Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 191
________________ ૧૭૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૧૧-૧૨ થવા દેતી નથી અને તેવી માયાને વશ તે સાધુ જે અહિંસા પાળે છે તે હેતુ અને સ્વરૂપથી અહિંસા છે પરંતુ વિવેકમૂલક પ્રવૃત્તિ નહિ હોવાથી વીતરાગતાને અનુકૂળ એવા અસંગભાવને અભિમુખ પ્રવૃત્તિ નથી; કેમ કે પોતાની સ્વરૂચિ અનુસાર પ્રવૃત્તિ કરવામાં તીવ્ર સંગનો પરિણામ છે તેથી તેમની સંયમની સર્વ બાહ્ય આચરણા અનંત સંસારનું કારણ છે તેમ બતાવવા માટે બીજા સૂયડાંગ સૂત્રમાં તેવા સાધુ અનંતા ગર્ભ લેશે તેમ કહીને તેઓની આચરણા અહિંસાના અનુબંધવાળી નથી પણ હિંસાના અનુબંધવાળી છે તેમ બતાવેલ છે. I/૧૧ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે માસ ઉપવાસી આદિ તપવાળા અને ત્યાગી એવા મહાત્મા પણ જો માયાના રંગવાળા છે તો અનંત સંસાર પરિભ્રમણ કરશે. હવે તેવા સાધુઓની અહિંસા પાલનની પ્રવૃત્તિ પણ નકામી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : નિદિત આચારે જિનશાસન, જેહને હીલે લોક; માયા પહિલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફોક. મન. ૧૨ ગાથાર્થ : જેહના નિર્દિત આચારમાં લોક-બુદ્ધિમાન લોક, જિનશાસનને હીલે હીલના કરે, તેના અજ્ઞાનમાં માયા પહેલી છે મુખ્ય છે, તેથી સર્વ અહિંસાતે સાધુની પાલન કરાતી બધી અહિંસા, ફોક છે. ll૧૨ા ભાવાર્થ : જે સાધુઓ સૂક્ષ્મ બોધવાળા નથી, સ્વમતિ અનુસાર શાસ્ત્રવચનને જોડે છે અને સંયમની કષ્ટમય આચરણા કરે છે, તેઓ ભગવાનના વચનના મર્મને જાણનારા નહિ હોવાથી સ્વમતિ અનુસાર જે વિપરીત પ્રવૃત્તિ કરે છે તે તેમનો નિંદિત આચાર છે અને જેઓ તત્ત્વના અર્થી છે અને બુદ્ધિમાન છે એવા લોકો તે આચારને જોઈને વિચારે છે કે ભગવાનના શાસનની આચરણા આવા પ્રકારની વિવેક વગરની છે, માટે આ શાસન શ્રેષ્ઠ ધર્મને બતાવનાર નથી. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214