Book Title: Updesh Chhaya Author(s): Shrimad Rajchandra, Publisher: Trikamlal Mahasukhram Shah View full book textPage 6
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ સમીપવતી સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દી સંવત ૨૦૨૪ ના કારતક સુદ ૧૫ના દિને આવે છે, એને અનુલક્ષીને એ પુણ્યનામ પુરુષના ઉપકારની યત્કિંચિત પુનિત સ્મૃતિ અર્થે આ “શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ” સ્થાપવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રનું જગતહિતકારી આત્મકલ્યાણમય સાહિત્ય, એમના જીવનને પ્રસંગો આદિ જુદી જુદી ભાષામાં પ્રકાશિત કરવાનો, વિશાળ સમુદાયને એનો લાભ મળી શકે એવી રીતે પ્રચાર કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યા છે. મંડળને ટ્રસ્ટ એકટ નીચે રજિસ્ટર કરાવવામાં આર્યું છે. બંધારણપૂર્વક વ્યવસ્થા અથે એક અગ્યાર સભ્યની વ્યવસ્થાપક સમિતિ અને પ્રકાશનના કાર્ય માટે પાંચ સભ્યોની એક પ્રકાશન સમિતિ હાલ કામ કરે છે ઉદ્દેશને અનુલક્ષી શરૂ કરેલ પ્રકાશન કાર્યમાં પ્રથમ “રાજપદ”, બીજું “કર વિચાર તે પામ”, ત્રીજું “જીવન–સાધના (ગુજરાતી) ચોથું “રાજપદ “નાગરી લિપિ”, પાંચમું “જીવન સાધના” (હિંદી) છઠું “કર વિચાર તો પામ” (હિંદી) અને સાતમું ઉપદેશછાયા છે. બીજા પ્રકાશનનું કામ ચાલુ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 170