Book Title: Sarvangin Sanshodhan ane Samalochna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ દર્શન અને ચિંતન મણિલાલે લગભગ ૨૪૦ જેટલાં પુસ્તકનું અવલોકન-વિવેચન કર્યું છે. એ અવકન માત્ર સ્થળ કે પચ પૂરતું નહિ, પણ તે તે પુસ્તક બરાબર વાંચી–સમજી તે વિશે પિતાને તટસ્થપણે જે સૂચવવું છે તે સૂચવ્યું છે. અને ઘણું વાર તેમણે પિતાના પ્રતિપક્ષી લેખકેનાં પુસ્તક વિશે પણ ઊંચે અભિપ્રાય દર્શાવ્યો છે. આ વસ્તુ લેખકે નિબંધમાં ઉત્તમ રીતે રજૂ કરી છે. (દા. ત. જુઓ પૃ. ૨૫૯ પદને અનુભવિકા ” વિશે ઉલ્લેખ.). બીજાં બધાં કામે ઉપરાંત મણિલાલના જે કામે મારું મન વધારે જીત્યું છે તે કામ પાટણના ભંડારોનું અવલોકન-સંશોધન. મણિલાલ પહેલાં ટોડ, ફાર્બસ, મુલ્હર અને ભાંડારકરે પાટણના ભંડારે અવલેકેલા, પણ તેમની પછી તરત જ મણિલાલ એ કામગીરી હાથમાં લે છે. બીજા બધા કરતાં ઓછી સગવડ અને નાદુરસ્ત તબિયત છતાં તેમણે લગભગ આઠ માસ લગી રાત અને દિવસ એકધારું ભંડારોનું વ્યવસ્થિત કામ કર્યું. જ્યારે કે ભંડારે ઉઘાડવા રાજી નહિ, અને ઉઘાડે તેય પૂરું બતાવે નહિ, બેસવાની જગ્યા પણ અંધારી અને ભેજવાળી, વળી થડા વખત માટે ભંડાર ઉઘાડે તોય મકાને લિખિત પિથીઓ લઈ જવા આપે નહિ, નકલ કરનારની પણ પૂરી સગવડ નહિ, ઇત્યાદિ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે ૧૨ ભંડારેમાંના મળ્યા તેટલા ગ્રંથોનું પાને પાને જોઈ તેની મુદ્દાવાર વિગતે યાદી તૈયાર કરી. એટલું જ નહિ, પણ તે ઉપરથી સર સયાજીરાવ પાસે તેમણે એક નિવેદન રજૂ કર્યું, જેમાં ગાયકવાડ સરકારે ભંડારોના ઉદ્ધાર વિશે શું શું કરવું, કયા કયા ગ્રંથો પ્રસિદ્ધ કરવા, કયાં કયાં ભાષાંતર કરાવવાં અને કયા કયા ગ્રંથાને માત્ર સારા પ્રગટ કરે ઈત્યાદિ સૂચના હતી. એ સૂચનાને આધારે જ સર સયાજીરાવે પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝ એ બે પ્રવૃત્તિઓ શરૂ કરી, જે ઉત્તરોત્તર વિકસતી રહી છે. મણિલાલ માત્ર સૂચના કરીને જ બેસી ન રહ્યા, પણ તેમણે જાતે જ એ કાભ પ્રારંવ્યું. તેના ફળરૂપે અનેકાંતવાàવેશ', “યાશ્રય”, “કુમારપાળચરિત', “ષડ્રદર્શનસમુચ્ચય', ભોજપ્રબંધ', “ઋતિસારસમુદ્ધરણ' આદિ ગ્રંથોનાં આધુનિક ગુજરાતીમાં સર્વપ્રથમ ભાષાંતર પ્રસ્તાવના સહ પ્રસિદ્ધ થયાં અને સંસ્કૃત-પ્રાકૃત પ્રાચીન નાં ભાષાંતર કરવાનો માર્ગ મોકળો થે. મણિલાલે પિતાની સૂચનાને મૂર્ત રૂપ આપવા “પ્રબંધચિંતામણિ” વગેરે ૧૯ ગ્રંથોને સાર ગુજરાતીમાં લખી બે ભાગમાં પ્રસિદ્ધ કર્યો. એ જ રીતે તેમણે ભવભૂતિનાં ત્રણે નાટકનાં ગુજરાતીમાં ભાષાંતર કર્યો, જેમાં “મહાવીરચરિત” અદ્યાપિ અપ્રસિદ્ધ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10