Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 5
________________ આમ વિકૃતિની પરંપરામાંથી પ્રકૃતિમાં લાવવા માટે; અને પ્રકૃતિમાં રહેલાઓને સુદૃઢ બનાવનારી મહાપુરૂષોની અંતરના કુંડાણુમાંથી નીકળતી ભાષાને આ પુસ્તકમાં સંગ્રહ આપવામાં આવ્યા છે. માનવીને પ્રકૃતિના ગુણુગાન જરૂર ગમે છે, એણે સ્ટેાત્રે ગાયાં, સ્તવન ગાયાં, સ્તુતિ ગાઇ, કાઈ વિશિષ્ટ વ્યક્તિની એણે પૂજા શરૂ કરી ગુણુગાન કર્યાં. વીતરાગ ભગવતમાં શ્રદ્ધા મજબુત બની એમાં એણે જીવનની જડ નિહાલી અને એજ સ્તવના કરતાં કરતાં ખુદ માનવી પાતે પણ પ્રકૃતિમય–વીતરાગ બની ગયેk. આ સંગ્રહમાં એવાં હૈયાઓના પુકાર છે. ભગવાનની ભક્તિથી ભરપુર હૈયાંઓએ એમની રસ ઘૂન ઠાલવી છે. જે સૈદ્ધાન્તિક રહસ્યાને જાણવા શાસ્ત્રો ઉથલાવવાં પડે, વર્ષોં ગાળવાં પડે અને કેટલાંક અણુસમજ્યાંય રહી જાય તેવાં ગહન તત્ત્વા અને ચરિત્રાને રમત રમતમાં આનંદ કરતાં કરતાં સમજાઈ જાય તેવી રીતે ગુછ્યાં છે. ક્રે–કાઈ ધીરગંભીર સ્વરે ગાય તે ખુદ ભગવાન ઉપદેશ આપતા ઉપસર્ગો સહન કરતાં, અરે! કેટ કેટલાં જીવનાને પ્રત્યક્ષ કરાવતાં હાય એવે સાક્ષાત્કાર થયા સિવાય ન રહે. આ પુસ્તકમાં સઝાયાના પણ સંગ્રહ છે. મઝાયર અને સ્તવનમાં જરા ફેર છે. સજ્ઝાયમાં અધ્યયન છે, પત છે, પાન છે. એ પણુ વ્યક્તિનું જીવન આલેખે છે. અમકા, સુભદ્રા, કલાવતી એમ અનેક પુણ્ય પુરૂષોનાં જીવન આલેખાય છે. સ્તવનની એક મર્યાદા છે. સ્તવન માત્ર વીતરાગનુ હાય છે. એના વિશેષ્ઠ આરાધકાનું નહી. એના આરાધકાનાં જીવન સઝાયમાં ઉતારાય છે. અને એવાં ચરિત્રાની સજાયેા જીવનમાં મેક્ષનુ ભાથું ભરી જાય છે. પુણ્ય પુરૂષોની જેમ આધ્યાત્મિક ગહન તવાના પણુ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 468