Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૩] વિવેચન : મુનિશ્રી લલ્લુજી મહારાજ ઉપર લખાયેલ અદ્ભુત માર્ગદર્શક રૂપ, માર્ગને મર્મ બતાવનાર આ પત્ર અહીં પૂરો થાય છે અને પૂજ્ય અંબાલાલભાઈ મારફત તેમને મેકલાય છે. જીવ સ્વભાવથી એટલે સમજણના અભાવે વિકલ્પી છે અને દોષ દેવાની વૃત્તિવાળે છે તે પરમ કૃપાળુ ભગવંતના જ્ઞાનમાં હોઈ શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રાંક ૧૭૧ જેની સાથે આ પત્ર નં. ૧૭૨ બીડેલ હતું, તેમાં ચેતવણીરૂપ વચને લખ્યાં છે. તે આ રહ્યાં – “પત્ર લખવાને ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટે છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગને કમ વીસર્યા એમ સમજી લેજે. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે.” આ ચેતવણી આપવાને અર્થ એવો નથી કે શ્રી અંબાલાલભાઈ (કે મુનિશ્રી) પત્રમાં જણાવેલ આશયવાળે ભાવ કરશે તેથી ચેતાવ્યા છે, પરંતુ વાતની જાગૃતિ રહે અને વર્તન માન કે ભવિષ્યમાં જરા સરખે અન્ય પ્રકારને અસત્ય વિચાર સ્વપ્નમાં પણ ન આવે તે હેતુએ વચને લખ્યાં છે. ઉપરાંત આ ચેતવણી–આ વચને વાંચનાર, સમજવાનો પ્રયાસ કરનાર આપણે સહુ માટે છે એ પણ વિસ્મરણ કરવા યોગ્ય નથી. હવે પત્રના લખાણ તરફ વળીએ. પ્રથમ મુનિશ્રીને કરેલું સંબોધન વિચારીએ. પરમ કૃપાળુ ભગવંતની શૈલી એવી અદ્વિતીય, સચેટ અને અર્થભાવસૂચક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 174