Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૨૮ પ્રબુદ્ધ જીવન જીવનશક્તિ જ એકમાત્ર રોગનિવારક શક્તિ હોવાને કારણે શરીરમાં ક્યાં પણ, કોઈપા, રોગ હોય, તો તે આ જીવનશક્તિ કાર્યાન્વિત થવાથી દૂર થાય. દવાઓ ખાવા કે પીવાથી જે અકુદરતી પ્રતિક્રિયાઓ તારે કરવી પડે, તેમાંથી તારો છૂટકારો થાય. કેટલાય લાખો માનવશરીરમાં, ચોવીસે કલાક સતત કામ કરવું, ભાગ્યે જ આરામ મેળવતું અવયવ તું છે. હે જઠર દેવ! તારા ૫૨ દિનપ્રતિદિન એટલો બોજ લદાનો રહે છે કે ઘણા માનવીઓમાં તારી દિવાલો પોતાની જન્મજાત સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, અને તું લચી પડે છે. નાભિરેખાની ઉપર રહેવાને બદલે તું સ્થાનભ્રષ્ટ થઈ પેડુમાં ઉતરી જાય છે. તારી સાથે તું આંતરડાના તારી સાથે જોડાયેલા ભાગને પણ પેડુમાં ખેંચી લાવે છે. મોટું આંતરડું આ તમારા બન્નેના બોજને કારો ભીડ અનુભવે છે. એની જગ્યામાં તમે અતિક્રમણ કરો, પછી એણે ક્યાં જવું? આખું પાચનતંત્ર અને મળવિસર્જન તંત્ર શિધિલ બર્ન, હડતાલ પર જાય, તો તારો સ્વામી માંદો પડેજને ! ખાઉધરાનો ખોરાક એને માંદો પાડે, અને છેવટે એનાં મોતનું કારણ પણ બને! બનતાં સુધી માનવીએ તો અઠવાડિષે એક આખો દિવસ ઉપવાસ કરી તને વિશ્રામ આપો જોઈએ. સમૃદ્ધ દેશોના ડૉક્ટરોનો મત છે, કે ભૂખમરાથી મરતા લોકો કરતાં વધુ સંખ્યામાં, ખાઉધરા મરતા હોય છે. ફ્રેંચ ડૉક્ટરો કહે છે, કે અમારા દેશના લોકો કાંય-ચમચાથી પોતાની ઘોર ખોદ છે. નેચરોપેથો કહે છે કે ખાઉધરા માણસો પોતાને નહિ, પોતાના ડૉક્ટરોને પોષણ આપતા હોય છે! આ ચિકિત્સકો એમ પણ કહે છે કે અકરાંતિયા-પણું એ શરીર પ્રત્યે હિંસા છે, અને સમાજ વિરૂદ્ધ ગુનેહગારી છે. આ બધાં વિધાનોમાં જરા સરખી પણ અયુક્તિ નથી. ગાંધી વિચાર : હૈ પૂજ્ય પેટ દેવ! 'જ્યોં કી ત્યોં ધરદીની ચદરી” ગાનાર કબીરના કથનને પોતાના જીવનમાં અમલમાં મૂકનાર, આ સદીના એક મહાન આત્મા, ગાંધીબાપુના ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન' પુસ્તકમાંથી એમના છેક ૧૯૦૬માં લખાયેલા વિચારો તારૂં ચરણે સાદર રજૂ કરું છું. અને એ વિચારોમાંથી બોધ ગ્રહણ કરીને માનવસમાજ અત્યાહારની કુટેવોમાંથી બહાર આવે એવી પ્રાર્થના કરું છું. ગાંધીજી કહે છે : તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૯૧ ઉપર પુસ્તકો નથી. તે નીતિ-અનીતિનો વિષય મનાયો જ નથી. આનું સબળ કારણ તો એ છે કે આજે બધા એક નાવમાં બેઠા છીએ. મહાન નરો પણ સ્વાદને તદ્દન જીતી શક્યા તેવામાં આવતા નથી. એટલે સ્વાદ કરવો એમાં દોય એવા ‘બે કરતાં વધારે વખત ખાવાની જરૂર યુવાવસ્થા પછી તો નથી .... હંમેરા અલ્પ હાર જ લો. અલ્પાહાર એટલે માપ, તોલીને, જાગૃતપણે, સમજપૂર્વક ખાધેલો ખોરાક... નીતિના વિજયમાં જૂઠા ઉપર, ચોરી ઉપર, વ્યભિચર ઉપર જા સરસ પુસ્તકો રચાયાં છે, પન્ન સ્વાદદિય જેને વશ નથી, તેની જ નથી... આપણે બધા સ્વાદિયના ગુલામ હોવાથી તે ગુલામીને જાકારતા નથી.. લગ્ન સંગે જ નહિ, માત્તર પ જમવારનું આયોજન કેટલાક કરતા રેય છે... નોતરેલાને દાબીને ન ખવડાવીએ તો આપણે કંજૂસ જાઈએ.... રજા પડી તો ખાવાનું સરસ કરવું જ જોઈએ; રવિવાર આવ્યો તો આપને આફરો ચડે તેટલું ખાવાની છૂટ છે એમ માનીએ છીએ. આમ જે મહાદોષ છે, તેને આપણે મહાવિવેક હરાવી પાડયો છે... પોગા નાવ્યા એટલે તેની અને આપણી કમબખ્તી!... પરોણાને ખૂબ જમાડી તેને ત્યાં ખૂબ જમવાની આશા રાખીએ છીએ.. આપણે હરગીજ વધુ ન ખાવું જાઈએ, અને જમણની તથા જમણવારોની વાત છોડી દેવી જોઈ... ભૂલથી વધુ ખવાઈ જાય, તેના કરતાં ઓછું ખાવાની ભૂલ થઈ જાય તો થવા દેજો... આપણું પેટ આપણું પાયખાનું બન્યું છે, અને આપણે આપણી પાયખાનાની પેટી સાથે રાખીને ફરીએ છીએ... આપણા આહારનું પ્રમાણ ઘટાડવાની, તથા ભોજનની ટકો ઓછી કરવાની જરૂર છે... મિતાહારી બનવું જરૂરી છે... * ગાંધીબાપુ જેવા સ્પષ્ટ વક્તા જ આવી કડવી છતાં, સત્ય વાતો, નીડરતાથી કહી શકે. વંદના અને વચન : પેટેશ્વર મહારાજ ! તને હું વંદુ છું. તું છે તો હું છું. તું છે તો મારા શરીરમાં રક્ત બને છે. તું છે તો હૃદયનો પમ્પ કામ કરે છે. રક્ત વિના તો શરીરનો કોઈ પણ કોષ, પછી તે હાડકાંનો હોય, સ્નાયુનો હોય, મગજનો કે જ્ઞાનતંતુનો હોય, કે હૃદયનો જ હોય, પોષણ ન મેળવી શકે. અને રક્ત બનેં તારી અંદર થતી ચયાપચયની પ્રક્રિયાઓને કારણે. મારા વિચારો, વાણી અને વર્તન, ત્રણેને તું પોષે છે. ધંધાકીય સફળતા હોય કે સામાજિક પદ પ્રતિષ્ઠા, બધું જ તારી મદદથી મને મળ્યું છે. તને કોટિ કોટિ વંદન કરું છું, પ્રભુ પેટ! અને તારી પર કોઈ અત્યાચાર હું હવે કદી ન કરું એવું વચન આપું છું, હું સાચી ભૂખે જ ખાવાનું, ભુખ ન હોય તો ન ખાવાનું અને મિતાહારી બનવાનું તને વચન આપું છું. 'ભૂખ' શબ્દનો સાચો અર્થ મને સમજાઈ ગયો છે. ‘ભૂ’ એટલે ભૂમિમાંથી મળતો પદાર્થ જ હું આરોગીશ, અને ‘ખ' એટલે અવકાશ, જે પેટમાં જળવાય તેનો ખ્યાલ રાખીને જ હું ખાઈશ. જય જઠર...! જય પેટોબા...!! ૧૯ રવી સોસાયટી, રાઈવુડ, લોન્નાવલા-૪૧૦ ૪૦૧,

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36