Book Title: Shabdaratnamahodadhi Part 3
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ સંકલ્પ અને સિદ્ધિ [બીજી આવૃત્તિનું કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે વ્યવહારમાં (૧) તીવ્ર તમન્ના, (૨) દઢ આત્મવિશ્વાસ તેમજ (૩) ભગીરથ પુરુષાર્થ એમ ત્રણ વાનાં અત્યંત જરૂરી ગણવામાં આવ્યાં છે. આ ત્રણે જો હોય અને એમાં દેવ-ગુરુની કૃપા મળી એટલે સમજો કે સોનામાં સુગંધ ભળી. તે સિવાય મહાન કાર્યોમાં સાચી સફળતા પામી શકાતી નથી. મહાન કવિ ભર્તુહરિએ કહ્યું છે કે - प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारभ्य विघ्ननिहता विरमन्ति मध्याः । विघ्नः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारभ्य तूतमजना न परित्यजन्ति । અથતુ કેટલાક નીચ માણસો હોય છે, જેઓ વિઘ્ન આવવાના ભયથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી. બીજા મધ્યમ કક્ષાના માણસો હોય છે, જેઓ કાર્યનો પ્રારંભ તો કરે છે પરંતુ એમાં જરાક વિઘ્ન આવ્યું એટલે આદરેલું કાર્ય અધૂરું જ છોડી દે છે. પરંતુ ઉત્તમ કક્ષાના માણસો જે હોય છે તેઓ તો વિનોની વણથંભી વણઝાર કેમ ન આવે છતાં જે કામ હાથમાં લીધું – શરૂ કર્યું તેને પૂરું કરીને જ જંપે છે, અધવચ્ચે કદી ત્યાગ કરતા નથી. પ્રસ્તુત ગ્રંથરત્ન માટે પણ આ જ વાત લાગુ પડે છે. અનેક પ્રકારની સ્પષ્ટ મુશીબતોનો સામનો કરીને પણ આ મહાકાર્યને પરિપૂર્ણ કરવાનો અમારે દઢ સંકલ્પ દેવ ગુરુની પુણ્ય-કૃપાથી સિદ્ધિનું દ્વિતીય શિખર સર કરી રહ્યો છે. તે ખરેખર અમારે મન મહાન આનંદનો વિષય છે. પ. પૂ. આ. દેવ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.ની પાવન પ્રેરણા જો ન થઈ હોત તો તો આ કાર્યનો પ્રારંભ પણ ક્યાંથી થયો હોત ? અન્ય પણ આ મહાન કાર્યમાં એક યા બીજી રીતે પ્રેરણાદાતા, આશીવદિદાતા તેમજ હાર્દિક સહયોગદાતા એવા પૂજ્ય ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો તેમજ ચતુર્વિધ શ્રીસંઘ એમ સૌ કોઈ અત્યંત અત્યંત ધન્યવાદને પાત્ર છે. હમેશાં ગતિમાંથી જ પ્રગતિ થતી હોય છે. જો ગતિ જ ન થાય તો પ્રગતિ ક્યાંથી થાય? જો પહેલું પગથિયું જ ન ચઢાય તો બીજું પગથિયું ક્યાંથી ચઢાવાનું હતું? પ્રથમ સોપાનનું આરોહણ એ મનુષ્ય તે કાર્ય પ્રત્યે દશર્વિલી અખૂટ શ્રદ્ધા, ઊંડી હિંમત તથા અદમ્ય ઉત્સાહ વગેરેના જીવંત પ્રતીકરૂપે છે. જ્યારે દ્વિતીય સોપાનનું આરોહણ એ તેના જ ફળરૂપે છે. આમ ખાસ કરીને કોઈપણ કાર્યની કસોટી મધ્યભાગમાં જ મોટે ભાગે થતી હોય છે. જીવનની સફળતા મેળવવા માટે જુવાનીમાં જ વધુ સાવધાન રહેવાનું હોય છે. કોઈ પણ સાધના શરૂ કર્યા પછી અમુક પ્રમાણમાં જપ વગેરે થયા પછી વચ્ચે વિઘ્ન આવ્યા વગર ન રહે એવું બહુ જ ઓછું બનતું હોય છે. મુસાફર માણસ પોતાની સફર ચાલુ કરે છે તે પછી તેને વચગાળાની વાટ પસાર કરતાં તો ઘણી ઘણી હિંમતની જરૂર પડે છે. આવું લગભગ દરેક કાર્યોમાં બનતું હોય છે. તેમાંયે મહાસાગરની મુસાફરી તો સ્પષ્ટ રીતે મધ્યભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 562