________________
૧૨
હજામ અને દિને માદામ આથી કંડગ્રામના બંને પાડા હોય એ નિશંક થાય છે.
કુમારગામ–એક વખત ક્ષત્રીય કંડગ્રામના સ્થલને નિર્ણય કીધા પછી આ ન્હાનકડા સ્થલ માટે એટલું જ કહી શકાય કે તે કુડપુરથી ૧૦ થી ૧૫ માઈલ પર હોવું જોઈએ કારણ પ્રભુ લગભગ ૧ થી ૨ કલાકમાં એ સ્થલે પહોંચ્યા હતા.
કલાગ સન્નિવેશ:–નાલંદાની ઉત્તરે આ સ્થલ હતું એમ શ્રી ભગવતી સૂત્રના ઉલ્લેખ પરથી માલુમ પડે છે.
નાલંદાથી અંદર સામંતે કાલાક સન્નિવેશ હતું. અને નાલંદા રાજગૃહીથી ૭ માઈલ પર ઉત્તરે હતી.
મોરાક-અને અસ્થિગ્રામ-નાલંદાથી મેરાક આવ્યા. મેરાક અસ્થિગ્રામની નજીક જ હતું કારણ અડધા ચોમાસે પ્રભુ અસ્થિગ્રામ ગયા અને ચોમાસું પુરૂં થતાં પણ શર૯ રૂતુમાં ત્યાં આવ્યા એટલે અસ્થિગ્રામથી ૫ થી ૧૦ માઈલથી દૂર ન જ હોય.
અસ્થિગ્રામઃ—જેને વર્ધમાન કહેવામાં આવતું હતું એમ આવશ્યક સૂત્રની સાખ છે તે જેને આજે બર્દવાન” (સંસ્કૃત વર્ધમાન) કહે છે તેમાં પ્રાચીન વર્ધમાન-અસ્થિગ્રામ તરીકે લેવામાં કશે બાધ નથી. આ બર્દવાન દામોદર નદ નામે વેગવતી નદીને કિનારે છે.
વાચલ પ્રદેશ –બર્દવાનથી ઉત્તર તરફ વિહાર કરતાં તુરતજ દક્ષિણ વાચાલ. સુવર્ણવાલુકા નદી-કનકખલ આશ્રમ-રૂપ્યાલુકા નદીમાં થઈ પ્રભુ શ્વેતામ્બી પહોંચ્યા.
કનકખલ –આશ્રમ વેતામ્બીની પાસે જ હતું આવશ્યક પૃષ્ટ ૧૯૫. “તારે તાજેશ્વા રાજ” અને આશ્રમ પછી રૂપ્યાલુકા નદી પાર ઉતરી ઉતર વાચાલમાં દાખલ થયા ત્યાંથી શ્વેતામ્બિમાં પધાર્યા. માટે ઉત્તર વાચલ પ્રદેશનું પાટનગર વેતામ્બી હોય એ દરેક સંભવ છે, અને કનકખલ આશ્રમ રૂયવાલુકાને કિનારે