________________ (9] “શ્વર પરમાર "मितायुषा तृत् जनिता जनाजनै-न बाधिका स्यानभसो नवाधिका" "सदादिनाथार्च निकादिना दिना-गमे समेता सधनंजनोऽर्जनैः" “પૃષા પાયાના માથા પૃથા” ઈત્યાદિ. આમ આ કાવ્ય ઉચ્ચ કક્ષાનો રસાસ્વાદ કરાવવા સાથે વિશિષ્ટ વ્યુત્પત્તિનું પૂર્ણ પોષક છે. (4) પ્રસ્તુત કાવ્યના કર્તાને રંક પરિચય. આ ચરિત્રના કર્તા ઉપાધ્યાયપ્રવરશ્રી મેઘવિજયજી મહારાજનું વિગતવાર ચરિત્ર ખાસ મળતું નથી, પણ તેઓશ્રીએ રચેલા તે તે ગ્રન્થની પ્રશસ્તિ ઉપરથી નીચે પ્રમાણેની હકીકતો તારવી શકાય છે. - (1) તેઓશ્રીનો સત્તાકાળ અઢારમી શતાબ્દી છે. (2) તેઓશ્રી સત્તરમી શતાબ્દીમાં થયેલા સૌભાગ્ય સભ્ય આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં થયા છે. (3) તે પરંપરા આ પ્રમાણે છે. ' શ્રીહીરસુરિજી. શ્રીકનકવિજયજી શ્રીશીલ વિજયજી શ્રીકમલવિજયજી શ્રોચારિત્રવિજયજી શ્રીકૃષાવિજયજી ઉપા, મેઘવિજયજી ઉપર જણાવેલા શ્રી શીતવિજયજી આદિ ત્રણે સદર બધુઓ હતા. () ગુરુકૃપાથી પ્રાપ્ત ચિંતામણિ મંત્રની સુદર આરાધના-સાધના ઉપાધ્યાયજીએ કરી હતી. (5) તેઓશ્રીનું પાંડિત્ય પરિતઃ પ્રસારિત હતું તે તે તે વિષયનાં રચેલા તેમનાં ગ્રન્થોથી સ્પષ્ટ જણાય છે. (6) તેઓશ્રીએ અનેક વિષયોના ગ્રન્થોની રચના કરી છે. તેમાં કાવ્યગ્રન્થ વિશેષે રચ્યા છે. તે તે ગ્રન્થોની યાદિ આ પ્રમાણે છે. ૧-ચંદ્રપ્રભાવ્યાકરણ. ૨-હેમચન્દ્રિકા, ૩-સપ્તસંધાનમહાકાવ્યમ, ૪-દેવાનંદાબ્યુદયમ, ૫-મેઘદૂત સમસ્યા લેખ, ૬-શ્રીશાતિનાથચરિત્રમ, ૭-વર્ષ પ્રબોધ, ૮-માતૃકાપ્રસાદ, ૯-શ્રીવિજયદેવ માહાભ્ય-વિવરણ, ૧-યુક્તિપ્રબોધ નાટક, ૧૧-હસ્તસંજીવનમ. આ સિવાય બીજા અનેક ગ્રન્થો પણ તેઓશ્રીએ રચ્યા હોવાની સંભાવના છે. ( 5 ) પ્રસ્તુત કાવ્યનું પ્રકાશન અને ટીકા પ્રસ્તુત કાવ્યનું મૂળ માત્ર પ્રકાશન વીર વિ. સં. 2444 માં જન વિવિધ સાહિત્ય શાઅમાતાએ કર્યું છે. બનારસથી બહાર પડેલ આ કાવ્યમાં નીચે થોડી થોડી ટિપ્પણીઓ પણ છે. તેના સમ્પાદક “જે પ્રતિ પરથી આ સંપાદન કર્યું છે તે પ્રતિના લેખકે જે સ્ટ્રોક અંતે લખ્યો છે તે રોચક અને સાર છે. તે આ પ્રમાણે છે