Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH

View full book text
Previous | Next

Page 13
________________ કાયોત્સર્ગનાં સહાયક તત્વો: (૧) શરીરની સ્થિરતા (ર) શિથિલતા અને (૩) ચિત્તની જાગરૂકતા (સજાગતા). કાયોત્સર્ગના પ્રકારોઃ (૧) ઊભાં ઊભાં કાયોત્સર્ગ કરવો - ઉત્તમ (૨) બેસીને કરવો - મધ્યમ (૩) સૂઈને કરવો - સામાન્ય. પ્રારંભમાં કાયોત્સર્ગ સૂઈને કરવો વધારે અનુકૂળ રહે છે. કાયોત્સર્ગની ક્રમિક વિધિ : (૧) સંકલ્પ (૨) ત્રણ વખત ઊભાં ઊભાં તથા સૂઈને તાડાસન (૩) કાયોત્સર્ગની મુદ્રા (૪) શિથિલીકરણનો અભ્યાસ (૫) ભેદ વિજ્ઞાનનો અનુભવ (૬) શરીરમાં સક્રિયતાનો અનુભવ (૭) મૂળ સ્થિતિમાં પાછા ફરવું (૮) શરણ સૂત્ર (૯) વન્દ સચ્ચમ્ કાયોત્સર્ગના લાભો : શારીરિક કે શારીરિક થાક, આળસ અને તનાવમુક્તિ, હળવાશનો અનુભવ : શારીરિક જડતાનો નાશ, શરીરમાં લચીલાપણાની વૃદ્ધિ : Æયના વધારે દબાણથી મુક્તિ : અનિદ્રા, અતિનિદ્રા બંને માટે સ્થાયી સમાધાન માનસિક : માનસિક રોગ - ચિંતા, તનાવ, ભય વગેરેથી મુક્તિ વ્યાવહારિક ઃ તન, મનની કાર્યક્ષમતાનો વિકાસ, મગજ શાંત અને સંતુલિત આધ્યાત્મિક : માધ્યસ્થતા, અનાસક્તિ ભેદજ્ઞાન, અભય, સહિષ્ણુતાનો વિકાસ સમય : સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ વાગ્યાની વચ્ચે ૧૫ થી ૪૫ મિનિટ સુધી : સાંજે વ્યાવસાયિક કાર્યોથી મુક્ત થયા પછી ૧૫ થી ૪૫ મિનિટ સુધી : ઊંઘ ન આવે તો રાત્રે સૂતી વખતે : ભોજનના ત્રણ કલાક પછી ગમે ત્યારે. નોંધઃ ધ્યાન માટે ધ્યાન પહેલાં પ મિનિટનો કાયોત્સર્ગ (બેસીને) કરવામાં આવે છે. ધ્યાન ઉપરાંત સ્વતંત્ર રીતે સૂઈને, બેસીને કે ઊભાં ઊભાં ૧૫ થી ૪૫ મિનિટ સુધી કાયોત્સર્ગનો અભ્યાસ કરી શકાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20