Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 22
________________ નવયુગને નારીધર્મ શામાટે ભ્રષ્ટ કરે છે? આ રીતે તેમનાં જીવનભ્રષ્ટ કરવાને તમને શો હક છે? તમારે જે કઈ પ્રકારને હક હોય તે પુત્રને વેગ્ય કેળવણું આપવા પૂરતું જ છે. કેવા ગુણવાળી અગર કેવી કળાવાળી કન્યાને પસંદ કરવી એની વચ્ચે બનતાં સુધી મા-બાપે આડે આવવાની બીલકુલ જરૂર નથી. અલબત, સંતાન સર્વ પ્રકારે લાયક થયા પછી પિતાના માબાપ ઉપર જ એ વાત મૂકે તે તેમાં તેમણે પડવાની ફરજ પણ આવશ્યક છે. આ યુગની વસ્તુસ્થિતિ આમ હાઈ લાયક નહિ થયેલા તમારા પુત્રને કાચી વયે જ પરણાવી મારવાના લાહા (!) લેતા મહેરબાની કરીને હવે અટકી જાઓ. બહેને, તમારા પ્રાણસમ પ્રિયપુત્રેનાં જીવન સ્વર્ગીય સુખ ભેગવતાં બનાવવા માટે પરણવા માટેની તેમની પૂરી લાયકાત પહેલાં તપાસી જુઓ અને પછી જ પરણવાની સલાહ આપે. - આપ શારીરિક સ્વાસ્થ સંભાળે. બહેન, આપનાં શારીરિક સ્વાથ્ય માટે આપે પૂરતી કાળજી રાખવાની જરૂર છે. જે આપ શારીરિક પ્રવૃતિ કેમ સુંદર રહે એ વિષયનું જ્ઞાન ધરાવવા સાથે તે મુજબ આચરણ પણ કરતા હે તે આપ આરેગ્યનું સુખ જરૂર ભેગવી શકે. બહેને, આપનું સરાસરી મરણ પ્રમાણ પુરૂષોની અપેક્ષાએ ઘણું આવે છે, તેનું કારણ શું હશે એ આપે કદિ વિચાર્યું છે? આનું કારણ સ્પષ્ટ જ છે કે આપે આરોગ્યનાં જ્ઞાનની દરકાર કરી હતી નથી. પુરૂષનું મરણપ્રમાણ જે ઓછું હોય તે આપનું મરણપ્રમાણુ શા માટે વધારે હોવું જોઈએ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34