________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
24
SHRUTSAGAR
June-2016 मुंचंति मुक्ता जलजन्तवोऽपि स्वात्यम्भसां तल्ललितं न तेषाम्। यच्चोपला अप्यमृतं सवन्ते तद् वल्गितं चन्द्रमसः कराणाम् ॥२॥ सतां प्रसादः स हि यन्मयापि श्रीमालवंश्येन कृतिः कृतेयम्। साढाकभूठक्कुरकूरसिंहपुत्रेण षट्तित्रियुतैकवष ॥३॥ बहूनि शास्त्राणि विलोक्य तावद् विनिर्मितेयं महतोद्यमेन । संशोधिता सद्भिरथापि शोध्या सल्लक्षणं क्षोदसहं स ए(तदे)व ॥४॥ यावद् धत्ते गगनसरसी राजहंसप्रयातं मेरुश्चाग्निर्वरदिनवधूशर्वरीमंगलानि । तावद् बोधं भुवि विदधती बालशिक्षा सदैषा जीयाद् योगादतिमतिमतां वर्धमानाधिकश्रीः ॥५॥"
ભાવાર્થ:- સદા ઉપકારી હોવાથી આ લક્ષણ-દ્રવ્યનો સંગ્રહ સાધવા યોગ્ય છે, તે સાડા અઢારસો (૧૮૫૦ શ્લોક સંખ્યા)થી અંકિત હોવા છતાં પણ તેના અભિલાષીઓને અક્ષય હો. ૧. | જલજંતુઓ પણ મોતી મૂકે છે, તે પ્રભાવ સ્વાતિ નક્ષત્ર)ના પાણીનો છે, તેમનો નથી. પત્થરાઓ (ચંદ્રકાંતમણિઓ) પણ અમૃત ઝરે છે, તે પ્રભાવ ચંદ્રના કિરણોનો છે. ૨.
તેમ જ શ્રીમાલવંશમાં ઉત્પન્ન થયેલ સાઢાકભૂ (પુત્ર) ઠકુર કૂરસિંહના પુત્રે-મેં પણ આ જે કૃતિ [વિ.સં.] ૧૩૩૬ વર્ષે કરી છે, તે સજ્જનોનો જ પ્રસાદ છે. ૩.
બહુ શાસ્ત્રોનું વિલોકન કરીને આ હોટા ઉદ્યમથી રચવામાં આવી છે. સજ્જનોએ એનું સંશોધન કર્યું છે, તો પણ એને શુદ્ધ કરવી. ક્ષોદસહ તે જ સલ્લક્ષણ છે. ૪.
જ્યાં સુધી ગગનરૂપી સરોવર રાજહંસ (સૂર્ય, ચંદ્ર)ના પ્રયાણને ધારણ કરે છે, અને મેરુ તથા અગ્નિ (?) દિનરૂપી વર અને રાત્રિરૂપી વધૂનાં મંગલોને ધારણ કરે છે, ત્યાં સુધી પૃથ્વી પર સદા બોધ કરતી આ બાલશિક્ષા અતિમતિમાનોના યોગથી વધતી અધિક શ્રી (શોભા, લક્ષ્મી) વાળી બની જયવંતી વર્તી રહો. ૫.
ઉપર દર્શાવેલ આદ્યુત જોવાથી એવો ખ્યાલ આવી શકે કે “કાતંત્ર પરથી સંક્ષેપમાં રચાયેલ આ સંસ્કૃત વ્યાકરણ હોવું જોઇએ.” પરંતુ એ ઉપરથી ભાગ્યે જ કોઇ સમજી શકે તેમ છે કે ‘ઑક્તિકની પદ્ધતિનું તત્કાલીન ગુજરાતી ભાષાથી શીખવાનું એ સંસ્કૃત વ્યાકરણ હશે.'
‘બાલશિક્ષા' એ નામ ઉપરથી હને કંઇક વિચાર આવ્યો કે નાગરી લિપિના અક્ષરોને જેમ ‘બાલબોધ' તથા ભાષાનુવાદને જેમ બાલાવબોધ' તરીકે
For Private and Personal Use Only