Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 118
________________ સદ્દષ્ટિદ્વાäિશિકા/શ્લોક-૨૮ ટીકાર્ચ - ચાંદો .... તચ્છિાવિષટના I. આ દૃષ્ટિમાં પરાષ્ટિમાં યોગી અતિચારવાળા નથી; કેમ કે અતિચારના કારણનો અભાવ છે-અતિચારના કારણીભૂત ખેદાદિ આઠે દોષોનો અભાવ છે. આથી=પરાદષ્ટિમાં યોગીને અતિચાર નથી આથી, નિરાચારપદવાળા છે; કેમ કે પ્રતિક્રમણાદિનો અભાવ છે–પ્રતિક્રમણાદિ આચારોનો અભાવ છે અને આવી આ દૃષ્ટિવાળા યોગીનીપરાષ્ટિવાળા યોગીની, ભક્તને ભોજનના અભાવની જેમ વિતા વેદા=સમગ્રચેષ્ટા સર્વ પ્રવૃત્તિઓ મ=મનાઈ છે અર્થાત્ ભક્તને જેમ ભોજનક્રિયા નથી તેમ આ દૃષ્ટિવાળા યોગીને કોઈ ચેષ્ટા નથી; કેમ કે આચારજેય કર્મનો અભાવ છે. કેમ આચારજેય કર્મનો અભાવ છે, તેમાં હેતુ કહે છે – તેનું ભક્તપ્રાયઃપણું હોવાથી સિદ્ધપણું છે=આચારથી નાશ્ય એવા કર્મોના નાશનું સિદ્ધપણું છે. અહીં પ્રશ્ન થાય કે આચારથી નાશ્ય એવા કર્મોના નાશનું સિદ્ધપણું હોય એટલા માત્રથી તે યોગી શાસ્ત્રવિહિત પ્રવૃત્તિ કેમ કરતા નથી, તેમાં હેતુ કહે છે – તેની ઈચ્છાનું વિઘટન છે, અર્થાત્ શાસ્ત્રવિહિત પ્રવૃત્તિની ઇચ્છાનો અભાવ છે. ૨૮ ભાવાર્થ - પરાષ્ટિમાં નિરાચારપદ : પાદૃષ્ટિમાં રહેલા યોગીને અતિચાર કરાવે તેવા કર્મો નથી, માટે યોગમાર્ગમાં અલના કરાવનારાં કર્મોને જીતવા અર્થે શાસ્ત્રમાં જે પ્રતિક્રમણાદિ આચારો બતાવ્યા છે, તે આચારો પરાદષ્ટિવાળા યોગીઓને નથી, તેથી નિરાચારપદવાળા છે. અહીં પ્રશ્ન થાય કે તેઓની ચેષ્ટાઓ કેવી છે ? તેથી કહે છે – પરાષ્ટિમાં રહેલા યોગીઓની સંપૂર્ણ ચેષ્ટા ભક્તને ભોજનક્રિયાના અભાવની જેમ કહેવાયેલી છે અર્થાત્ ભક્તને ભોજનની ચેષ્ટા હોતી નથી, તેમ પરાષ્ટિવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130