Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 171
________________ [ ૧૬૨ ] * * તપાવલિ * * * પારણું કરવું. પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી ચાર અને પછી પાંચ, પછી એક અને પછી બે ઉપવાસ કરી પારણું કરવું. ત્રીજી શ્રેણિએ પ્રથમ પાંચ ઉપવાસ, પછી એક, પછી બે, પછી ત્રણ અને પછી ચાર ઉપવાસ કરી પારણું કરવું. એથી શ્રેણિએ પ્રથમ બે ઉપવાસ, પછી ત્રણ, પછી ચાર, પછી પાંચ અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. પાંચમી શ્રેણિએ પ્રથમ ચાર, પછી પાંચ, પછી એક, પછી બે અને પછી ત્રણ ઉપવાસ કરી પારણું કરવું. સર્વને છેડે એક જ પારણાનો દિવસ આવે. આ રીતે કરતાં કુલ ઉપવાસ ૭૫ તથા પારણાના દિવસ ૨૫ મળી ત્રણ માસ અને દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપનમાં જિનેશ્વરનું સ્નાત્ર કરાવવું. ફળ, નૈવેદ્ય, મોદક વિગેરે શક્તિ પ્રમાણે ઢેકવાં. આ તપનું ફળ કલ્યાણની પ્રાપ્તિ થાય એ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “શ્રી મહાવીરસ્વામિનાથાય નમઃ” એ પહની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૪૪, મહાભદ્ર ત૫. આ મહાભદ્ર તપ પણ પૂર્વની જ જેમ થાય છે, તેમાં તપના દિવસે અધિક છે, તે આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190