________________
થાકાર વિક્રમાદિત્ય : ૫૭
[ અનુસંધાન પૃ. ૩૬] . થયું છે. તે ઉપરાંત બ્રહ્માંડપુરાણ તથા વાયુપુળમાં ગઈ ભિલ્લવંશમાં સાત રાજવીઓ થયે હેવાને ઉલ્લેખ પણ મળી આવે છે, બીજી બાજુએ ચોથી સદીના તિથિ થી માંડી પંદરમાં સદીના વિરાજિ લગીના જૈન ગ્રન્થમાં સાત રાજવીઓથી શોભતા ગર્દ ભિલ્લવંશને ૧૫ર વર્ષને શાસનકાળ અને તેમાં કુલદીપક સમા વિક્રમાદિત્યનું ચરિત્ર નિદૈ શાયલ છે. છતાં વિક્રમાદિત્યના વ્યકિતત્વને સ્વીકાર ન કરે તે કયા પ્રકારને આગ્રહ ગણાય તે સમજી શકાતું નથી.
શાસ્ત્રીજી એમ માનતા જણાય છે કે કાલકાચાર્યે ગર્દભિલને ગાદીએથી ઉઠાડી મૂકયો હેવા અંગેની કથાઓ અગ્યારમી–બારમી સદીમાં આલેખાણું છે. પરંતુ વિક્રમ સંવત ૭૩૩માં રચાયલા પ્રમાણભૂત જૈન શાસ્ત્ર પ્રત્યે વિશેષ નિશાથીિ માં પણ એ કથા આલેખાયેલી છે.
આગળ જતાં કેટલાક યુરોપીય વિદ્વાનને અનુસરીને શાસ્ત્રીજી એમ મનાવવા પ્રયત્ન કરે છે કે . “દંતકથાને વિક્રમ ચન્દ્રગુપ્ત બીજે હોય એ સંભવિત છે.” ચદ્રગુપ્ત બીજે ઈ. સ. ૩૭૫ લગભગ
માં ગાદીએ આવ્યા છે, જ્યારે ઉપર જણાવ્યા અનુસાર તેની પહેલાંના સમયમાં પણ વિક્રમાદિત્યના ઉલ્લેખ મળે છે. પરંતુ એ વિધાનને બાજુએ રાખીએ તે પણ અખિલ ગુપ્તવંશ તે વૈષ્ણવધર્મને પરમ ઉપાસક હતો, જ્યારે દંતકથાઓને નાયક ને સંવત્સર-પ્રવર્તક વિક્રમાદિત્ય તે પરમ શેવ હ. ધારિતસાગર વગેરે ગ્રન્થ તેને શિવ તરીકે ઓળખાવે છે એટલું જ નહિ, પરંતુ જૈન ગ્રન્થ પણ તે સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી જૈન ધર્મ પ્રતિ આવે તે પહેલાં તે ચુસ્ત શૈવ ને મહાકાલેશ્વરનો ઉપાસક હોવાનું જણાવે છે.
૧૧. કાન્તિામળિ માં સૌથી પ્રથમ સંવત્સર પ્રવર્તક વિક્રમાને પ્રબંધ અને તે પછી શાલિવાહન, વનરાજ-મૂળરાજ, ભેજ-ભીમ, સિધ્ધરાજ, કુમારપાળ આદિના વિસ્તૃત પ્રબંધ આવે છે. અંતિમ પ્રકરણમાં કેટલાક પ્રકીર્ણ પ્રબંધ મુકાયા છે તેમાં એક કે “ભ હરિ પ્રબંધ' છે. તે પ્રબધામાં એવી હકીકત છે કે"ગણપતિના વરદાનથી વિદ્વાન બનેલો અવંતિને એક બ્રાહમણુ બીજા કોઈ નગરમાં રાજસન્માન પામ્યો. ત્યાં તે ચાર વર્ણની રસીઓથી ઉત્પન્ન થયેલા ચાર પુત્રને ભણાવતા હતા. તેમાં ક્ષત્રિય કન્યાને પુત્ર વિક્રમ ને શઢકન્યાને પુત્ર ભ હરિ. ભર્તૃહરિ શુદ્રકન્યાનો પુત્ર હેઈને તેને ભોંયરામાં રાખીને અભ્યાસ કરાવાતું હતું. તેથી તે ખીજાયે..વગેરે.'
શાસ્ત્રી શરૂઆતના વિમા પ્રબંધને બાજુએ મૂકી પ્રકીર્ણ પ્રબંધોમાંના વિકમ શબ્દને પકડી લે છે અને પછી હ્યુએન્સાંગા જણાવવા પ્રમાણે ભર્તૃહરિનું મૃત્યુ ઈ. સ. ૬૫૦ માં થયું છે તે જણાવી જેન શ્રતશ્રપરપરા વિકમ વિષે એકમત નથી એવી દલીલ કરે છે.
પણ ઉપરોકત નિબંધમાં કયાંય ઉકત વિકમ અને સંવત્સર પ્રવર્તક મહાન વિક્રમાદિત્ય એકજ છે એવો નિર્દેશ નથી. ને વિક્રમનામધારીઓ તે હિંદમાં સેંકડો થયો છે, જેમાં જે તે મહાન નૃપતિઓ હતા (હિન્દી વિશ્વકરાપુ, ૨૧ ) પછી આ વિક્રમ શબને મહાન વિક્રમ સાથે સાંકળી દેવાની શી જરૂરિત છે? બીજી બાજુ ભર્તુહરિને સમય પણ ચેકસ નથી, હ્યુએન્સાળે હિંદના સમય-નિર્દેશે ઈ. સમાં નહિ, પરંતુ બુધ સંવતમાં કર્યા છે. ને ચીની ગણતરીએ બુધ સંવત ઈ. સ. પૂર્વે ૯૪૯ માં શરૂ થાય છે, સીલોનની ગણતરીએ ઈ. સ. પૂ. ૫૪૩ માં શરૂ થાય છે અને વર્તમાન વિદ્વાનની ગણતરીએ ઈ. સ. પૂર્વે ૪૮૭ માં શરૂ થાય છે. તે ઉપરાંત સમય નોંધવામાં પશુ એન્સાંગ ચોકસાઇ દાખવી શકેલ નથી. એ રાંગે છેઅસ્પષ્ટ વ્યક્તિત્વને અચોકકસ સમય સાથે સાંકળીને તેને એતિહાસિક દલીલનું નામ આપવું એ ઇતિહાસના નામે બુધિવિશ્વમ જન્માવવાનું જ લક્ષણ ગણાય, : - ૧૨ સત મિનરવ - પુણાગ. . મા૩ો. વ. ૨. સ. ૭૪
सप्त गर्दभिनश्चापि = 'वायुपुराण उत्त. अ. ३७ *****3 The Gupta kings were avowed Vaisnavas.
The Journal of the University of Bombay May 1933. P. 233.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com