Book Title: Shraddhvidhi Kaumudi Author(s): Vairagyarativjay Publisher: Pravachan Prakashan View full book textPage 5
________________ ઈચ્છા હતી. શ્રાદ્ધવિધિ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પછીનાં ૮૬ વરસ પછી નવી છબી અને નવી કવિ ધારણ કરીને આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. ત્યારે મુનિ રામ નામનો ઉગતો સિતારો, સૂરિ રામચંદ્ર તરીકે જાજરમાન સૂરજ જેવું પ્રભાવશાળી નામ બની ચૂક્યો છે. કલ્પકિરણાવલી, અંધશતક અને શ્રાદ્ધવિધિ આ ત્રણ ગ્રંથોને નવસંપાદિત કરવાની ધારણા સાથે શ્રીદાન-પ્રેમ-રામચંદ્રસૂરિ ગ્રંથમાળાના અન્વયે ત્રણ પ્રતોનો સંપુટ સંઘ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. સમાનતા એ છે કે ત્રણેય ગ્રંથને પૂ. મુનિશ્રી રામવિજયજી મ.ની પ્રસ્તાવનાએ ગૌરવ બક્યું છે. ' - શ્રાદ્ધવિધિ ગ્રંથનાં પુનઃસંપાદન સમયે જૂની આવૃત્તિના પાઠોથી સંતોષ થતો ન હોવાથી હસ્તપ્રતનો આધાર લીધો છે. શ્રી કૈલાસસાગરસૂરિજી, જ્ઞાનમંદિર-કોબાની હસ્તપ્રતની ઝેરોક્સના સથવારે આશરે અઢીસોથી વધુ સ્થાનોમાં પાઠશુદ્ધિ કરવામાં આવી છે. આ અર્થમાં આ પુનઃ સંપાદન નહીં બબ્બે નવસંપાદન છે. પ્રવચન પ્રકાશને – ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યને ગુણવત્તા સાથે પ્રકટ કરતા રહેવાનો સંકલ્પ કર્યો છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાનું શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ.ના માર્ગદર્શનતળે અને સાહિત્ય સેવાનો યત્કિંચિત્ લાભ પામીએ છીએ તેનો અમને અત્યંત આનંદ છે. પરમ શ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજયહેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની મંગલપ્રેરણાથી શ્રી તપગચ્છ અમર જૈન શાળા, ટેકરી, ખંભાત, (ગુજરાત)ના શ્રીસંઘે જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરી આ ગ્રંથને પ્રકાશિત કરવાનો લાભ લીધો છે અને તેની અનુમોદના કરીએ છીએ. - પ્રવચન પ્રકાશનPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 346