Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ ૨૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ હે જઠર દેવ! મિચ્છામિ દુક્કડમ્ ! (મારા દુષ્કૃત્ય માટે ક્ષમા કરો) - ડૉ. મહેરવાન ભમગરા પરમ પૂજ્ય પેટ, ઘણા સમયથી થતું હતું કે તારા પર કરાયેલા અત્યાચારો માટે તારી માફી માંગું. પરંતુ સામાન્ય રીતે જેમ કોઈ ગુનેહગારને પોતાનો ગુનાહ દેખાય છતાં તે માટે એ માફી માગવાની હિંમત સહેલાઈથી કરી શકતો નથી, તેમ હું પણ તારી માફી માગવામાં આજ સુધી વિલંબ કરતો આવ્યો છું. હું તારી ક્ષમા આ કાગળ દ્વારા પ્રાર્થુ છું. ફિલ્મી વાર્તાઓમાં, તેમજ વાસ્તવિક જીવનમાં પણ, ક્યારેક કોઈએ નાનું મોટું કુકર્મ કર્યું હોય તેને એવું કહેતો સાંભળીએ છીએ કે, ‘પાપી પેટને વાસ્તે મેં આ ભૂલ કરી.' માનવી પોતાને બદનામ કરવાને બદલે તને પાપી ગણાવે છે. પેટ દેવ! તું તો કોઈ પણ પાપ કરવાની સ્થિતિમાં છે જ નહિ; પાપ તો તારો માલિક જ કરી શકે. હું પાપ કરી શકું; તું ક્યાંથી કરે? તારી કુદરતી પાચનશક્તિની ક્ષમતાને અતિક્રમીને મેં તારા પર સતત બોજ નાખ્યા જ કર્યો, તે નૃત્યને હું પાપ ગણું છું. જિંદગીભર,કરે છે? એટલે જ શુદ્ધ શાકાહારી હોવા છતાં, અહિંસક કોમનાં કૃત્રિમ ભૂખ પેદા કરીને પણ માનવીએ તો બસ ખા-ખા કરતા એવું છે. જૈન ધર્મ જૈનોને જ નહિ, માનવમાત્રને ઊર્જાદરીનું વ્રત પાળવા અનુરોધ કર્યો છે. મુનિ મહારાજાએ ઊોદરી વ્રતને અહિંસાનનું એક અંગ ગણ્યું છે. પણ શ્રાવકો એનો અમલ ક્યાં રોજ ‘ઓવર લોડિંગ’ કરીને મેં તારે મોઢે ત્રાહિમામ પોકારાવ્યું છે! અને તે પણ રોજ એક જ વેળા નહિ, બેથી ત્રણ વેળા! અને આ મારો દુર્વ્યવહાર આજકાલનો નહિ, દાયકાઓ જૂનો છે. આ લાંબા ગાળામાં મેં તને એક દિવસનો પણ વિશ્રામ આપ્યો નથી. એનો મને ખેદ છે. ભાઈ-બહેનો પણ હૃદયરોગો અને કેન્સર સુદ્ધાં અનેક રોગથી પીડાય છે, જેનું એક કારણ ખાઉધરાપણું છે. ડૉ.હોરેસ ફ્લેચર નામનો એક અંગ્રેજ તબીબ એક સરળ સૂચન આપી ગયો છે, જે પાળવામાં આવે તો આપમેળે અત્યાહારથી બચાય. એ હતો કે * નક્કર ખોરાક ખાય તે બત્રીસ વેળા ચાવીને ખાવ. ધન ખોરાક પ્રવાહી બને પછી જ અને ગળાં નીચે ઉતરવા દો, છાશ, ફળ-રસ, સૂપ વગેરે પ્રવાહી પીતા હોવ તો એને પણ થોડી માત્રામાં, ચૂસીને પીઓ, અને થોડો સમય મોમાં જીભથી એને ફેરવી ફેરવીને થૂંકનું અમી એની સાથે મળે પછી જ એને અન્નનળીમાં ઉતરવા દો. પેટ દેવ ! તને કે આંતને દાંત હોતા નથી. જે ખોરાક બરાબર ચવાય નહિ, તે ખોરાક બરાબર પચે નહિ, એ સમજાય એવી વાત છે. બરાબર ચાવીને ધીરે ધીરે ખોરાક લેવાય તો ઊર્ણાદરી' આપમેળે પાળી શકાય. શાંતિથી ચાવી-ચાવીને ખાનાર વ્યક્તિ ખાઉધરો હોય જ નહિ; મિતાહારી જ હોય. પૂજ્ય પેટ”“ખાધે-પીધે સુખી' હોવાને કારણે, તને દુઃખી કરનાર તારા માલિકો તારી અંદર જેટલો ખોરાક અહર્નિશ નાખતા રહે છે, તેનાથી અડધો જ આરોગે, તો એટલું કરવા માત્રથી જ, કદાચ એ નિરોગી થઈ જાય ! કેટલાક તો એટલું બધું ઠાંસે છે, કે એનો એક-તૃતિયાંશ ભાગ, અને કેટલાક કિસ્સામાં તો એક-ચતુર્થાંશ યા ફક્ત એક-પંચમાંશ ભાગ પણ એ ખાઉધરાઓને પોષણ આપવા માટે પૂરતો થઈ પડે ! ઘણાને રોજની પચ્ચીસ રોટીની નહિ, પાંચ રોટીની તારી નાજુક છતાં મજબૂત દિવાલોને બાળી નાખે એટલો મરચાંવાળો ખોરાક મેં ખાધો છે. માંસાહાર કરીને, તેમજ શરાબ, તંબાકુ જેવા દાહક પદાર્થો મોંમાં નાખીને મેં તને અનેક વેળા પરેશાન કર્યો છે; તને વધુ એસિડનો સ્રાવ કરવા મજબૂર કર્યો છે. પ્રમાણમાં નિર્દોષ કહેવાય એવી વાનગીઓ, દાળ, ભાત, કઢી, ખીચડીને પણ છેક વધુ પ્રમાણમાં આરોગીને મેં તારી પાચનક્રિયાને મંદ બનાવી છે. એમ ઉપનિષદોએ, બાઈબલે અને કબીરદાસે પણ કહ્યું છે. શરીર ઈશ્વરનું મંદિર છે, પરંતુ મારા જેવા અબજો માનવીઓ એને કચરાકુડાનું ‘ડંપિંગ ગ્રાઉન્ડ’ ગણીને મોં વાટે, જે તે કહેવાતો ખોરાક, ‘જંક ફુડ', શરીરના એક અગત્યનાં અવયવમાં-યાને તુજમાં-પધ૨ાવતા રહે છે. વચ્ચે, એક ચોકલેટ બનાવનાર કંપનીએ પોતાની જાહેરાતમાં ચોકલેટનાં પેકેટના ચિત્ર આગળ ‘થોડી સી પેટ પૂજા’ લખીને ગ્રાહકને લલચાવનારૂં આમંત્રણ છાપ્યું હતું. સાચા અર્થમાં પૂજા તો સત્ત્વતત્ત્વની, સત્ત્વતત્ત્વથી કરાય. પેટમાં ચોકલેટ, ચેવડો નાખવાથી પૂજા નથી થતી. ઊણોદરી : મંદાગ્નિથી મુક્તિ માટે થશ શાસ્ત્રોએ જઠરમાં અગ્નિ છે એમ કહ્યું છે. એ અગ્નિ તો યજ્ઞ માટે છે. અને પ્રજ્વલિત રાખવાનો છે; એ બુઝાઈ જાય એટલી હદે ખાઈપીને એને મંદ કરવાનો નથી. યજ્ઞ-હવનની કે પૂજાની વાત બાજુએ રાખી મેં ઉલટાનું તું કચરાપેટી હોય એવો વહેવાર તારી સાથે કર્યો છે. હું એકલો જ નહિ, સૌ માનવીઓ તારા પર અત્યાચાર કરે છે. કોઈને જમવા બોલાવતી વેળા, 'ચાલી પેટ પૂજા કરવા', એમ મજાકમાં જ કહેવાય છે; સાચા અર્થમાં તારી પૂજા કોઈ કરતું નથી. ફક્ત તું જ નહિ, આખું શરીર પવિત્ર છે,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36