Book Title: Shantidevacharya ane Adhyapaka Kaushamibiji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ અર્થ, હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લધુ પણ નિત્યપાઠ્ય પુસ્તક ગુજરાત વિદ્યાપીઠ પ્રસિધ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મની ઉત્તરોત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાઓને પૂરેપૂરે સુમેળ છે. પ્રો. વિન્ટનિ શાંતિદેવ વિષે લખ્યું છે. તેમણે બધિર્યાવતારને લક્ષીને જે વર્ણન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી અને પુરાવે છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર ગુજરાતીમાં હોય તે તે ઈચ્છવા જેવું છે, પણ એ સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકોને શાંતિદેવ તરફ આકર્ષિત કરશે એ નિઃશંક છે. મહાયાની ભાવનાને આપણા દેશના અનેક સંપ્રદાય ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્ગીતા ખરી રીતે ભાગવત પરંપરાને આશરી અનાસક્ત કર્મયોગનો ઉપદેશ કરે છે, ત્યારે તે પિતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે. એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જેન આચાર્ય હરિભદ્ર પણ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તે જેને પરંપરા વૈયક્તિક મોક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથમાંની મહાયાની ભાવનાએ હરિભકનું મન જીયું લાગે છે, આને પુરા એમના “ગબિંદુ” ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસંમત ભિન્નગ્રંથી અર્થાત જેણે મોહગ્રંથી તોડી હોય એવા સમ્યફ-દષ્ટિ સાધકની બૌદ્ધસંમત બોધિસત્વ સાથે તુલના કરે છે, અને કહે છે કે, જે ભિન્નગ્રંથી સાધક જગદુદ્ધારનો સંકલ્પ કરે, તે તે તીર્થંકર—સદ્ધારક–થાય છે, અને જે સ્વજન આદિને ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરે તે તે ગણધર–તીર્થકરનો અનુગામી થાય છે, અને જે પિતાના જ ઉદ્ધારને સંકલ્પ કરે છે તે મુશ્કકેવલી–માત્ર આત્મ-કલ્યાણ કરનાર થાય છે. ૨ હરિભકનું આ કથન સ્પષ્ટ સૂચવે છે કે, આભેદ્ધારની ભાવના કરતાં સદ્ધારની ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હરિભદ્ર તુલના કરી, પણ બીજી ૧. જુઓ A History of Indian Literature Vol. 11 ૨. જુઓ “ગબિંદુ', એક ૨૮૩ થી ૨૯૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10