Book Title: Shrimad Rajchandra Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 7
________________ શ્રીમદ રાજચંદ્ર (૧) નૈતિકતા સારી રીતભાત, સારી પ્રવૃત્તિઓ અને સારી વર્તણૂંક પવિત્રતાનું મૂળ છે. દરેક જીવંત વ્યક્તિ સમાન છે. તેથી કોઈ આત્માને દુઃખ ન પહોંચાડો. દરેક આત્માની ક્ષમતા અને તાકાતથી વધુ કામ ન લેવું. (૨) માનવજીવન જીવંત અસ્તિત્વ ધરાવતા તમામ જીવ કાયમી સુખને ઝંખે છે. એમાં કોઈ અપવાદ નથી. આ ઇચ્છા કેવળ માનવ જીવનમાં જ પૂર્ણ કરી શકાય. છતાં માનવી દુ:ખની જ પસંદગી કરે છે. મોહનીય કર્મના ઉદયને કારણે તે દુન્યવી ઇચ્છાઓ અને માલિકીપણામાં સુખ જુએ છે જે ખરેખર તેનો ભ્રમ છે. (૩) દુન્યવી સુખોથી વિમુખ થવું - વૈરાગ્ય દુન્યવી અને ભૌતિક સુખો તથા કૌટુંબિક સંબંધોથી વિમુખ થવું તેને વૈરાગ્ય કહે છે. જે શાશ્વત સુખ માટે ખૂબ જ મહત્ત્વનું છે. સાચો ત્યાગ આત્માના સાચા જ્ઞાનથી જ પ્રગટે છે. તે વિના આત્મજ્ઞાન મળવું અસંભવ છે. કોઈ સર્વસ્વ ત્યાગમાં જ અટકીને આત્મજ્ઞાનની ઇચ્છા જ ન રાખે તો તેનો માનવઅવતાર વેડફાઈ જાય છે. (૪) જ્ઞાન અને ડહાપણ યોગ્ય જ્ઞાન દ્વારા આપણે દુનિયાના પદાર્થોના ગુણ અને બદલાતા પર્યાય જાણી શકીએ છીએ. જૈન ધર્મગ્રંથ 'ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે કે “જ્ઞાન એ દોરો પરોવેલી સોય (સસૂત્ર) જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેવી જ રીતે ધર્મને રસ્તે ચાલનાર જ્ઞાની મનુષ્ય (સસૂત્ર) આ દુનિયામાં ખોવાતો નથી.” સાચું જ્ઞાન એ જ છે જે બાહ્ય લાગણીઓ પર કાબૂ રાખે, કુટુંબ જીવન તથા દુનિયાના સુખો તરફનો લગાવ ઘટાડે, અને સાચું સત્ય પ્રગટાવે. જો તમે તમારી જાતને જાણો તો આખા જગતને જાણી શકો. પણ જો તમારી જાતને ન જાણો તો તમારું જ્ઞાન અર્થહીન છે. ઉપસંહાર – શ્રીમદ્ રાજચંદ્ર મહાન સંત હતા, અને આત્મસાક્ષાત્કાર પામેલ ગુરુ હતા. આગવા શિક્ષણવિદ્ હતા, જન્મજાત કવિ હતા, તેમની યાદશક્તિ અદ્વિતીય હતી, સમાજસુધારક હતા, અહિંસાના ઉપાસક અને પ્રચારક હતા, અને સર્વધર્મ પ્રત્યે સમભાવવાળા હતા. બીજા મહાન પુરુષોની જેમ જ શ્રીમદ્ રાજચંદ્રની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા. કારણ કે તેમણે જૈન સમાજની યોગ્ય સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ. આધ્યાત્મિક વિકાસ અને આખરી મોક્ષ માટે જીવનમાં સદ્દગુરુની જરૂરિયાત પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. શ્રીમદ્ હંમેશા માનતા હતા કે તેઓએ દીક્ષા ગ્રહણ કરેલ ન હોવાથી મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માટે તેઓ અધિકારી નથી. તેથી પોતાનામાં વિશાળ જ્ઞાન હોવા છતાં તેઓ લોકોને ઉપદેશ આપતા નહિ. તેમને આશા હતી કે પાછલી જિંદગીમાં તેઓ સાધુ બનશે અને યોગ્ય સમય આવ્યે જૈન સમુદાયને યોગ્ય ઉપદેશ આપશે. જૈનધર્મમાં પ્રવેશેલા અયોગ્ય ક્રિયાકાંડને તિલાંજલિ આપવા સમજાવશે. જૈન કથા સંગ્રહ ( 143Page Navigation
1 ... 5 6 7 8