Book Title: Shrimad Rajchandra Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 6
________________ સમકાલીન જૈન વિભૂતિ સરળ ગુજરાતી તથા હિંદી ભાષામાં રજુ કર્યો છે. આપણે શ્રીમદ્ રાજચંદ્રના લખાણોનો ઊંડો અભ્યાસ કરીશું તો જણાશે કે તેમણે સાચી આધ્યાત્મિકતાને નવો પ્રકાશ આપવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. અંધ વિશ્વાસ દૂર કરી સાચી આધ્યાત્મિક જાગૃતિ લાવવામાં તેઓ સફળ પણ થયા હતા. | ( હતા. ક્ષર ) શ્રીમદ રાજચંદ્ર બાહ્ય વર્તન અને પહેરવેશ પરથી જ કોઇને ગુરુ માનવા તે ભૂલ છે એવું લોકોને સમજાવ્યું. આ જ તેમનું મોટું યોગદાન હતું. આધ્યાત્મિક સફર અયોગ્ય ગુરુના માર્ગદર્શન દ્વારા થતાં શિષ્ય જિંદગીના ચક્ર વધારીને દુ:ખ અને પીડા જ પામે છે. તો બીજી બાજુ સાધક સદ્ગુરુ દ્વારા અપાતા ઉપદેશને જાણીને, સમજીને સાચી સ્વતંત્રતા અને મોક્ષ મેળવી શકે છે. 142 જૈન કથા સંગ્રહPage Navigation
1 ... 4 5 6 7 8