ન કુળોની પ્રતો અને તેના કુળવિશેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. કૃતિઓની સંશોધિત આવૃત્તિના પ્રકાશનકાર્યમાં વિભિન્ન કુલોની પ્રતોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે.
૩
આંતરિક પ્રકાર :
હસ્તલિખિત પ્રતોનો આ રૂપવિધાન પ્રકાર છે, જેમાં પ્રતની લેખનપદ્ધતિની માહિતી મળે છે. આ લેખનપદ્ધતિને એકપાઠી, ક્રિપાઠી, (સામાન્યપણે બન્નેપડખે મૂળ અને ટીકાના પાઠ લખવામાં આવ્યા હોય છે.) ત્રિપાઠી, (વચ્ચે મૂળ અને ઉપર નીચે, ટીકા), પંચપાઠી (વચ્ચે મૂળ અને ઉપર ડાબે, જમણે અને નીચે ટીકા), શુડ (શૂઢ), ઊભી લખાયેલ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રૌપ્યાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્થૂલાક્ષરી વગેરેથી ઓળખવામાં આવે છે. ગ્રંથોમાં રહેલા આવા તફાવતો હસ્તપ્રતો કાગળ પર લખવાની પ્રક્રિયા શરૂ થયા બાદ વિશેષ પ્રકારે વિકસ્યા હોય તેમ જ્ઞાન થાય છે. આવી પ્રતોનું બાહ્ય સ્વરૂપ સાદું દેખાવા છતાં અંદરનાં પૃષ્ઠો જોવાની જ તેની વિશેષતાની જાણકારી મળે છે.
બાહ્ય પ્રકાર :
વિક્રમના ચૌદમા સૈકા સુધીની હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી-પાતળી પટ્ટી જેવા તાડપત્ર પર લખાયેલી મળે છે. તેના મધ્ય ભાગમાં એક છિદ્ર તથા કેટલીક વાર યોગ્ય અંતરે બે છિદ્રો પણ જોવા મળે છે. આ છિદ્રોમાંથી એકમાં દોરી પરોવવામાં આવતી જેથી વાંચતી વખતે પાનાં અસ્ત-વ્યસ્ત ન થાય. તથા બીજા છિદ્રમાં બંધન અવસ્થામાં વાંસની સળી રાખવામાં આવતી જેથી ઘણાં પાનાંવાળી જાડી પ્રત હોય તો તેનાં પાનાં લસરીને આર્થો-પાછાં ન થાય. આ જ દોરી વડે પ્રતને બન્ને બાજુ પાટલીઓ મૂકીને કલાત્મક રીતે બાંધી દેવામાં આવતી. તાડપત્રો પરનું લખાણ સહીથી તથા કાંતીને એમ બે પ્રકારે લખાયેલ મળે છે. કોતરીને લખવાની પ્રણાલી ખાસ કરીને ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરલ તથા કર્ણાટકના પ્રદેશમાં રહેવા પામી અને સહીથી લખવાની પ્રક્રિયા શેષ ભારતમાં રહેવા પામી, કાગળના ઉપયોગની શરૂઆત બાદ આ જ તાડપત્રોને આદર્શ માનીને કાગળની પ્રતો પણ શરૂઆતમાં મોટા-મોટા અને લાંબા પત્રો પર લખવામાં આવતી. પણ પાછળથી આ કદ સુવિધા અનુસારે સંકોચાઈ ગયું.
જૈન ભાષ્યકારો, ચૂર્ણિકા૨ો અને ટીકાકારોના મતે આવા તાડપત્રોની લંબાઈ અને પહોળાઈના આધારે પાંચ પ્રકારો કહેવાય છે.
For Private and Personal Use Only
ગંડી ઃ પ્રતની લંબાઈ અને પહોળાઈ એક સમાન હોય તેને ગંડી પ્રકાર કહેવાય છે.
કચ્છપી : પ્રતની બન્ને કિનારી સંકુચિત તથા વચ્ચે ફેલાયેલ કાચબા જેવા આકારની પ્રતને કચ્છપી પ્રત કહેવામાં આવે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
હસ્તપ્રત : એક પરિચય
વિ.સં.૨૦૬૮-ફાગણ
મુષ્ટિ : જે પ્રતો મુઠ્ઠીમાં સમાઈ જાય તેટલી નાની હોય તેવી પ્રતોને મુષ્ટિ પ્રકારની પ્રતો કહેવામાં આવે છે. સંપુટ ફલક : લાકડાની પટ્ટીઓ પર લખાયેલ પત્રોને સંપુટ ફલક પ્રકાર કહેવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેદપાટી (છિવાડી) : ‘છેદપાટી’ એ પ્રાકૃત શબ્દ ‘છિવાડી’નું સંસ્કૃત રૂપ છે. આ પ્રકારની પ્રતોમાં પાનાંની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રતની જાડાઈ ઓછી હોય છે પરંતુ લંબાઈ અને પહોળાઈ યોગ્ય પ્રમાણમાં હોય છે.
ઉપરોક્ત પાંચ પ્રકારો સિવાય વર્તમાનમાં અન્ય પ્રકારો પણ મળે છે.
ગોલ : ‘ફરમાન’ની જેમ ગોળ કુંડળી પ્રકારથી કાગળ અને કાપડ પર લખાયેલ ગ્રંથો પણ મળે છે, જેને અંગ્રેજી ભાષામાં Scroll કહે છે. ૨૦ મીટર જેટલી લંબાઈ હોવા છતાં તેની પહોળાઈ સામાન્ય-સરેરાશ જ હોય છે. જૈનવિજ્ઞપ્તિપત્ર, મહાભારત, શ્રીમદ્ ભાગવત, જન્મપત્રિકા વગેરે કુંડળી આકારમાં મળતાં રહે છે.
ગડી : અનેક પ્રકારે ગડી કરાયેલ લાંબા-પહોળા વસ્ત્ર કે કાગળનો પટૂટો પણ મળે છે. સામાન્ય રીતે આમાં યંત્ર, કોષ્ટક, આરાધના પટ્ટ, અઢીદ્વીપ વગેરે આલેખાયેલ મળે છે.
પાઠ :
ગુટકા : સામાન્ય રીતે હસ્તપ્રતોનાં પાનાં ખુલ્લાં જ હોય છે પરંતુ કેટલીક વાર પાનાં (પત્રો)ની મધ્યમાં સિલાઈ કરીને અથવા બાંધીને પુસ્તકાકારે બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આવા પાનાવાળી પ્રતોને ગુટકા તરીકે ઓળખવામાં આવે છે. તે વહીની જેમ ઉપરની બાજુ તથા સામાન્ય પુસ્તકની જેમ પડખાની બાજુમાંથી ખૂલે તેવા એમ બે પ્રકારથી બાંધેલાં મળે છે. જાડા પૂંઠાના આવરણમાં બંધાયેલ આવા ગુટકા નાનાથી માંડીને બૃહત્કાય સુધીના હોય છે. મોટા ભાગે આવા ગુટકાને લપેટીને બાંધવા માટે સાથે દોરી પણ લાગેલ હોય છે. આ સિવાય તામ્રપત્ર અને શિલાપટ્ટ વિગેરે ઉપર પણ ગ્રંથો લખાયેલ મળે છે. હસ્તપ્રત આલેખન
હસ્તપ્રતનું લખાણ સામાન્યપણે માંગલિક શબ્દો અને સંકેતોથી શરૂ થઈ માંગલિક શબ્દો અને સંકેતોથી પૂર્ણ કરવામાં આવે છે, કાળાંતરે લેખન-શૈલીમાં પરિવર્તન થતું જોવા મળે છે. વિક્રમની ૧૪મી-૧૫મી સદીમાં પ્રતની મધ્યમાં ચતુષ્કોણિય ફુલ્લિકા-ખાલી સ્થાન જોવા મળે છે, જે મૂળ તો તાડપત્રોમાં દોરી પરોવવા માટે ખાલી જગા છોડવાની પ્રણાલીના અનુકરણ રૂપે ગણાય. પછીથી આ આકૃતિ કાળક્રમે વાવનાં પગથિયાં જેવા આકાર ધારણ કરીને ધીરે-ધીરે લુપ્ત થતી ગઇ છે. શૈલીની જેમ લિપિ પણ પરિવર્તનશીલ રહી છે. વિક્રમની ૧૧મી સદી પહેલાં અને પછીની લિપિમાં ઘણો તફાવત જોવા મળે છે. એક વાયકા અનુસાર ટીકાકાર શ્રી અભિયદેવસૂરિ દ્વારા પ્રાચીન પ્રતોના અભ્યાસ દરમ્યાન પડતી મુશ્કેલીઓના નિવારણ માટે જૈન લિપિપાટી પ્રસ્થાપિત કરવામાં આવી અને ત્યારથી તે જ પાટી સદીઓસુધી મુદ્રણયુગપર્યંત સામાન્ય પરિવર્તન સાથે સ્થપાયેલી રહી. પડીમાત્રાપૃષ્ઠમાત્રાનું શિરામાત્રામાં પરિવર્તન એ ખાસ તફાવત રહ્યા હોય તેમ જાણવા મળે છે. યોગ્ય અભ્યાસ હોય તો પ્રતના આકાર-પ્રકાર, લેખનશૈલી તથા અક્ષરપરિવર્તનના આધારે કોઈ પણ પ્રત કઈ સદીમાં લખાયેલ છે તેનું સચોટ અનુમાન સરળતાથી લગાવી શકાય છે.
પત્રાંક :
તાડપત્ર અને તેના પછી કાગળની શરૂઆતના યુગમાં પત્રક્રમાંક બે પ્રકારે લખાયેલા જોવા મળે છે, ડાબી બાજુ સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં ક્યારેક જ બને તેવા વિશિષ્ટ અક્ષરયુક્ત સંકેતો જે રોમન અંકોની જેમ શતક, દશમ અને એકમ માટે જુદા-જુદા હતા અને ઉપરથી નીચેની તરફ લખવામાં આવતા હતા. આવા અક્ષરાંકોનો ઉપયોગ પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં હ્રસ્વ-દીર્ઘ 'ઈ'ની માત્રા સાથે ચતુર્ગુરુ, પલઘુ વગેરેના ઉપયોગ માટે પણ થયેલો જોવાય છે. પૃષ્ઠની જમણી બાજુ સામાન્ય અંકોમાં પૃષ્ઠાંક લખાયેલ જોવા મળે છે. અમુક વખતે ગ્રંથાવલીરૂપે લખાવાયેલ એકથી વધુ ગ્રંથોને સળંગ ક્રમાંક અપાયેલો જોવા મળે છે. આવા ગ્રંથો ઉપર ક્વચિત્ એક ખૂણામાં ઝીણા અક્ષરે લખાયેલ ચોર અંક પણ જોવા મળે છે,
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રુતસાગર-માર્ચ, ૨૦૧૨ પ્રત શુદ્ધિકરણ :
www.kobatirth.org
હસ્તપ્રત : એક પરિચય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પ્રત લખતી વખતે ભૂલ ન રહી જાય તે માટે જરૂરી સતર્કતા રાખવામાં આવતી હતી. એક વખત લખાઈ ગયા પછી વિદ્વાન સાધુ વગેરે તે પ્રતને પૂર્ણરૂપે વાંચીને અશુદ્ધ પાઠને ભૂંસીને, સુંદર રીતે છેકીને કે છૂટી ગયેલ પાઠોને ‘હંસપાદ’ વગેરે જરૂરી નિશાની સાથે પંક્તિની વચ્ચે અથવા બાજુના હાંસિયા વગેરે જગામાં જરૂ૨ પચે ઓલી-પંક્તિ ક્રમાંક સાથે લખી દેતા હતા. પાઠ ભૂંસવા માટે પીંછી, તુલિકા, હરતાલ, સફેદો, ગેરૂ વગેરેનો ઉપયોગ થતો હતો.
વાંચન ઉપયોગી સંકેતો :
હસ્તપ્રતોના લખાણમાં શબ્દોની વચ્ચે-વચ્ચે અત્યારની જેમ ખાલી જગ્યા મુકાતી ન હતી પણ સળંગ લખાણ લખવામાં આવતું હતું. અમુક પ્રતો ઉપર વિદ્વાનો પાછળથી વાચકોની સરળતા ખાતર પદો ઉપર નાની-નાની ઊભી રેખા કરીને પદચ્છેદ દર્શાવતા હતા. અમુક પ્રતોમાં ક્રિયાપદો ઉપર અલગ નિશાની કરાયેલી મળે છે. વિશેષ્ય-વિશેષણ વગેરે સંબંધ દર્શાવવા માટે શબ્દો ઉપર પરસ્પર સમાન સૂક્ષ્મનિશાનીઓ કરતા હતા. શબ્દોનાં વચન-વિભક્તિ દર્શાવવા માટે ૧૧, ૧૨, ૧૩, ૨૧, ૨૨, ૨૩... (૧૧ એટલે પ્રથમા એક વચન) વગેરે અંકે પણ લખાતા હતા. તાં સંબોધન માટે ‘હે’ લખાયેલ મળે છે. જો ચતુર્થી થઈ હોય તો તે જણાવવા માટે ‘હેતૌ’ આ રીતે લખવા પૂર્વક હેત્વર્થે ચતુર્થી જેવા સંકેતો પણ ક્યારેક આપવામાં આવતા. સંધિવિચ્છેદ દર્શાવવા માટે સંધિદર્શક સ્વર પણ શબ્દો ઉપ૨ સંધિસ્થાનમાં સૂક્ષ્માક્ષરે લખાતા હતા. શ્લોકો પર અન્વયદર્શક અંક પણ ક્રમાનુસાર લખવામાં આવતા હતા. દાર્શનિક ગ્રંથોમાં પક્ષ-પ્રતિપક્ષના અનેક સ્તરો સુધી નિરંતર ચર્ચાઓ આવે છે. આવી ચર્ચાઓનો આરંભ અને અંત દર્શાવવા માટે બન્ને જગ્યાએ દરેક ચર્ચા માટે અલગ-અલગ પ્રકારના સંકેતો મળે છે. પ્રતવાંચનની સરળતા માટે કરાયેલી આ નિશાનીઓ ઘણા જ ઝીણા અક્ષરોથી લખાયેલી હોય છે.
અક્ષર :
સામાન્યપણે વાંચવામાં સુગમતા રહે એ રીતે મધ્યમ કદના અક્ષરોમાં પ્રતો લખાતી હતી, પણ પ્રતના અવસૂરિ, ટીકા વગેરે ભાગો તથા ક્યારેક આખેઆખી પ્રતો પણ ઝીણા-સૂક્ષ્મ અક્ષરોથી લખાયેલ મળે છે કે જેનું વાંચન પણ આજે સુગમ નથી. આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે જેને વાંચવામાં પણ આંખોને કષ્ટ પડે છે તેવી પ્રતો વિદ્વાનોએ લખી કેવી રીતે હશે? તો પણ હકીકત એ છે કે આવી પ્રતો લખાઈ છે અને હજારોની સંખ્યામાં લખાઈ છે, વિહાર દરમ્યાન સગવડતાથી વધુ પ્રમાણમાં પ્રતો સાથે રાખી શકાય તેવી એક માત્ર પરોપકારની ભાવનાથી જ. વૃદ્ધાવસ્થામાં વાંચનમાં અનુકૂલતા રહે એ માટે બારસસૂત્ર જેવી પ્રતો મોટા-સ્થૂલાક્ષરોમાં લખાયેલી જોવા મળે છે. ચિત્રમય લેખન :
કેટલાક લેખકો લખાણની વચ્ચે સાવધાનીપૂર્વક એવી જગા છોડી દેતા હોય છે કે જેનાથી અનેક પ્રકારના ચોરસ, ત્રિકોણ, પટ્કોણ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, વજ, ડમરું, ગોમૂત્રિકા, ૐ હ્રીં વગેરે આકૃતિ ચિત્રો તથા લેખક દ્વારા ઇચ્છિત ગ્રંથનામ, ગુરુનામ અથવા જે-તે વ્યક્તિનું નામ કે શ્લોક-ગાથા વગેરે દેખી કે વાંચી શકાય છે. એટલે જ આવા પ્રકારનાં ચિત્રોને મુનિ શ્રી પુણ્યવિજયજીએ 'રિક્તલિપિચિત્ર' ના નામથી પણ ઓળખવા જણાવેલ છે. આવી જ રીતે લખાણની વચ્ચે ખાલી જગા ન છોડતાં કાળી સહીથી લખાયેલ લખાણની વચ્ચે કેટલાક અક્ષરો ચીવટ અને ખૂબીપૂર્વક લાલ સહીથી એવી રીતે લખતા કે જેનાથી લેખનમાં અનેક ચિત્રાકૃતિઓ નામ અથવા શ્લોક વગેરે દેખી-વાંચી શકાય છે. આવા પ્રકારનાં ચિત્રોને ‘લિપિચિત્ર' તરીકે આંળખવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રમયલેખનનો એક પ્રકાર ‘અંકસ્થાનચિત્ર' પણ છે. જેમાં, પત્ર ક્રમાંકની સાથે વિવિધ પ્રાણી, વૃક્ષ, મંદિર વગેરેની આકૃતિઓ બનાવી તેની વચ્ચે પત્રક્રમાંક લખવામાં આવે છે.
For Private and Personal Use Only
અમુક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફુલ્લિકાઓનું ખૂબ જ કલાત્મક રીતે ચિત્રણ કરાયેલું જોવા મળે છે. કેટલીક વખત આવી પ્રતો સાંના-ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે. આવી પ્રતો ખાસ કરીને વિક્રમ
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસ્તપ્રત : એક પરિચય
વિ.સં.૨૦૧૮-ફાગણ સંવત ૧પમીથી ૧૭મી સદી દરમ્યાનની જોવા મળે છે. અમુક પ્રતોનાં પ્રથમ તથા અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખાચિત્રો દોરાયેલાં જોવા મળે છે, જેને ‘ચિત્રપૃષ્ઠિકા'ના નામથી ઓળખવામાં આવે છે. ઘણી પ્રતોમાં પાર્થરેખાઓ પણ ખૂબ જ કલાત્મક રીતે બનાવવામાં આવતી હતી. સચિત્ર પ્રત:
ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃત કથા છે. પ્રતોમાં મંગલસ્થાનીય એકાદ-બેથી માંડીને મોટા પ્રમાણમાં સુવર્ણ સહી તથા અન્ય વિવિધ રંગોથી બનાવેલ સામાન્યથી માંડી ખૂબ જ સુંદર અને સુરેખ ચિત્રો દોરાયેલા મળે છે. આલેખનની ચારે બાજુની ખાલી જગામાં વિવિધ પ્રકારની સુંદર વેલ-લતા-મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરાયેલ જોવા મળે છે. જૈન ચિત્રશૈલી, કોટા, મેવાડી, જયપુરી, બુંદી વગેરે અનેક ચિત્રશૈલીઓમાં ચિત્રિત પ્રતો મળે છે, ચિત્રશૈલી અને એમાં વપરાયેલ રંગો વગેરેના આધારે પણ પ્રતની પ્રાચીનતા નક્કી થઈ શકે છે. લેખન કાર્ય :
સાધુઓ અને શ્રાવકો ભક્તિભાવથી વ્યાપક પ્રમાણમાં ઉત્તમ ગ્રંથલેખનનું કાર્ય કરતા હતા. ઘણા શ્રાવકો લહિયાઓ પાસે પણ ગ્રંથો લખાવતા હતા. કાયસ્થ, બ્રાહ્મણ, નાગ૨, મહાત્મા, ભોજક વગેરે જાતિના લોકેએ લહિયા તરીકે પ્રતો લખવાનું કાર્ય કર્યું છે. પ્રત લખનારને લહિયા કહેવાય છે. તેમને પ્રતમાં લખેલા અક્ષરો અંઘજે ગણીને મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. લેખન સામગ્રી :
પત્ર, કંબિકા, દોરો, ગાંઠ (ગ્રંથિ), લિપ્યાસન તાડપત્ર, કાગળ, કાપડ, ભોજપત્ર, અગરપત્ર વગેરે લિપિના આસન), છુંદણ, સાંકળ, સહી (મશી, મેસ, કાજળ), કલમ, ઓલિયા (કાગળ પર ઓળી-લીટી ઉપસાવવા માટે સરખાં અંતરે ખાસ ઢબથી બાંધેલા દોરાવાળું ફાંટિયું), ધૂંટી, જૂજવળ, પ્રાકાર વગેરે લેખન સામગ્રીનો ઉપયોગ થતો હતો. ગ્રંથ સંરક્ષણ :
જૈન પ્રતલેખન અને સજાવટ પર એટલું ધ્યાન આપવામાં આવતું હતું કે એક વાર જોવા માત્રથી એવી સુઘડતા, સુંદરતાના આધારે જ ખબર પડી જાય કે આ જૈનપ્રત છે કે અન્ય. પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું તેટલું જ ધ્યાન સંરક્ષણ પર પણ આપ્યું. ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડા અથવા કાગળની બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્ઞાનને જ. સમર્પિત જ્ઞાનપંચમી જેવા તહેવારો પર તે ગ્રંથોનું પ્રતિલેખન-પડિલેહન-પ્રમાર્જન કરવામાં આવતું હતું. ઢીલુબંધન એ અપરાધ તરીકે સમજવામાં આવતું હતું. પ્રતોના અંતમાં પ્રતિલેખન સંલગ્ન મળતા વિવિધ શ્લોકમાંથી એક અતિ પ્રચલિત લોકમાં ખાસ ચેતવણી આપવામાં આવેલ છે કે ‘રક્ષેતુ શિથિલબંધનાતુ'. આ જ રીતે પાણી, ખનિજ, અગ્નિ, ઉદર, ચોર, મૂર્ખ તથા પર-હસ્તથી પ્રતની રક્ષા કરવાની ચેતવણીઓ પણ મળે છે. ક્યારેક પોતાના હાથે ખૂબ જ મહેનતથી લખાયેલ પ્રત પ્રત્યેની લાગણીઓ પ્રતિલેખક આ શ્લોકો પડ્યો દ્વારા પ્રગટ થતી જોવા મળે છે. પ્રત વાંચતી વખતે એને પૂંઠામાં સાચવીને રાખવામાં આવતી તેમ જ વાંસની ઝીણી પીઓથી બનાવેલ સાદડી જેવી કવળીમાં ગ્રંથને સુરક્ષિત લપેટીને રાખવામાં આવતો.
કહેવાય છે કે મુદ્રણયુગ આવવાથી ગ્રંથોના અભ્યાસુઓ માટે ખૂબ સવલતો ઊભી થઈ છે. જેમાં ગ્રંથ ઉપલબ્ધતા, શ્રેષ્ઠ સંપાદન વગેરે પાસાંઓ એક મહત્ત્વપૂર્ણ તથ્ય છે પરંતુ વાચકો માટે અત્યંત ઉપયોગી એવી વિભક્તિ-વચન સંકેત જેવી ઉપરોક્ત સવલતો સાથે એક પણ પ્રકાશન થયેલ જોવા મળતું નથી. મુદ્રણકળાએ ગ્રંથોની સુલભતા અવશ્ય કરેલ છે પરંતુ ક્યાંક એ ભુલાઈ જાય છે કે સુલભતાનો મતલબ સરળતા એટલે કેમહાપુરુષોના ગ્રંથગત કથનના એકાંત કલ્યાણકારી યથાર્થ હાર્દ સુધી પહોંચવું-નથી થતો; સરળતા તો એકાગ્રતા, પુરુષાર્થ અને સમર્પણથી પ્રાપ્ત ગુરુકૃપાનું જ પરિણામ હોઈ શકે છે...
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રુતસાગર-માર્ચ, ૨૦૧૨
અજાણીતીર્થમંડળ-સરસ્વતીદેવી છંદ)
આ નવીન વિ. જૈન
કૃતિ વણ્ય વિષય:
પ્રસ્તુત કૃતિમાં મા શારદાના સ્વરૂપનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે. કુન્દ પુણ્ય સૌરભ પ્રસારે છે. તો સાચા સારસ્વતનું જીવનપુષ્પ જ્ઞાનની સૌરભથી મઘમધે છે. ચંદ્ર શીતલતા બક્ષે છે તો સારસ્વતના જીવનવૃક્ષની શીળી છાયામાં સંતપ્ત જીવોને સાચી શાંતિ સાંપડે છે. વૃક્ષના પાન પર પડેલું તુષારબિંદુ મોતીની શોભા ધારણ કરીને વૃક્ષનું સૌંદર્ય વધારે છે તો માં શારદાના સાચા ઉપાસકના અસ્તિત્વમાત્રથી સંસાર વૃક્ષની શોભા વધે છે. કૃતિ પરિચય:
કર્તા કવિને માતાએ રાત્રી દરમ્યાન સ્વપ્નમાં વાચા આપી તે જાણી કવિ ખુબ જ આનંદિત થઇને આળસ મુકી અને પ્રભાતમાં માં નું ધ્યાન ધરે છે અને ત્યારે વિદ્વાનના મનમાં સાચી શ્રદ્ધા ઉપજે છે અને કવિના મુખમાંથી પંક્તિ સરી પડે છે ‘તવ મેં માન્યો ચિંતા ચૂકી, પાએ લાગું હું આલસ મૂકી' ત્યાર બાદ આગળની પંક્તિઓમાં મા ના અંગોપાંગનું અને શોળ શણગારનું સુંદર વર્ણન કરે છે.
ગાથા ૧૬ મા અજાણીતીર્થમાં શ્રી મહાવીર જિનાલયની ભમતીમાં પાછલી દેહરીમાં સરસ્વતીની ઉભી મૂર્તિ છે તેનો ઉલ્લેખ કર્યો છે. મા સરસ્વતીની કૃપાથી શ્રી હેમચન્દ્રાચાર્ય, મુનિ લાવણ્યસમય, વૃદ્ધવાદિસૂરિ, કુમારપાલ રાજા, બપ્પભટ્ટસૂરિ, માઘ કવિ, ધનપાલ પંડિત, રાજા ભોજ, અભયદેવસૂરિ, મલયગિરિ, વર્ધમાનસૂરિ અને જિનેશ્વરસૂરિ વગેરે જેવા મહાન વિદ્વાનો થઈ ગયા. જેની આરાધના, સાધના ઉપાસના દેવોએ પણ કરી છે. સૂતા એવા કવિઓને પણ જગાડીને મંત્રાલરો બતાવ્યા છે. માં ની લીલાને કોઈ જાણી શક્યું નથી તેણે મૂરખને પણ વિદ્વાન કર્યા છે. માં સરસ્વતીના વિવિધ નામાંથી તેના સ્વરૂપનું વર્ણન કર્યું છે. લક્ષ્મી-સરસ્વતીના સંવાદ રૂપે વર્ણવતાં કવિ લખે છે 'તુઝ વિણ નાંણો (પૈસા-ધન) પિણ નવિ ચાલેં, લખિમીને શિર તુંહી જ માલે’ લક્ષ્મીના મસ્તક પર પણ તે રાજ છે. ભક્તોને લક્ષ્મી માટે દેશદેશાંતરમાં, અડસઠ તીર્થમાં ભમવાની જરૂરત નથી, માતા સેવકની સંભાળ કરીને મનોવાંછિત પૂર્ણ કરે છે.
અંતમાં કવિ કહે છે ઘણું શું કહું જેના નાસ્થી છલ, ચેતર, ભૈરવ, ડાયણ, યક્ષ તથા યોગિણી પણ દૂર રહે છે. વિષમ રોગો પણ જેના નામ માત્રથી શાંત થાય છે અને વાંકી વેલા (આફતના સમયે) સેવકને સહાય કરે છે. માનો કોઈ પાર પામી શક્યું નથી.
કવિ (વિદ્વાન) પરિચય:- આ કૃતિની રચના પંડિત શ્રી વિનયકુશલ ગણિના શિષ્ય કવિ શ્રી શાંતિકુશલ ગણિએ કરી છે. પ્રસ્તુત કૃતિમાં કર્તાનો વિશેષ પરિચય ઉપલબ્ધ નથી પરંતુ અન્ય કૃતિઓમાં અંજનાસતી રાસ ગાથા-૬૦૬ (રચના સં.૧ ) તેમના દ્વારા રચિત ગોડી પાર્શ્વનાથ સ્તવન ગાથા-૩૨ ૨ચના. સં. ૧૬૬૭ અને ઝાંઝરિયા મુનિની સઝાય ગાથા-૧૦૨ રચના. સં. ૧૯૭૭ સનસ્કુમાર સક્ઝાય, ગાથા-૧૮, સં.૧૯૯૭ મળે છે.
જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ પૃષ્ઠ-૧૩૪ માં વિદ્વાનની પરંપરા આ પ્રમાણે મળે છે. તપગચ્છનાયક શ્રી વિજયેસનસૂરિ શિષ્ય આ શ્રી વિજયદેવસૂરિના શિષ્ય પંડિત વિનયકુશલ ગણિના શિષ્ય શ્રી શાંતિકુશલ ગણિ. રચના કાલ:
પ્રસ્તુત કૃતિમાં વર્ષનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ વિદ્વાનની ઉપરોક્ત અન્ય કૃતિઓના વર્ષોનાં આધારે પ્રસ્તુત કૃતિનું અનુમાનિત રચના વર્ષ વિ.સં.૧૯૯૭ની આસપાસ મૂકી શકાય છે.
વિશેષતા- આ કૃતિ મૂલ અજારીમંડન મા સરસ્વતીના વર્ણનરૂપ ઐતિહાસિક કૃતિ હોય તેવું જણાય છે માટે જ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८
www.kobatirth.org
یم
અજારીતીર્થમંડન-સરસ્વતીદેવી છંદ સરસ્વતીદેવી છંદ
11॥ સરસ વચન સમતા મિન ગણી કાર પહિલા, પુર જાંણી આલસ અલાં દૂર છડી ત્રિસલાનંદન દે મંડી ૧ સરસતી સરસ વચન હું માગું તાહરું કવિત કરી પાએ લાગ્યું તુઝ ગુણ માંડી તેં ગુણ ખાંણી ખજૂરનેં માંડી તું જાંણી ૨ હરખ્યો ધ્યાંન ધરૂં પરભાતિ સુહોં વાચા દીધી રાતિ નવ મેં માંન્યો. ચિત્તા ચૂકી પોએ લાગું હું આલસ મૂકી ૩ તાહરા ગુણ પૂરા કુંશ કર્યું તુઝ તૂરું મુઝ મેનગ હમેં બાલૂડો જે બોલે કાલું તેં માતાનું લાગે વાહલો ૪ તું ગજ ગમણી ચંદા વયણી કટટિ લંકી સીહ લહ ઇં અંગુલિ સુરંગી રૂપ અનોંમ ઘણું કરવાંણી કેરા કહે પ તું અસૂર સવારે જેહને પતિખ સુંહશે આવી ભાત કહે
ણિ વાતે ગાઠો જાઇં નાઠાં જડા પણાં રિંગ કાંઇ હૈં ૬ તું સક્તિ રૂપિં માંડી વિ સલૐ ચામર છત્ર શિર ઉપરિ ઝલકે ઝિગમગ ઝગમગ જ્યાંતિ વિરાજે તાહરા કવિત કર્યાં તે છાજે ૭ દત્ત પંતિની માંડી આંલી જાણ ભઇડી હીરા ટાંક્ષી જીહા જાણિ અમીની ગોલી તિલક કર્યો કસ્તૂરી ઘોલી ૮ કાંનેં કુંડલ ઝાક માલા રાખડીઇ આપ્યું તે બાલા હંસાણિ હું તે બાલા મુગનાકાની કરી જપમાલા ૯
૧
નખ ફૂલી નાકે તે રૂડી દક્ષિણ કાશી અંગે વિરાજે તાહરી વેણિ વાસિંગ વાર્મિંગ વીઓ તે
1
4's
و
કરિ
જજ
14
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૮-ફાગણ
ખલકે સોનાની ચૂડી
બોલ તે તુઝે છાજે છ પાતાલેં જઈને વસીઓ
રવી શી મંડલ ારા જાંણું તાહરૂં તેજ નિષ્ણે ન ખમાણું ૧૧ રામતિ ક્રીડા કરતી આવે માં ધરે પદમાસન વાલેં પાએ ઝાંઝર ધૂધર ધમકે દેવ કુસુમ પહિર્યાં તે બહુ ૧૨ ચ્યાર ચતુર ચં ચતુરંગી મુખ આરોગે પાંન સુરંગી કં શુક કરણ કર્યું નવરંગી ગૌરવર્ણ જિમ સોહેં ગંગી ૧૩ બ્રહ્મ સ્વરૂપી પુસ્તક વાચે ગગનિ ફિર તુ હાથ કમંડલ વીણ વજાવું રંગ ૨મેં ૧૪ જે ઠોઠા મુરીખ કાંઇ નહીં લહતા તુ” નાંમાખ્યરે ધ્યાન ધરે
ચંચલ
૧૫
૫ =
તે વડા કીસ્વરે કલિયુગ માંહે ખડી છાલ કવિત્ત ક૨ે ૧૫
તું વીર ભુવન છે પાલિ દેહરી ભમતી માંહિ દેતી ફેરી મેં દીઠી ન ઉભી હતુ અઝારી નવી નદી ૧૩
For Private and Personal Use Only
૧. સમતા, ૨. માંડવી ઉજમ આવ્ઝિ, ૩. તે, ૪, ગહ રહસ્ય, ૫. રી. ૬. પો, ૭. સુવિસાલા, ૮. કર, ૯, ૬, ૧૦, ૨, ૧૧. જ્યું જ્યું, ૧૨. વર્ણે, ૧૩. સુ, ૧૪, ૫, ૧૫. સિ, ૧૬. ધરણી ભમેં તુ,
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રુતસાગર-માર્ચ, ૨૦૧૨
અજારીતીર્થમંડન-સરસ્વતીદેવી છંદ
હેમાચારિજ તૂં પણિ દીઠી કાલીદાસને ભૂંહી જ તૂટી
અનુભૂતિ સન્યાસી લાધી મુની લાવણ્યસમેં હૂં સાધી ૧૭
16
વૃદ્ધિવાદ ડોકર પણૅ આવી કુંમારપાલ મન તુંહિ જ ભાવી મુરિખ ચેટને કર્યો તમસો બપભટ્ટસૂરી મુખ વાસો ૧૮
Re
www.kobatirth.org
ધ
1
26
માત્ર કવીશ્વરને મનમાંની ધનપાલથી ન રહી છાંની રાજા ભોજે ભલી ભમાડી સુરનર વિદ્યાધર માડી ૧૯ અભયદેવને સોહણો રાતિ મલયાગિરિ જાણે પરભાતિ વર્તમાંનસૂ૨ી પ૨સિદ્ધી સૂરિ જિંગ્રેંસરનેં વ૨દીાં રુ તેજ રૂપ ચાર્લી ચમકંતી મહીલ દીસેં તુહિ ભમંતી તાહરી લીલા કાંઈ ન પાલ ત્રીહું ભવન એકેલી ચાલ સૂતા કવીને તું હી જગાડું મંત્રાશ્ચર પિણ ભૂંહી દેખાડ કાંમરૂપ હૂઁ કાલીદેવી આગ દેવ ઘણું રે સેવી ૨૨ ત્રિણ રૂપ ધરે બ્રહ્માંણી આદિ ભવાંની તૂં જગિ જાંણી વ્રહ્મસુતા હૂં કામ વખાંણી તું જગદંબા તું જરંગ જાંણી 23 જ્વાલામુખી તું માંગિનિ ભાલી તું ભૈરવી ત્રિપુરાબાલી અલવ ઊભી તું અંગહ વાલી નાટિક છંદ બજાવે તાલી ૨૪ છપ્પનકોડિ ચાંમુંડા આઈ નગરકોટ તુંહી જ મહમાઈ સાસનદેવી હૂઁ સુખદાઈ તુ પદમા તુંથી વાર દાઈ પ તું અંબાઈ હૂઁ અંબાઈ તું શ્રીમાતા તું શ્રુતદાઈ તું ભારત તુંહી ભગવતી આદિ કુંખરી તું ગુણસતી ૨૬ તું વારાહી સૂંહિ ચંડી આદિ વ્રહ્મ પણિ તુંહિજ મૂડી તુરુ વિણ નાંણાં પિણ નવિ ચાલે લખમીને શિર તુંહીજ માણેં ૭ હરીહર વ્રહ્મ અવર જે કોઈ તાહરી સેવ ક સહૂ કોઈ દેશદેશાંતર કાંઇ ભમીજું અડસઠ તીરથ તુઝ ફલત મીઇ ૨૮ મન વંછિત દાતા મતવાલી સેવક સાર કરે સંભાલી ઘણું કિશું કહું વાલી વાલી વાંકી વેલા તું રખવાલી તું ચાલકને ચાચરાણી નીલા લિંબાનિ ધણીઆણી તું ચપલા હૂં ચારણદેવી ખોડિઆર વીસહસ્થી સમરેવી ઝ વાંણી ઘ૨ માંગુ વરદાઈ તું આવડતું માડ માઈ તું દેવલ તુંહિ ભલિ આવી તું વિરુદ્ઘી (વેરોટચા) તુંહી ચંડાઈ ૧ દેવી હૂઁમેં પતિખ દીઠી હું જાણું તું મુઝન તુટ્ટી પતિખ વાત કરેં તું બેઠી તાહ તું મનસ્યંતર પેઠી કર
- ।
-
29
3]
૨૧
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
૧૭. હૈં, ૧૮. ધ, ૧૯. દી, ૨૦. ૪, ૨૧. સુહશે, ૨૨. ધ, ૨૩. માલ, ૨૪. ખાંણી, ૨૫. ચંડી, ૨૬. કુમારી, ૨૭. પિણ, ૨૮. પ્યુ, ૨૯. ખ, ૩૦. સુખ, ૩૧. નિ, ૩૨. તું ભાસંડી તું વરદાઇ તું દેવલ તું ભલે આઇ, ૩૩. ભીંતર, ૩૪. ભીંત૨,
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
અજારીતીર્થમંડન-સરસ્વતીદેવી છંદ
૩૫
છલ વ્યંતર તુઝ નાંમેં નાએઁ ભય૨વ ડાયણ અલગા વાર્સે વિષમ રોગ જખ્ય (જસ) યોગિણિ ભારેં તું સબહી સબલાં સ્પ્રે ગાજે ૩૩ કવિતા કોડિ ગમે જે સોહૈં તાહરો પાર ન પામેં કાંઈ આદિ શંભૂ તું બેઠી સોહૈં હૂં દીઠેં સારો જગ મોહેં ૩૪ લશ
35
૭૪૨૮૦
૧૪૯૬૭
૧૪૦૫૮
૨૮૨૨૯
www.kobatirth.org
સુલલીન સરસ સાકર સમી અધિક અનોપમ જાંણિ વિનયકુશલ પંડિત તણી કરી સેવ મેં લાધી વાંશિ કવિ શાંતિકુશળ ઉલટ ારી નિજ હીચર્ડે આંણી કર્યો છું. મન૨૫ કાર સમરી સારદા વખાંણી
પ્રતિલેખન પ્રશસ્તિઃ- લખતુ સુખસાગરેણી
પ્રતિલેખન વર્ષ સંવત ૧૮૭૩ વર્ષે ફાગુણ સુદ ૭ મેં લખાઈ છે. પ્રતિલેખન લ- સાંઢાનગરમાં લખાઈ છે.
તવ તુરત બોલી સારદા જો છંદ કીધો ભલી ભગતે વાચા માહરી
હું તૂઠી મેં વધુ દીધો હૂં. લીલ કરે આસ ફલસ્યું તાહરી પ ઇતીશ્રી સરસ્વતી છંદ સંપુર્ણ:
૧૮૭૦
૧ થી ૧૯ વી.
39
ગ્રંથ પરિચય:-ગ્રંથકુલ ૪ પાનાનો છે. સંપૂર્ણ છે. શ્રેષ્ઠ છે. અક્ષરો સુંદર અને વાચ્ય છે. પાર્શ્વ રેખાલાલ૧અર છે. પ્રતનું માપ લંબાઈ ૨૫.૫૦ સે.મી. પહોળાઈ ૧૧:૫૦ સે.મી.। પ્રતિ પૃષ્ઠ પંક્તિ સંખ્યા ૧૧ છે. અને પ્રતિ પંક્તિ અક્ષર લગભગ ૩૧ છે.
૩૫. નાસઇ, ૩૬, સોમલ, ૩૭. વાંકા.
પ્રતુત કૃતિની કુલ-૨૯ પ્રતો કોબા જ્ઞાનભંડારમાં છે. જેમાંથી બે પ્રતોની પસંદગી કરવામાં આવી છે. અક્ષરો સુંદર અને વાચ્ય છે, તેને ધ્યાનમાં રાખીને આ કૃતિનું સંપાદન કરેલ છે. મુખ્ય રૂપે પ્રત નં. ૭૪૨૮૦૬ નંબ૨ને રાખેલ છે. અને પાઠાંતર માટે ૨૯૨૧૦૩ ની વ્રતની સહાયતા લઇ પાઠાંતર મુકવામાં આવ્યા છે.
ઉપરોક્ત ગ્રંથો આ. શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમન્દિર (કાંબા-ગાંધીનગર) માં સુરક્ષિત છે.
।। કેટલાક ગાથા ક્રમાંક અને નાના-નાના પાઠાંતરોને બાદ કરતાં, વધુ સમાન પાઠ મળતા હોય તેવી પ્રતોના નંબર અહીં આપ્યા છે. પ્રત નં.૭૩૪૫,૧૨ ૨૦થી. ૧૪૦૫૮,વર્ષ-૧૮૭૦, ૨૫૦૦૯,વર્ષ-૧૯૯વી, ૨૮૨૨૯,વર્ષ૧૯વી, ૩૨૧૮૬,વર્ષ-૧૭૯૩. ૪૦૭૫૧,વર્ષ-૧૯-વી. ૭૬૨૭૨,વર્ષ-૧૯વી.
સરસ્વતીદેવી છંદ પ્રત ને, ભિન્ન-ભિન્ન પાઠ વાળી પ્રતો, પ્રત નં ૬૫૫ વર્ષ ૧૮૧, ૧૪૯૬૭-૧૯ વી. પ્રત વિગત
માહિતી
વર્ષ વિશેષ (૨૦)
૩૪।
અક્ષર (મોટા) મધ્યમ છે.
૨૯૨૧૦
અક્ષર (મોટા) મધ્યમ છે.’
૧ થી ૧૮૭૩ ૬-૬-૧૯વી.
૨૫૦૦
અક્ષર સામાન્ય છે. સાઇજ મિડિયમ
૪૨૮૮૧
૧-૨-૧૮૬૮
૪
૧ થી વર્ષ-૧૯૮૦
૧-૨ ૧૮વી.
પેજ-૪-૬. ૧૮૩૮
મધ્યમ.
અઢાર (મોટા) મધ્યમ છે.
અક્ષર (મોટા) મધ્યમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮ ફાગણ
For Private and Personal Use Only
અક્ષર સામાન્ય છે. સાઈજ મિડિયમ
અક્ષર નાના છે વાંચવામાં થોડી મુશ્કેલી થાય તેવા છે. અક્ષર નાના છે વાંચવામાં થોડી મુશ્કેલી થાય તેવા છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રુતસાગર-માર્ચ, ૨૦૧૨
ધ્યાનશતક
મોટપાહડ
તત્ત્વાર્થસૂત્ર
સમર્પિતંત્ર
ઇષ્ટોપદેશ
સમાધિશત
પરમાત્મપ્રકરણ
યોગસાર
યોગશતક
સુપ્રસિદ્ધાંત
યોગ વિંશિકા
યોગદષ્ટિ સમુચ્ચય
યોગબિન્દુ
માંડશક
ચોગ અને ધ્યાનવિષયક ગ્રંથસૂચિ
શું આપને યોગ અને ધ્યાન વિષે જિજ્ઞાસા છે ? આપના સ્વાધ્યાય-અધ્યયનમાં નીચેના ગ્રંથોને સ્થાન આપો તો સ્વાધ્યાયના આનંદની સાથે સાથે યોગમાર્ગના પ્રવાસી બનીને ધ્યાનની ક્ષિતિન્નેને લી શકો. સતાપુરાના સર્જનો આપણને અહંના વિસર્જનપૂર્વક અહંની યાત્રાએ ગતિ કરવા પ્રેરે છે.
સંવનામ
રચનાકાર
શ્લોક
ભાષા
આત્માનુશાસન
યોગસાર પ્રાભૂત
જ્ઞાન્સાર
તત્વાનુશાસન પાહુડોહા
જ્ઞાનાર્ણવ
યોગશાસ્ત્ર
અધ્યાત્મરહસ્ય
યોગસાર
યોગપ્રદીપ
અધ્યાત્મસાર
અધ્યાત્મ ઉપનિષદ
ચાંગાવનાર બનીશ
યોગવિશિકા
યોગષ્ટિની સજામ
જ્ઞાનસાર
માનદીપીકા
વૈરાગ્યશતક (શમશતક)
અધ્યાત્મ મલમાતક
અધ્યાત્મનન્યાવક
સામ્યશતક
યોગપ્રદીપ (અધર્મી
પંચપરમેષ્ઠી મંત્રરાજ બાનમાલા
જિનદ્રષ્ટિ તમામમા કુંદકુંદ આચાર્ય
ઉમાસ્વાતિ
www.kobatirth.org
પૂજ્યપાદ વનંદિ
પુજ્યપાદ દેવદિ
પૂજ્યપાદ દેવમંદિ
યોગીન્દુદેવ
યોગીન્દ્રવ
હરિભદ્રસૂરી
હરિભદ્રસુરી
હરિભદ્રસૂરી
અભિદ્રસુરી
હરભદ્રસૂરી
કરિંભદ્રસૂરી
ગુભા
આમ ત
પદ્મન
નાગસેનાચાર્ય
રામસિંહ
શુભચંદ્ર
હેમચંદ્
આશાધર
અજ્ઞાત
અજ્ઞાત
મોવિજયજી
યાંવિજયજી
યોવિજયજી
યશોવિજયજી
યોવિજયજી
યશોવિજયજી
સચ્ચે છે
પદ્માનંદ
સમય
૩મી સદી
રજી સદી
૪થી સદી
પમી સદ
૫મી સદી
૫મી સદી
૬ઠી સદી
ઉઠી સદી
૭મી સદી
૭મી સદી
૭મી સદી
૭મી સદી
૭મી સદી
૩મી સદી
મી સદી
રામલ્લ
ન્યાયવિજયજી
૧૧મી સદી
૧૧મી સદી
૧૦મી સદી
૧૨મી સદી
૧૨મી સદી
૧૩મી સદી
૧૨મી સદી
૧૩મી સદી
૧૭મી સદી
૧૩મી સદી
૧૭મી સદી
૧૭મી સદી
૧૩મી સદી
વિ.સં.૧૨૧
૨૫૬
૨૦૪
૧૦૩
૧૦૧
૭૫૮
સિંહસૂરિ
૧૦૭
મંગલવિજય
૬૦૪૯
કવિનૅમિદાસ રામજી
૧૦૨
(સંકલન) ડૉ. પૂર્ણિમા મહેતા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - પૂરક માહિતી પં હિરેન દોશી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૧૬૩૨
વિ.સં.૧૯૯૯
વિ.સં.૧૯
વિ.સં.૧૭:૫
૧૦૦
૧૦૩
૩૪૪(સૂત્ર)
૧૦
૫૧
૧૦૫
૩૪૫
૧૦૩
૧૦૧
૪૨૩
૨૦
૨૨૭
૫૨૭
૨૫૬
૨૭૧
૫૪૦
૬૩
૨૫૯
૨૨૨
૨૨૩૦
૧૨૦૦
કર
૧૦૬
૧૪૩
૪૬
૨૩૧
૩૨
૧૧
પ્રાકૃત
પ્રાકૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
અપભ્રંશ
પ્રાકૃત
સંસ્કૃત
પ્રાકૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
અપભ્રંશ
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
મારૂ ગુર્જર
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
વિ.સં.૨૦૬૮-ફાગણ
(ભોજન કંઈ ભાદરૂપ ન બને છે
ભદ્રબાહુવિજય સૌરાષ્ટ્રની શસ્યશ્યામલા ધરતીનો એક ભાગ હાલારના નામથી પ્રખ્યાત છે. ત્યાંનું એક નાનકડું ગામ સરપદડ. સરપદડ ગામમાં શામજી શેઠ પોતાની દુકાને બેઠા છે. સાંજની વળા છે. સુરજ ક્ષિતિજના ખોળે સરકી રહ્યો છે. એક આધેડ ઉંમરનો માણસ નામ હતું સામંત ચરોડા શેઠની દુકાને આવીને રસોઇ પાણી બનાવવા માટે જરૂરી સામાન માગે છે. શામજી શેઠ માણસ પારખું હતા. એમને થયું આ માણસ દૂરના કોઇ મુલકનો લાગે છે. દેખાય છે પાછો તેજસ્વી અને જસ્વી ! પૂછી લીધું :
કાં બાપુ....ક્યાંથી આવવાનું થયું છે આહીં ? લાગો છો તો દૂરના ક્યાંક ને ! હા ભાઈ... દૂર ગીર મુલકથી આવ્યો છું....
તો હાલોને આપણે ઘેર. મારી જોડે જ જમજે, મને મહેમાનગતિ કરવાનો મોકો આપો... ઉપરવાળાની રહેમ નજર છે ! અતિથિને ખવડાવવા જેટલું તો એણે ખોબે ભરીને દીધું છે !
સામત. તો શેઠની વાત સાંભળીને અને પોતાપણાની લાગણી જોઇને ખુશખુશ થઇ ઊઠ્યો, બંને સાથે જ ઘેર આવ્યા, શેઠાણી પણ એટલા જ વિવેકી અને મળતાવડાં ! આંખ અને અંતરના ઉમળકાથી સામંતને સત્કાર્યા. બહુ આગ્રહ કરી જમાડયા. રાત્રે મુકામ પણ શેઠે ત્યાં જ કરાવ્યો. સવારે પાછો દૂધ-શિરામણ કરાવ્યું....જતી વખતે સામત ચરોડાએ શેઠાણીને પોતાની બહેન માની અને ક્યારેક ગીરમાં આવવાનું.....સામંતની મહેમાનગતિ માણવાનું આમંત્રણ આપ્યું, વરસો વીતી ગયા....આ વાતને ! સ્મૃતિઓની શીપમાં સંબંધનું મોતી જરૂર અકબંધ રહ્યું.
ગીરની ગરવી ધરતી ઉપર એક મોટા વેપારીના દીકરાની જાન વાજતેગાજતે ધૂમધામ અને સાજશણગાર સાથે જઇ રહી હતી. મજાક મસ્તી અને રંગ-રાગનો માહોલ રચાયેલા હતા.....અને અચાનક જાણે કે ધરતીમાંથી નીકળી આવ્યા હોય તેમ બહારવટિયાઓનું એક ટોળું ત્રાટક્યું અને જાનને ઘેરી લીધી. રૂપિયા-પૈસા અને ઘરેણાં જે હાથ લાગ્યું...તે ગાંસડીઓ બાંધી બાંધીને રવાના થઈ ગયા. ઝડપથી એ જતા હતા ત્યાં સામેથી સામંત ચરોડા ચારણ આવતા દેખાયા. રામ રામ કર્યા અને કહ્યું....આજે તો માં અંબા ભવાનીની કૃપા ઊતરી છે...બહુમાલ હાથ લાગ્યો છે. ભવાનીનું દેરું બનાવશે અને બાકીનો માલ બધો વહેંચી લઇશું..વરસ સુધી લહેર કરાય એટલો દલ્લો મળ્યો છે!
પણ કોને લૂંટ્યા છે તમે ? એ વેપારીની જાનને...અરે દાદા, શું ઠાઠ-ઠઠારો...ઘરેણાં.....સોનુંરૂપું તો અઢળક ! તો શું સરપદડના શામજી શેઠના દીકરાની જા હતી કે ? દાદા... નામ તો એવું કંઇફ સંભળાણું..પણ હું દાદા, તમારે કેમ કરી ઓળખાણ એની જડે ?
અરે મારા દીકરાઓ તમે તો ગજબ કર્યો...કેર વર્તાવી દીધો...આ એ શેઠની કંકોતરી તો છે મારા હાથમાં....અને હું ત્યાં જ જઇ રહ્યો છું ! હવે એક કામ કર....મને તમારી આ કટારી આપો... એટલે મારા નાક-કાન કાપીને છાતીમાં કટારી ખોસી દઉં !
પણ દાદા... આવું તો વિચારવુંય અમારા માટે રિકમાં જવા બરાબર છે ! તમે તો અમારા પૂજ્ય અને આદરણીય કહેવા !
તો પછી બધો માલ જેમનો તેમ લઇને બે જણ મારા ભેળા હાલો....પાછા ! શામજી શેઠનો બધો માલ જેમનો તેમ એમને આપી દેવાનો છે....અને સામંત ચરોડા બધો માલ લઇને પહોંચ્યો. આ બાજુ શામજી શેઠ તો સાવ સૂનમૂન થઈ ગયા હતા. ચારે બાજુ સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. સામત ઓળખાણ કાઢી અને કહ્યું : જુઓ તો ખરા મારા શેઠ ! શું આમ દીવેલ પીધા જેવું મોટું કરીને ઊભા છો
.. મારા ભાણેજનાં લગ્ન માટે મામેરામાં શું નું શું લઇ આવ્યો છે એનો આ મામો ! લઇ લ્યો... બધા પોતપોતાનો માલ લગીરે ઓછું હોય તો કહેજો....અને બધી ગાંસડીઓ ખુલી ગઈ.
શામ શેઠ અને શેઠાણી....બધા સગાવહાલા, નાતીલા....સામંત ચાંડાની જવાંમર્દી અને દિલરી ઉપર આફરીન પોકારી ઉઠયા ! શેઠાણી તો માનેલા ભાઇના ઓવારણા લેવા માંડી.....
ખવડાવેલું ક્યાંયે ખાલી જતું નથી.....ભલે ને અજાણ્યા... અપરિચિત.... અતિથિને ખવડાવો !
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃતસાગર-માર્ચ, ૨૦૧૨
(પુસ્તક પરિચય) જય વીથશય (સવિવેચન તેર પ્રાર્થનાઓ)
આચાર્ય હેમચંદ્રસૂરિ પ્રકાશક-સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, મુંબઈ પ્રથમ આવૃત્તિ, વિ. સં- ૨૦૧૬ કિંમત રૂ. ૮૦.૦૦
* કનુભાઈ શાહ જિનમંદિરમાં પ્રભુ પૂજા બાદ ચૈત્યવંદન કરવામાં આવે છે અને ચૈત્યવંદનના અંતે “જય વીયરાય' સૂત્ર પ્રણિધાનપૂર્વક બોલાય છે. ભગવાનની ભક્તિથી સભર થયેલા ચિત્તથી શ્રાવક-શ્રાવિકા ભગવાન પાસે યાચના કરે છે તેથી આ સૂત્રને પ્રાર્થનાસૂત્ર કહેવાય છે.
આ સંસાર સાગર પાર કરવા માટે ભગવાન પાસે આવશ્યક વસ્તુઓની યાચના કરીને પ્રસ્તુત સુત્રથી તેમાં યત્ન કરવાનું પ્રણિધાન કરવામાં આવે છે, તેથી આ સુત્રને પ્રણિધાન સૂત્ર પણ કહેવાય છે.
આ સુત્રની બે ગાથા ગણધર ભગવંતોએ રચેલી છે અને પછીની ત્રણ ગાથા પૂર્વાચાર્ય દ્વારા રચાયેલી છે. આ સૂત્રમાં જે તેર યાચના કરવામાં આવી છે તે નીચે પ્રમાણે છે. હે વીતરાગ, આપ જય પામી ! હે જગદ્ગુર, આપ જય પામાં! ભવનિર્વેદ - સંસાર પર વૈરાગ્ય. માર્ગાનુસારીપણું- તત્તાનુસારીપણું. કદાગ્રહ• ત્યાગ. ઇષ્ટ સિદ્ધિ- પ્રભુ ભક્તિમાં અનુકૂળતા રહે તેવી આ લોકના સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ.
લાકવિરુદ્ધ ત્યાગ-નિંદા, ગુણિયલ પુરષોની વિશેષ કરીને નિંદા, દેશાદિ આચારોનું ઉલ્લંધન વગેરે લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ.
ગુરુજનપૂજા- માતા-પિતાદિ વડીલોની સેવા. પરાર્થકરણ- પરોપકાર કરવાની મનોવૃત્તિ. શુભ ગુરનાં યોગ- ઉત્તમ શ્રેષ્ઠ પંચાચાર પાલક ઉત્તમ સંયમી ગુરુનો યોગ. તેમના વચનની સેવા- સંયમી ગુરુઓના વચનનું યથાર્થ પાલન .
ભવના અંત સુધી અંખડિતપણે તમારા ચરણની સવા- હે પ્રભુ ! તમારા શાસનમાં ભક્તિના બદલામાં કોઇપણ વસ્તુની માગણી કરવાનો નિષેધ હોવા છતાં હું પ્રાર્થ છું કે મને ભવોભવ તમારા ચરણોની સેવા પ્રાપ્ત થાઓ.
દુ:ખનો ક્ષય થાઓ, કર્મનો ક્ષય થા, સમાધિમરણની પ્રાપ્તિ થાઓ, બોધિલાભ પ્રાપ્ત થાઓ- આ સંસારથી તરવા માટે દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય અને સમાધિમરણ આવશ્યક છે, તેમ બોધિ લાભ પણ અતિ આવશ્યક છે. બોધિલાભ દ્વારા એ વ્યક્ત કરવામાં આવે છે કે, દરેક ભવમાં ભગવાનનું શાસન મને પ્રાપ્ત થાઓ'
આ પુસ્તકમાં આ સૂત્રની તેર પ્રાર્થનાઓનું વિશદપૂર્ણ વિવેચન પ.પૂ. આચાર્ય ભગવંતશ્રીએ કર્યું છે. શાસ્ત્રગ્રંથોના અનેક આધાર ટાંકીને પ્રાર્થનાઓનું સુંદર વિશ્લેષણ કરવામાં આવ્યું છે, “જય વીયરાય' સૂત્ર મૂળ, ટીકા તથા તેનો અનુવાદ પ્રથમ પરિશિષ્ટમાં પ્રગટ કરી ચૈત્યવંદનનો મહિમા સમજાવ્યો છે. તેમજ વિશેષ ભાવની પ્રાપ્તિ થાય તે માટે પાછળ બે પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. જેમાં ચૈત્યવંદનથી સંબંધિત શાસ્ત્રીય પદાર્થોની વિવેચના ૨ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
“જય વીયરાય' સૂત્રનો સારી રીતે અર્થ બોધ થાય, વિવેચન દ્વારા એના પર અતિશય શ્રદ્ધા-બહુમાનાદિ જાગે એ રીતે આ સૂત્રની સાચી સમજણ અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
આંખોની તપાસ ૩૮ દાંતની સારવાર ૩૬
શ્રી મહાવીર જૈન આાધના કેન્દ્રના સમાચાર
સંસ્થામાં આયોજીત સર્વ રોગ નિદાન-સારવાર શિબિર
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનાઉપક્રમે રજત જયન્ત મહોત્સવ અંતર્ગત તા. ૨૯-૧-૨૦૧૨ના દિવસે સંજીવની હેલ્થ એન્ડ રીલીફ કમિટિ, અમદાવાદના સહયોગથી વિનામૂલ્યે સર્વ રોગ નિદાન સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની સંજીવની સંસ્થાના ડૉ. પંકજભાઈ શાહના નેતૃત્વમાં આઠ ડૉક્ટર્સ તથા અન્ય સયગીઓની ટીમ આ કાર્યક્રમ માટે સવારે ૯.૧૫ કલાક આવી હતી. ૧૦ વાગ્યાથી પ્રારંભાએલી આ શિબિરમાં સહુ પ્રથમ સંસ્થા વતી કારોબારી સભ્યશ્રી રજનીબાઈ શાહે બધાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંજીવની સંસ્થાના સક્રિય કાર્યકર દિવંગત હેમન્તભાઈ કાપડિયાને ડૉ. પંકજ શાહે શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારબાદ ડૉક્ટરોએ શિબિરની શરૂઆત કરી હતી, સર્વ પ્રથમ શિબિરાર્થીઓનું રજીસ્ટેશન કરવામાં આવતું હતું. સારવારની અંતર્ગત આંખોના વિશેષજ્ઞ, દાંતના વિશેષજ્ઞ, હૃદય રોગના વિશેષજ્ઞ તથા અન્ય જનરલ ફિઝિશિયન વગેરેની દેખરેખમાં લગભગ ૩૦૦ જણાનું રજીસ્ટ્રેશન થયું હતું. શિબિર અંતર્ગત નીચે પ્રમાણે સારવાર આપવામાં આવી હતી.
ચશ્મા આપવામાં આવ્યાં ૪૫ ઇસીજી (કાર્ડિયોગ્રામ) ૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૮-ફાગણ
ડાયાબિટીસ ટેસ્ટ
જનરલ તપાસ
૬૬
૨૩૬
કુલ
૪૩૮
દરેક શિબિરાર્થીને જરૂરી દવાઓ, સલાહ સૂચન, ભવિષ્ય માટે જરૂરી નોંધોની સાથે બિસ્કિટ તથા સીંગદાણાના પેકેટ પણ આપવામાં આવ્યા હતાં. આ તમામ લાભ સિંગાપુર નિવાસી શ્રી નિમિષભાઈ પ્રવિણચંદ્ર શાહ પરિવારે લીધો હતો.
સંસ્થા તરફથી ડૉક્ટરો તથા તેમની સમગ્ર ટીમ માટે ચા-પાણી તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શિબિરનું આયોજન સર્વ શ્રી બી. વિજય જૈનની દેખરેખ હેઠળ થયું હતું.
યાત્રિકોનું આગમન
For Private and Personal Use Only
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાતીર્થ ખાતે ફેબ્રુઆરી માસમાં દરમ્યાન ૧૦ જુદા-જુદા સંઘો પધાર્યા હતા કુલ ૧૫૦ જેટલા યાત્રિક ભાઈ-બહેનોએ પરમાત્મ દર્શન, પૂજન, આરાધના, ભક્તિ કરીને પોતાના જીવનની પળોને ધન્ય બનાવી હતી આ દિવસો દરમ્યાન લધુ-શાંતિ સ્નાત્ર પુજન, સિદ્ધચક્રપૂજન, ભક્તામર પુજન, પંચકલ્યાણકપૂજ, સ્નાત્રપૂજા વગેરે દ્વારા પ્રભુ ભક્તિ કરવામાં આવી હતી.
રજતજયંતિ મહોત્સવ
તા. ૨૪.૦૧.૧૨, મંગળવાર મહાવદ ૧૦ થી મહાસુદ ૧૪ મંગળવાર તા. ૦૭.૦૨.૨૦૧૨ દરમ્યાન સંસ્થાના શ્રી મહાવીર જિનાલયની સ્થાપના તથા પ્રતિષ્ઠાને ૨૫ વર્ષની પૂર્ણાકૃતિ તથા પ. પૂ. આચાર્ય શ્રી અમૃતસાગરસૂરીશ્વરજી મ.સ. ના જીવનના ૬૧ વરસમાં પ્રવેશ નિમિત્તે ૧૫ દિવસીય પ૨માત્મ્ય ભક્તિ મહોત્સવનું માયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જુદાજુદા મહાનુભાવો તરફથી વીશસ્થાનમહાપૂજન, લધુ શાંતિસ્નાત્ર અઢાર અભિષેક ઇત્યાદિ વિવિધ મહાપૂજનો તથા અન્ય પુજાઓ રાખવામાં આવી હતી. આ મહોત્સવ દરમ્યાન નૂતન દીક્ષિત મુનિશ્રી શ્રમણપદ્મસાગરજીની વડી દીક્ષા પણ રાખવામાં આવી હતી.
મહોત્સવ દરમ્યાન ગીત-સંગીતમયી પરમાત્મ ભક્તિ માટે શ્રી કિરીટભાઈ ઠક્કર પધાર્યા હતા.
તા. ૦૬ ૦૨.૧૨ના દિવસે જિનાલયની વરસગાંઠ નિમિત્તે દેરાસરના ત્રણે શિખરો ઉપર નવી ધ્વજા ચઢાવવામાં આવી હતી. સાથે જ રત્નમંદિર તથા ગુરૂમંદિર ઉપર પણ ધ્વજાઓ ચઢાવવામાં આવી હતી. ધ્વજારોહણના આ પ્રસંગે પૂ. આચાર્ય ભગવંતના શિષ્ય યુવા ઉર્જસ્વી ગણિવર્યશ્રી નવપદ્મસાગરજી મ. સા.પણ પધાર્યા સંતા. ધ્વજારોહણ બાદ તેઓશ્રીનું મંગલ પ્રવચન રાખવામાં આવ્યું હતું. ટ્રસ્ટ મંડલ તરફથી પુજ્ય ગુરુભગવંતોને કામળી વહોરાવવામા આવી હતી.
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃતસાગર-માર્ચ, ૨૦૧૨
સમાચાર જેના દ્વારા પ્રસ્તુત ૪ D.V.Dના સંપુટનો સંઘાર્પણ સમારોહ અમેરિકા સ્થિત જૈના સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વખત જૈન સાહિત્યના મહત્વના પુસ્તકો, સામયિકો, લેખો, ગ્રંથો વગેરેને સ્કેન કરીને કમ્યુટર-ઈન્ટરનેટ દ્વારા જિજ્ઞાસુજનો માટે સુલભ બનાવવામાં આવી રહ્યા છે. આ શૃંખલામાં ૨ વરસ પહેલા ૪ D.V.Dનાં એક સુંદર સંપુટ પાટણ ખાતે પૂજ્ય શ્રુતવારિધિ મુનિશ્રી જંબૂવિજયજી મ.ની સ્મૃતિમાં એમના શિષ્યો મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા પંન્યાસશ્રી પુંડરિકરત્ન વિજયજી આદિ સાધુ-સાધ્વી અને ચતુર્વિધ સંધની હાજરીમાં શ્રી સંઘને અર્પણ કરવામાં આવ્યો હતો.. એવો જ બીજો સંપુટ જેમા D, V.Dનું પ થી ૮ નું સંકલનું છે અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના જિનાલયના રજતજયંતિ મહોત્સવ પ્રસંગે તા. પ-૨-૧૨ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અમૃતસાગરસૂરિજી મ.સા. તથા પૂજય આચાર્યભગવંતશ્રી કલ્યાણ બોધિસૂરિજી મ.સાહેબ આદિ મુનિ ભગવંતોની નિશ્રામાં સંઘાર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈન સંધના અગ્રણી શ્રી શ્રેણિકભાઈ લાલભાઈ, શ્રી સંવેગભાઈ લાલભાઈ, શ્રી સુધીરભાઈ મહેતા, શ્રી પ્રેમલભાઈ કાપડીયા વગેરે મહાનુભાવો તથા સુપ્રતિષ્ઠિત પ્રજ્ઞાપુરુષો પદ્મભૂષણ શ્રી મધુસૂદનભાઈ ઢાંકી, શ્રી સાગરમલજી જેન જેવા ખ્યાતિપ્રાપ્ત વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના મુખપત્ર કૃતસાગરના નવીનતમ અંક સાથે એનું પુન:પ્રકાશન કરીને શ્રી સંઘને સમર્પિત કરવામાં આવ્યું હતું. જેના સંસ્થા તરફથી શ્રી રમેશભાઈ દોશીએ જ્ઞાનમંદિરને પ૧ હજારનો ચેક અર્પણ કર્યો હતો. કેન્દ્ર તરફથી મહેમાનોની સાધર્મિક ભક્તિ કરવામાં આવી હતી.
આચાર્ય કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ખાતે ફેબ્રુઆરી-૨૦૧૨ દરમ્યાન થયેલી પ્રવૃત્તિઓ નવા આવેલ પુસ્તકો – ૭૩૦ (ભાષા પ્રમાણે) પ્રાકૃત-૧૯, સંસ્કૃત-૨૫, ગુજરાતી-૫૪૭, હિંદી-૧૨૭, અંગ્રેજી-૧૨, ૬૩ વાચકોને ૩૯૧ પુસ્તકો ઈશ્ય કર્યા.
આ મહિના દરમ્યાન ૯૦૨ યાત્રિકો તથા જિજ્ઞાસુ મહાનુભાવોએ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી.
આગમ સાહિત્ય તથા અન્ય જૈન સાહિત્ય ઉપર સંશોધન, વાચન અને માર્ગદર્શનરૂપ કાર્ય કરનારા પૂજ્ય સાધુસાધ્વીજી મ.સા. તથા અન્ય વિદ્વાનોને જ્ઞાનમંદિર તરફથી ૪૭ ગ્રંથોમાંથી ૯૮૬ પેજ સ્કેન પ્રીન્ટ કરીને આપવામાં આવ્યાં.
તપોવનથી પધારેલા મુનિરાજશ્રી ગુણવંતવિજયજી મ.સા. દ્વારા પૂજય સાધુ-સાધ્વીજી મસા. માટે તૈયાર કરાતા વિવિધ પાઠ્યક્રમો માટે અલગ-અલગ વિષયોના પ્રાર્ટીન તથા અર્વાચીન સાહિત્યના અંદાજીત રપ૦૦-૩૦૦૦ પુસ્તકો આપવામાં આવ્યાં.
સંસ્થામાં સંગ્રહિત આપણા શ્રીસંઘના માટે અમૂલ્ય વારસારૂપ તમામ હસ્તપ્રતાના સ્કેનિંગ માટેનું મહત્ત્વકાંક્ષી આયોજન ચાલી રહ્યું છે. જેની અંતર્ગત ગત માસ દરમ્યાન કોમ્યુટર વિભાગ દ્વારા ૧૫,૪૫૦ જેટલી હસ્તપ્રતોના ૮૦,000 પાનાઓનું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું.
પ્રાકૃત ભાષાના પ્રારંભિક વર્ગો
સીટી સેન્ટર ખાતે તા. ર૯.૦૧.૧૨ના દિવસથી સવારે ૯.૦૦ થી ૧૧.૩૦ દરમિયાન પ્રાકૃત ભાષાના પ્રાથમિક વર્ગોનો પ્રારંભ થયો છે. આ વર્ગમાં ૨૦ જેટલાં ભાઈ-બહેનો જોડાયાં છે. જેમાં ૧૦ વર્ષથી પ્રારંભ કરીને ૮૨ વર્ષની ઉંમરના અભ્યાસકોનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમના વર્ગો પંડિત શ્રી કુણાલભાઈ કપાસી લઇ રહ્યા છે. શ્રી કૃણાલભાઈ પાટણ ખાતેની શ્રી હેમચંદ્રાચાર્ય યુનિર્સિટીની કોલેજમાં પ્રાકૃતના વ્યાખ્યાતા છે. આ વર્ગો માટેના ઉપયોગી પાઠ્યપુસ્તકોના ૨૦ સેટ પ. પૂ. વિદુષી સાધ્વીજી ચંદનબાલાશ્રીજીની પ્રેરણા અને સભાવ સભર પ્રયત્નોથી પ.પૂ.સુયશચંદ્રવિજયજી મ.સા. (પાલીતાણા તરફથી ભેટ મળ્યા છે. આ પુસ્તકોના પ્રકાશનમાં શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહ પરિવારનો ફાળો છે. આ જ પરિવારના શ્રીમતી ફાલ્ગનીબેન તરફથી અધ્યયન કર્તાઓને સગવડતા રહે તે માટે ૨૫ ખુરશીઓ પણ સીટી સેન્ટરને ભેટરૂપે પ્રાપ્ત થઈ છે. આ વર્ગોનું આયોજન અને સંચાલન સંસ્થાના વરિષ્ઠ સલાહકાર શ્રી બી. વિજય જેન કરી રહ્યા છે.
કાર નાદ શિબિર આચાર્યદેવશ્રી અરૂણોદયસાગરજી મ. સા.ની પ્રેરણાથી અરૂણોદય ફાઉન્ડેશન દ્વારા ૐકાર નાદ સંબંધિત 3 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રાજનભાઈ દોશીએ સાધકોને તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંયોજન શ્રી મહાવીરભાઈ ગાંધીએ કર્યું હતું.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
વિ.સં.૨૦૧૮-ફાગણ
પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યભગવંત શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં થયેલ
મુંબઈ ખાતે આયોજિત અનુષ્ઠાનોની ઝલક ૭/૨/૨૦૧૨ થી ૧૨ી૨૨૦૧૨ ગોરેગાંવ વેસ્ટ જવાહરનગર ધર્મનાથ દાદાના દેરાસર ની રજતજયંતિ નિમિત્તે પંચાહ્નિકા મહોત્સવ તથા પાંચ માળના ભવ્ય નૂતન ઉપાશ્રયની વિવિધ બોલીના આદેશો અપાયા.
૩૨/૨૦૧૨ ના રાજસ્થાન હોલમાં ચિંતામણી પાર્શ્વનાથ સંધના ઉપક્રમે સ્નાત્ર મહોત્સવ,
૨૦૨/૨૦૧૨ ના સોમવારે મીરા રોડ પૂર્વ મધ્ય શ્રી આદિનાથ જૈન દેરાસર અને શ્રીબુદ્ધિસાગરસૂરિ ગુરૂમંદિર ખાતે આત્મજ્ઞાની, યોગનિષ્ઠ, સમાજ ઉદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીબુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.ના ૧૩૯માં જન્મદિને ભાવસભર શ્રદ્ધાંજલી નિમિત્તે ગુરુપદ પૂજા તથા ગુરુ ભક્તિનું સુંદર આયોજન થયું.
ર૧૨/૨૦૧૨ના મંગળવારે સામૈયા સાથે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભાયંદર-વેસ્ટ બાવન જીનાલય ના આંગણે પધાર્યા હતા.
૨૨૨૨૦૧૨ ના બુધવારે સવારે ૮.૦૦ કલાકે ભાયંદર-વેસ્ટ બાવન જિનાલય મધ્યે બેસતા મહિનાનાં મહામાંગલિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૩૨૨૦૧૨,૨૪,૨૨૦૧૨ ગુરૂવાર અને શુક્રવારના પૂજ્યશ્રીનાં પ્રવચનો ગોઠવાયાં જેમાં બહુ મોટી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યાં હતો,
૨૫ ૨/૨૦૧૨ શનિવારના સવારે ૯ ૦૦ કલાકે સંગીતના અને સુરના સથવારે ગુરુવંદનાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
૨૯૨ ૨૦૧૨ રવિવારના પોદાર હાઈસ્કૂલના પટાંગણમાં સવારે ૯.૧પ કલાકે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીના શિષ્ય મુનિશ્રી વિમલસાગરજી મ.સા.નું જાહેર પ્રવચન રાખ્યું હતું.
આગામી કાર્યક્રમ
પ૩/૨૦૧૨ થી ૧૩૩૨૦૧૨ સુધી શંખેશ્વર માનસ વેલી શહાપુર (મુંબઈ નાશિક હાઈ-વ) ની ધન્યધરા પર શ્રી બસ્તીમલજી ભીમરાજજી શેષમલજી મહેતા પરિવાર : મુંબઇ તરફથી આયોજિત શ્રી ધર્મનાથ ભગવાન આદિ જિનબિંબ તથા શાસન રક્ષક દેવ-દેવીઓની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પંચાહ્નિકા મહા મહોત્સવ.
મહોત્સવની પુનિત ક્ષણો પ/૩/૨૦૧૨ સોમવારના પરમતારક પરમાત્મા તથા પૂજ્ય ગુરુભગવંતશ્રીના મંગલ પ્રવેશ. ૬૩૨૦૧૨ ગુરુવારના સવારે ૯.૦૦ કલાકે પરમાત્માના દીક્ષા કલ્યાણકનો ભવ્ય વરઘોડો. ૯૩૨૦૧૨ શુક્રવારના શુભમુહંતે પ્રભુજીની પાવન પ્રતિષ્ઠા. ૧૦૩૨૦૧૨ શનિવારના સવારે પ્રાતઃસમયે ધારદ્ધાટન.
ગુરૂવર આવા મળવા મુશ્કેલ છે, વચનો જેના વૈરાગ્યની વેલ છે,
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આશરે 16મી સદીમાં લખાયેલી ઉત્તરાધ્યયન સૂત્રની સચિત્ર રંગીન હસ્તપ્રત છે. કુલ 128 પાનામાં આલેખિત આ હસ્તપ્રતમાં 12 ચિત્ર પત્રો છે. અણહિલપુર-પાટણ ખાતે લખાયેલી આ પ્રતનું પરિમાણ 25.8×11 છે. અત્યંત મનોહારી રંગોમાં અને સમુચિત શૈલીમાં લખાયેલી આ પ્રત જ્ઞાનમંદિરના શણગાર રૂપ છે.
ि મોટ 5563
लियउभर
આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત પાંડાગાર માં સંગ્રહિત પ્રાચીન શૈલીમાં આલેખિત બહુરંગી સચિત્ર હસ્તપ્રતના પાના,
निय
शिवसंप
નવનિિ
कायदा
राि
સંગતિમા दरमा विका
1-1/
प्रदिपर प्रमेयमनादि
राम मगर परमवीरामसंस बाद क्र
विपासन
पाि
द
दशवर
વિક્રમ સંવત 1883માં લખાયેલ આચાર્ય શ્રીચંદ્રસૂરિ કૃત સંગ્રહણીસૂત્રની આ હસ્તપ્રતના કુલ 34 પાના છે. પ્રાકૃત ભાષામાં આલેખિત આ પ્રતનું પરિમાણ 25,3x11,2 છે, પ્રતના અંતે પ્રશસ્તિમાં આના લેખનકર્તા પંડિત ધર્મચંદ્ર ગણિએ પંડિત તવિજય ગણિના પઠનાર્થ આ પ્રત લખી છે એવો ઉલ્લેખ છે.
www.kobatirth.org
આ
STOK YOUR mmmmm fo
देवगा दिया एक का LOTT બામાં waxa
XxX X*X*X* 2 જય મ માંગવામાં X મા siempr
परंपरावादिगवासा ऐकाणणे याद्धादासीतियन वे सिय धाविधवापस महिमा सनिश दिया है। सिमा सावासले विद्य निराक गोद मेण या सदरा રિડોનિસકામો
मानवसमय सामिल
merv
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
16 મી સદીની આસપાસ લખાયેલ આવશ્યક સૂત્રની પ્રતના કુલ 22 પાના છે. જેમાં 2 પાના સચિત્ર છે. પ્રતનું પરિમાણ 26,5811.5 છે.
मिसनयामा काट મતિના વ ાનનાનિ रागादिति सिकाला
r
मरिमितवाला मंतर तदेतदिशा संक
અંદાજિત 17મી સદીમાં લખાયેલી આ પ્રત જૈન પરંપરામાં અત્યન્ત આદરણીય, પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રની છે. 77 પાનામાં પથરાયેલ આ પ્રતમાં કુલ 26 ચિત્રપૃષ્ઠો છે. આ પ્રતના પાનાનું પરિમાણ 25.9 x 11.0 છે. સામાન્ય રીતે કલ્પસૂત્રની પ્રતોમાં પ્રતોના અંત પુષ્પિકા લખવાનું પ્રમાણ ઓછું હોવાથી એના પ્રતિલેખક, પન-પાનના લાભાર્થી વગેરેના નામો અજ્ઞાત રહે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पू. राष्ट्रसंत आचार्यश्री पद्मसागरसूरीश्वरजी की प्रवचन प्रसादी 'वसुधैव कुटुम्बकम्' यह सारा जगत मेरा कुटुम्ब हैं, परिवार है, उसके साथ परिवार जैसा ही व्यवहार अपने को करना है. मुझे उस शब्द से जरा प्रयोजन नहीं, उस कार्य से प्रयोजन नहीं, जो अपने मतलब के लिए निर्माण किये गये. धर्म कोई ऐसा लंगड़ा नहीं, पंगु नहीं, इतना कमजोर नहीं है. वह पूर्ण है. सबल है. वह जगत की हर आत्मा को रक्षण देने में समर्थ है; परन्तु वह वहीं पर रहेगा जहां शुद्ध हृदय हो, जहां प्रेम और मैत्री का वातावरण हो, वहीं धर्म का निवास होता है. अन्यत्र धर्म कहीं नहीं मिलेगा. भगवान तो चले गये मन्दिर से, आपके व्यवहार को देखकर, प्राण नहीं रहा ऐसी गन्दी जगह पर कोई व्यक्ति रहने को तैयार नहीं तो भगवान कहां रहेंगे? जहां पवित्रतता ही न हो, जहां प्रेम का अभाव हो वहां परमात्मा का भी अभाव मिलेगा. यहाँ तो प्रेम के माध्यम से ही परमात्मा का आगमन होता है. प्रेम गली अति सांकरी या में दो न समाय, कबीर दास ने कहा कि यह तो प्रेम की गली है. यह ऐसी गली है जिसमें मात्र आप या केवल परमात्मा को ही लेकर जा सकते हैं. आपके साथ आपका संसार नहीं। चलेगा.आपके सांसारिक विचार को वहाँ प्रवेश नहीं मिलेगा. अन्य विचार से शून्य होकर मात्र प्रेम से परिपूर्ण होकर ही परमात्मा के द्वार तक जा। सकते हैं. अपने विचार को छोड देना पडेगा. अपने स्वयं के विचार का यहां कोई मूल्य नहीं है, आध्यात्मिक साधना में प्रवेश करने से पूर्व इस धार्मिक वस्तु का प्राथमिक परिचय आपको प्राप्त करना पड़ेगा; जीवन व्यवहार आपको सुन्दर बनाना पड़ेगा। उसके बाद आपको अन्दर प्रवेश मिलेगा. प्रवेश भी तभी मिलता है जब समर्पण का भाव हो, अगरबत्ती सुगन्ध देती है. अगरबत्ती को देखिये, उससे सीखिये, वह जलकर भी जलाने वाले को सुगन्ध देती हैं. दीपक प्रकाश देता हैं. आपको मार्ग दर्शन देता है. आत्मा में ज्ञान के प्रकाश को प्रचारित करने की प्रेरणा देता है. जलकर भी प्रकाश देता है. हम क्या देते हैं? गाय घास खाकर के आपको दूध देती है. इन्सान क्या देता है? वृक्ष आपको छाया देता है, फल देता है,लकड़ी देता है. वह अपना सब कुछ सर्वस्व अपना अर्पण करता है. इन्सान क्या देता है? मरने पर भी नौ की लकड़ी नब्बे खर्च.मर गया तो भी खर्च. श्राद्ध करो, जीमन करो, उसे जलाओ कितना लफड़ा? इससे तो जानवर अच्छे हैं, जीवित अवस्था में भी अपना सर्वस्व अर्पण करते हैं. कितना बेचारे मौन भाव से अपना सर्वस्व अर्पण करते है.कितना बड़ा बलिदान है उनका? मरने के बाद भी अपना तन देकर जाते हैं. चमड़ा देकर जाते हैं. इन्सान क्या देता है? जीवित अवस्था में भी खतरनाक और मरने पर भी समस्या पैदा करके जाता है. यहां तो इन्सान बनके आये, देव बनने का प्रयास करें इन्सानियत हमारे अन्दर आ जाये, आज वह इन्सानियत हमारे अन्दर नहीं रही, जो किसी जमाने में थी. यह आर्य संस्कृति थी, सारी दुनिया को आदर्श देती थी, संस्कार देती थी, शिक्षा देती थी.अब सारी दुनिया हमें शिक्षा देने आती है. जरा विचार करना पड़ेगा, हमारी क्या दुर्दशा है. वैचारिक दुष्काल है. इस देश में बाहर का दुष्काल नहीं. बाहर का राष्काल कभी खतरनाक नहीं होता. इन्सान के अन्दर विचार का दुष्काल आ गया. सदविचार का दुष्काल आ गया है. प्रेम का दुष्काल इतना भयवर है, अन्तर से परमात्मा ही चला गया. डेड बॉडी लेकर हम घूम रहे हैं. मुझे की तरह हम चल रहे हैं. जीवन के अन्दर विकृति का दुर्गन्ध आ रहा है. जीवन सड़ चुका है. जीवन का जीर्णोद्धार करें, नव निर्माण करें, आत्मा को निर्मल और पवित्र बनायें. प्रेम का मन्दिर इस जीवन को बनाये बिना आमन्त्रण ही परमात्मा आपके अन्तर में प्रतिष्ठित हो जायेंगे. मेरे शब्दों से सगन्ध आने लग जाये. मेरा जीवन संसार को सुवासित बना जा मेरा जीवन चलता फिरता स्कूल जैसा बन जाये. अनेक व्यक्तियों को प्रेरणा देने वाला बन जाए. ('गुरुवाणी पुस्तक, पेज-२७८-२७९), is-45शन सोन्य: શ્રી અરવિંદભાઈ તારાચંદ શાહ પરિવાર એશિયન સ્ટાર પ્રા. લી. મુંબઈ Book-Post NAVNEET M.; 9825261177 For Private and Personal Use Only