________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સાધ્ય-સાધક અધિકાર
૨૫૭
એવા-એ (આત્મશ9િ) જીવદ્રવ્યના ગુણો તેમનું જે (મુલાય) દ્રવ્યથી અભિન્નપણું (મય:) તે-મય અર્થાત્ એવું છે જીવદ્રવ્ય; તેથી એક શક્તિને કહે છે એક નય, પરંતુ અનંત શક્તિઓ છે તેથી એક એક નય કરતાં અનંત નય થાય છે. એ પ્રમાણે કરતાં ઘણા વિકલ્પો ઊપજે છે, જીવનો અનુભવ ખોવાઈ જાય છે. તેથી નિર્વિકલ્પ જ્ઞાનવસ્તુમાત્ર અનુભવ કરવાયોગ્ય છે. ૭-૨૭).
न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रभावोऽस्मि।
ખંડાન્વય સહિત અર્થ:- “ “ભાવ: સ્મિ''હું વસ્તુસ્વરૂપ છું. વળી કેવો છું? “જ્ઞાનમાત્ર'' ચેતનામાત્ર છે સર્વસ્વ જેનું એવો છું. ““y:'' સમસ્ત ભેદ-વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? “ “સુવિશુદ્ધ:'' દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિથી રહિત છું. વળી કેવો છું? “ “દ્રવ્ય ન વહયામિ'' જીવ સ્વદ્રવ્યરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “ “ક્ષેત્રે ન ઉડ્ડયામિ'' જીવ સ્વક્ષેત્રરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ““માનેન ન વધ૩યામિ'' જીવ સ્વકાળરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું: ‘‘ભાવેન ન વધ૩યામિ'' જીવ સ્વભાવરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું. ભાવાર્થ આમ છે કે-એક જીવવસ્તુ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્વભાવરૂપ ચાર પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે તો પણ ચાર સત્તા નથી, એક સત્તા છે. તેનું દષ્ટાન્ત-જેમ એક આમ્રફળ ચાર પ્રકારે છે એમ તો ચાર સત્તા નથી. તેનું વિવરણ-કોઈ અંશ રસ છે, કોઈ અંશ છોતરું છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે; તેમ એમ જીવવતુ (વિષે) કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, કોઈ અંશ જીવભાવ છે, -એ પ્રમાણે તો નથી, એવું માનતાં સર્વ વિપરીત થાય છે. તેથી આ પ્રમાણે છે કે જેમ એક આમ્રફળ સ્પર્શ-રસ-ગંધ-વ બિરાજમાન પુદ્ગલનો પિંડ છે, તેથી સ્પર્શમાત્રથી વિચારતાં સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં ગંધમાત્ર છે,
* શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં આ ભાગ કાશરૂપ પદ્ય નથી, પરંતુ ગધ છે; તેથી તેને કળશ તરીકે ક્રમાંક આપવામાં આવ્યો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com