Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 167
________________ [ ૧૫૮ ] * * તપાવલિ ** * * પારણું, પછી તેર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું કરવું. આ પ્રમાણે ઉપવાસ ૩૦૦ તથા પારણાના દિવસ ૬૦ મળી એક વર્ષે આ તપ પૂર્ણ થાય છે. તેને કનકાવળીની જેમ ચાર વાર કરવાથી ચાર વર્ષ પૂર્ણ થાય છે. તપને અંતે ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક પૂજા ભણાવીને પ્રભુના કંઠમાં મુક્તાવલી (મેતીની માળા) આરપવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી વિવિધ પ્રકારના ગુણોની શ્રેણી પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું “નમે અરિહંતાણું” ની નવકારવાળી વશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૪૦, રત્નાવળી ત૫. ગુણરૂપ રત્નોની આવળી હવાથી આ તપ રત્નાવલી નામને કહેવાય છે. તેમાં અનુક્રમે કાલિકા, દાડિમ, લતા, તરલ (પદક), બીજી લતા, દાડિમ અને કાલિકા એ પ્રમાણે રત્નાવણી થાય છે. તેમાં પ્રથમ કાહલિકાને વિષે એક ઉપવાસ, પારણું, ત્યારપછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યારપછી દાડિમને વિષે આઠ અફૂમ કરવા, ત્યારપછી એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું; એ પ્રમાણે અનુકમે સોળ ઉપવાસ સુધી કરવાથી એક લતા (ર) થાય છે. પછી ત્રીશ અમ કરવાથી પદક થાય છે, ત્યારપછી પશ્ચાનુપૂર્વીવડે એટલે સેળ ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ચોદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190