Book Title: Niramisha Ahar Jain Drushtie
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૧૮ જિનતત્ત્વ તેમાંથી અનાજ, વનસ્પતિ વગેરે ઊગે છે. એક દાણામાંથી બીજા અનેક દાણા પ્રાપ્ત થાય છે. પરંતુ આ દલીલ પણ પૂરી તકયુક્ત નથી. દરેક જાતિના જીવોનો ઉત્પત્તિનો જે ક્રમ છે તે દૃષ્ટિએ તેનો વિચાર થવો જોઈએ. બધા જીવોનો માત્ર જમીનમાં દાટવાની દૃષ્ટિએ વિચાર ન કરાય. દરેક જીવમાં બીજા જીવોને ઉત્પન્ન કરવાની શક્તિ પોતપોતાની યોનિ, જાતિ, પ્રકૃતિ અનુસાર રહેલી હોય છે. વનસ્પતિની ઊગવાની પ્રક્રિયા જમીન સાથે સંકળાયેલી છે. માછલીની ઉત્પત્તિ પાણી સાથે સંકળાયેલી છે. અનાજના કેટલાક પ્રકારના દાણા પાણીમાં નાખવાથી કે શેકવાથી નષ્ટ થઈ જાય છે, જ્યારે માછલી પાણીમાં રહીને બીજી અનેક માછલીઓ ઉત્પન્ન કરી શકે છે. કેટલાક સૂક્ષ્મ જીવો હવામાં ઉત્પન્ન થાય છે, અને માછલી પાણીની બહાર હવામાં મૃત્યુ પામે છે. એટલે અન્ય જીવોને ઉત્પન્ન કરવાની દૃષ્ટિએ શાકાહારને માંસાહાર કરતાં ચડિયાતો બતાવવાનો તર્ક અયોગ્ય છે. સંસારના તમામ જીવોને આહારસંજ્ઞા વળગેલી છે. જીવો જે આહાર ગ્રહણ કરે છે તેનું રૂપાંતર શરીરમાં થાય છે. આહાર એના એ સ્વરૂપે શરીરમાં રહેલો નથી, રૂપાંતરની આ પ્રક્રિયા મુખ્યત્વે સાત પ્રકારની બતાવવામાં આવી છે. એને સાત ધાતુ કહેવામાં આવે છે. એ ધાતુનો ક્રમ આ પ્રમાણે છે : (૧) રસ, (૨) રુધિર, (૩) માંસ, (૪) મેદ, (૫) અસ્થિ, (૬) મજ્જા અને (૭) શુક્ર. બધા જીવોના શરીરમાં ધાતુઓના આ સાત-સાત તબક્કા હોતા નથી. કેટલાક જીવોને ફક્ત એક જ ધાતુ હોય છે. કીડી વગેરે કેટલાકને રસ અને રુધિર હોય છે, પરંતુ માંસ, મેદ, અસ્થિ વગેરે હોતાં નથી. મનુષ્યમાં સાતેસાત ધાતુ હોય છે. એકેન્દ્રિય જીવોમાં ફક્ત રસ ધાતુ જ હોય છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે અને તે પોતાનું પોષણ પૃથ્વી, પાણી, વાયુ, પ્રકાશ વગેરેમાંથી મેળવે છે. તેમાંથી માત્ર રસ દ્વારા જ તેના દેહની વૃદ્ધિ થાય છે. વનસ્પતિમાં રુધિર હોતું નથી. વેદના રૂધિરની સાથે ગાઢપણે સંકળાયેલી છે. તેમાં પણ રુધિર સાથે અન્ય ધાતુઓ હોય તો વેદનાની અનુભૂતિનું પ્રમાણ વધી જાય છે. એટલે આહાર માટે એકેન્દ્રિય જીવોની થતી હિંસાથી તે જીવને જેટલી વેદના પહોંચે છે તેના કરતાં બેઇન્દ્રિય વગેરે જીવોની હિંસા દ્વારા તે તે જીવોને ઘણી વધારે વેદના પહોંચે છે. રુધિરનું દૃશ્ય મનુષ્ય માટે અસહ્ય થઈ પડે છે. માંસાહારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9