Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 127
________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧-૩૨ ઔક્યદોષની નિવૃત્તિમાં વા૫૨વી એ લબ્ધિનો પારમાર્થિક ઉપયોગ છે, અને પ્રાપ્ત થયેલી લબ્ધિઓથી ઔત્સક્યની નિવૃત્તિ થાય તે લબ્ધિઓનું પારમાર્થિક ફળ છે. જેઓ પોતાને પ્રગટ થયેલી લબ્ધિઓનો ઉત્સુકતાની નિવૃત્તિમાં ઉપયોગ કરે છે, તેઓ પ્રાપ્ત થયેલી લબ્ધિઓના પારમાર્થિક ફળને પ્રાપ્ત કરે છે; અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે સંપૂર્ણ ઉત્સુકતાની નિવૃત્તિ થયેલી છે, તેથી સર્વ લબ્ધિઓના ફળથી યુક્ત કેવળજ્ઞાન છે; અને કેવળજ્ઞાન પામ્યા પછી જે પ્રકારની શ્રોતાની યોગ્યતા છે તે પ્રમાણે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિરૂપ તે શ્રોતાના પ્રકૃષ્ટ પરાર્થને કેવળી સંપાદન કરે છે, અને ત્યારપછી ઉચિત કાળે મોક્ષની પ્રાપ્તિના કારણીભૂત એવા યોગના પર્યંતને પ્રાપ્ત કરે છે અર્થાત્ મોક્ષની સાથે આત્માને જોડે એવા યોગનિરોધરૂપ યોગનો અંતિમ વ્યાપાર કરે છે. II૩૧II શ્લોક ઃ ૧૦૪ तत्रायोगाद्योगमुख्याद् भवोपग्राहिकर्मणाम् । क्षयं कृत्वा प्रयात्युच्चैः परमानन्दमन्दिरम् ।।३२।। અન્વયાર્થ : તંત્ર=ત્યાં=યોગના પર્યંતભાગમાં, યોગમુધ્ધાત્ પ્રયોગાત્=યોગમાં મુખ્ય એવા અયોગથી–અવ્યાપારથી મવોપપ્રાદ્દિવર્માન્=ભવોપગ્રાહી કર્મોનો ક્ષયં ત્વા=ક્ષય કરીને ઉર્ધ્વ =લોકના અંતે, પરમાનન્દ્રન્વિ=પરમાનંદરૂપ સ્થાનમાં प्रयाति = f=જાય છે. ।।૩૨।। શ્લોકાર્થ : ત્યાં=યોગના પર્યંતભાગમાં યોગમાં મુખ્ય એવા અવ્યાપારથી ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને લોકના અંતે પરમાનંદરૂપ સ્થાનમાં જાય છે. II3ચા ટીકા : तत्रेति-तत्र-योगान्ते-शैलेश्यवस्थायां, अयोगाद् = अव्यापारात् योगमुख्यात् भवोपग्राहिणां कर्मणां क्षयं कृत्वा, उच्चैः = लोकान्ते, परमानन्दमन्दिरं प्रयाति ૨૨૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130