Book Title: Sahitya ane Shilp ma Kalyantraya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૧૦૬ મધુસૂદન ઢાંકી Nirgrantha ત્રણે પરિમાણોમાં વિસ્તરતી રચના નથી (ચિત્ર ૩): વિશેષમાં તેમાં સૌથી ઉપરની ત્રીજી મૂર્તિ ગાયબ થઈ છે, પણ તેમ છતાં આયોજન સરસ લાગે છે. આ મંદિરના ઉપર ચર્ચિત અભિલેખોમાં કહેલ કલ્યાણત્રય' તે આ જ રચના છે. ‘કલ્યાણત્રય' અંગે કેટલાક વિશેષ સંદર્ભો પ્રાપ્ત થાય છે જે અહીં હવે રજૂ કરીશું. ‘ગિરનાર' પરના એક સંવત નષ્ટ થયેલા ખંડિત લેખમાં 'કલ્યાણત્રય'નો આગળના વિશેષ લુપ્ત થયેલા સંદર્ભમાં ઉલ્લેખ આવે છે :* स्वस्ति श्री धृतिनमः श्रीनेमिनाथाय जवर्षे फाल्गुन शुदि ५ गुरौ श्री (यादवकुल) तिलकमहाराज श्रीमहीपाल (देव विजयराज्ये) वयरसिंह भार्या फाउसुत सा (सालिग) સુત સા. સાબ મેતા મેતા - जसुता रुडी गांगी प्रभृति (श्रीनेमि) नाथप्रासादः कारितः प्रतिष्टि(ठतं श्रीचन्द्र) द्रसूरि तत्पट्टे श्रीमुनिसिंह (सूरि) ....... ન્યા છાત્રય - (लि. ऑ० ऑ० रि० ई० बॉ० प्रे० पृ० ३५४) આમાં વંચાયેલ..... “તિલક મહારાજ શ્રીમહીપાલ”...... ભાગમાં મૂળે “(ાવત) તિન ભાગ મદીપતિ(વિનય રાજે)” હોઈ શકે છે અને તો તે ચૂડાસમા રા'મહીપાલદેવ(પ્રથમ)ના સમયનો, અને મોટે ભાગે ઈસ્વીસનની ચૌદમી શતાબ્દીના પ્રથમ ચરણનો, લેખ હોઈ શકે છે : અને જે પ્રાસાદ કરાવેલો તે....(નેમિનાથનો હોવો જોઈએ અને તો ત્યાં તૂટેલ ભાગ પછીથી આવતું 'કલ્યાણત્રય' એ પ્રસ્તુત લેખમાં જેનાં નામ આવે છે તે શ્રાવક-શ્રાવિકાઓએ મંત્રી ‘તેજપાળના કલ્યાણત્રય'માંથી સ્વતંત્ર કરાવેલો હોવો જોઈએ. (હું માનું છું કે ચૈત્યપરિપાટીકારી તેમ જ સોમસૌભાગ્યકાવ્યના કર્તા પ્રતિકાસીમ જેને લક્ષોબા કિંવા લખપતિ દ્વારા ગિરનારમાં કરાવેલ ચતુર્મુખ પ્રાસાદની વાત કરે છે તે પંદરમા શતકના પ્રાસાદને સ્થાને અસલમાં આ મહીપાલદેવના સમયનો કલ્યાણત્રય પ્રાસાદ હશે. લોબાવાળો પ્રાસાદ હાલ મોજૂદ છે. અને તેમાં ચાર ઊંચી થાંભલીવાળી, મહૂલી શી રચના છે, જેની અંતર્ગત મૂળે 'કલ્યાણત્રય' હશે.) ગિરનાર, આબુ. કુંભારિયા સિવાય થોડાંક અન્ય સ્થળોએ પણ “કલ્યાણત્રય' હોવાનાં કેટલાંક સાહિત્યિક સાક્યો ઉપલબ્ધ છે. એક કાળે એવી એક પ્રતિષ્ઠા શત્રુંજયગિરિ પરની ‘ખરતરવસહી' (ઈ. સ. ૧૩૨૫)માં હતી”, અને મેવાડમાં આવેલ દેલવાડા' (દેવકુલપાટક)ની “ખરતરવસહી'માં પણ હતી; આ દેલવાડાના 'કલ્યાણત્રય' વિષયક બે અપ્રકટ અજ્ઞાત કરૂંક ૧૫મા સૈકાની ચૈત્યપરિપાટીઓમાંથી ઉદ્ધરણ અહીં ટાંકીશું: तु (सुझदेवी ? मरुदेवी) गयवरि चडिया सिरि सत्तरिसउ चंग, पंचय पंडवगुरु सहियो कल्याणत्रय रंग; अठ्ठावय जगि सलहिय अ तिहूयणि तिलय समाण, afમ ટાઉન વજ પૂર્તતીય ના ર વીજ ...૨ पडिमाठिय नमिविनमि नमि जंबूवृक्षविहार Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17