Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 267
________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૫ પ્રમાણ માટે– (૧) દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનનો પ્રારંભ હે આયુષ્યમાન મેં સાંભળ્યું છે કે એ ભગવાને આ પ્રકારે ફરમાવ્યું છે કે આ જૈન શસનમાં છ જીવનિકાય અધ્યયન કાશ્યપ ગોત્રી શ્રમણ ભગવાન મહાવીરે કહ્યુ છે, સમજાવ્યું છે, પ્રરુપિત કર્યુછે, કે મને એ ધર્મ પ્રજ્ઞપ્તિ અધ્યયનનું અધ્યયન કરવું શ્રેયસ્કર છે. આ રચનાના નાના નાના વાક્ય પર, શબ્દ પર તથા તેને સંબંધિત કરવાથી શું અર્થ થાય છે તેના પર વિચાર કરીએ અને ૧૪ પૂર્વી ગણધરની યોગ્યતાને સામે રાખીને કસોટી કરીએ. જોઈએ શું નિર્ણય આવે છે ? અહીં ભગવાન પાસેથી પ્રત્યક્ષ સાંભળવાના ભાવ બતાવ્યા છે. ભગવાને શું ફરમાવ્યું એ બતાવતા એ કહ્યું છે કે આ જૈન શાસનમાં..........મહાવીરે પ્રજ્ઞાપિત કર્યુ કે મને.. ...... અધ્યયન કરવું શ્રેયષ્કર છે, શું શ્રુત કેવલીની એવી રચના હોય છે ? શું એમાં અસંબદ્ધતા નથી લાગતી ? ****** (૨) દશાશ્રુત સ્કંધ દશા ૧૦નો મુખ્ય વિષય પ્રારંભ ત્થા અંત આ પ્રકારે છે— તે કાળે અને તે સમયમાં રાજગૃહ નામે નગર હતું શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરવાવાળા યાવત્ નોત્થણ પાઠ કથિત ગુણ કહેવા યાવત્ પધાર્યા. ભગવાને મનુષ્ય દેવ યુક્ત પરિષદને ઉપદેશ આપ્યો........ સાધુ સાધ્વીએ નિયાણા કર્યા.......... હૈ આર્યો ! આ પ્રકારે સંબોધનથી શ્રમણ ભગવાન મહાવીરે ઘણાજ નિર્પ્રન્થ નિન્થિઓ ને કહ્યું "હે આયુષ્યમાન શ્રમણો ! મેં જે આ ધર્મ કહ્યો ........... ..... ... નિયાણા વર્ણન. ત્યારે ઘણા બધા નિગ્રન્થ નિન્થિઓએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ ગહન અર્થ સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરને વંદનપૂર્વક યાવત્ પ્રાયશ્ચિત્ત કર્યું. એના પછી આ પાઠ છે કે એ કાળે અને એ સમયમાં ત્યાં ભગવાને આ આખું અધ્યયન ઘણાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ઘણાં દેવદેવીની પરિષદમાં અર્થ હેતુ કારણ સહિત તથા સૂત્ર અને અર્થ તથા તદુભય રૂપમાં વારંવાર કહ્યું, વારંવાર સમજાવ્યું. વિચાર કરો... અનેકવાર ભગવાનના પૂરા નામ યુક્ત ગુણ યુક્ત આ અધ્યયન ભગવાને ફરમાવ્યું હતું ? અંતમાં પુનઃ તે” જાતેળ તેળ સમળ આદિ રચના કેમ કરવામાં આવી? ભગવાને એ નગર તથા બગીચામાં અને સંપૂર્ણ પરિષદમાં પોતાના નામોથી ભરેલું એ અધ્યયન વારંવાર કેમ અને કેટલીવાર ફરમાવ્યું ? અથવા ત્યાં પરિષદમાં આ ઘટના જ ઘટી હતી ? વગેરે ઉપલબ્ધ રચના ક્રમની વિચિત્રતા પ્રત્યક્ષ છે. આ રીતે અનેક સૂત્રોમાં અધ્યયનોમાં રચના ક્રમ વિચિત્ર છે જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276