Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
છે. આ વિવરણના જ્ઞાન દ્વારા શ્રદ્ધાનું મૂલ મજબૂત બને છે. વિશેષણોની સફળતાનું પરિજ્ઞાન થવાથી આ અરિહંત ભગવંતના પ્રત્યે વિશેષથી નિરુપમ આદરભાવ અવશ્ય વિકસે છે. માટે આ ગ્રંથમાં ઈતર
દર્શનાભિપ્રેત દેવ, એ સુદેવ નથી એમ વિવેકનયનદાયક વિશેષણોની સફલતા દર્શક પ્રયાસ, યુક્તિયુક્ત છે માટે જ પરમોપયોગી ચૈત્યવંદન સૂત્રોનું વ્યાખ્યાન, શ્રી પરમોપકારી હરિભદ્રસૂરીશ્વરે કરેલ છે.
પ્રસ્તુત વિવરણની અતિ પ્રાચીનતા -
આ ગ્રન્થ. તમામ વૃત્તિઓ કરતાં પ્રથમ - મૌલિક છે કેમ કે, હાલ વીસ (૨૦) થી હૈ અધિક પ્રાપ્ત થતા ચૈત્યવંદન સૂત્રના વિવરણો, આ હારિભદ્રીય વિવરણ કરતાં પ્રાચીન નથી.
વળી શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના સમયે કોઈપણ ચૈત્યવંદન સૂત્રીય વિવરણ, પ્રસિદ્ધ ન હતું કારણ કે તેઓશ્રીએ કહ્યું છે કે “થાવત્તથાપિ વિજ્ઞાતમર્થજાત મયા ગુરો, તારદેવ નિગદતઃ (શ્લોક ૩) જો તે વખતે પ્રાચીન વિવરણ હોત તો જેમ દાપિ મયા તથાડન્ટે કૃતાડય વિવૃતિઃ
ઈતિ આવશ્યકની વ્યાખ્યાના અવસરે અન્યકતકૃતિની સ્મૃતિ કરી તેમ અહીં પણ પ્રાચીન વિવરણ વુિં વિદ્યમાન હોત તો અવશ્ય તેનો અંગુલીનિર્દેશ કરતેજ અને ગુરુથી અધિગત માત્ર અર્થના વિવરણ રૂપ પ્રસ્તુત કૃતિની પ્રતિજ્ઞા નહીં કરતે.
એવચ ચૈત્યવંદનનો વિધિ અને તેનું વિવરણ, શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ જ પ્રથમતઃ પ્રસિદ્ધ કરેલ છે. કેમકે, શ્રીમતુથી પ્રાચીન સૂત્ર નિયુક્તિ ભાષચૂર્ણિ વૃત્તિ વિ. બીજે સ્થળે ચે. એ વિધિ કે તેનું વિવરણ દેખાતું નથી અને ચૈત્યવંદન ભાષ્યકાર શ્રી દેવેન્દ્રસૂરિજી આદિ આચાર્યોએ છે પણ જાહેર કર્યું છે કે લલિતવિસ્તાર થી નવ (૯) અધિકારો ગ્રહણ કરેલ છે.
2 કુલમંડનસૂરિએ વિચારામૃતસારસંગ્રહમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “શ્રીમના પ્રામાણ્યથી છે જ .વ. વિધિનું પ્રમાણપણું છે અને શ્રીમાનું પૂર્વધર આસન કાલવતી' હતા.
પ્રસ્તુત વિવરણ રચનાનો હેતુ --
શ્રીમતુના સત્તા સમયે કેટલાક સ્વસંપ્રદાયવતી એવા હતા કે જેઓ ચે. 4 સૂત્રને અવિવૃત મંત્રની માફક તેના સ્મરણ માત્રથી અનિષ્ટના ધ્વંસપૂર્વક ઈષ્ટ પ્રાપ્તિના કારણભૂત તરીકે માનતા હતા. તેઓના માટે જ ભગવાને ‘તસંપાદનાર્થેમેવચ નો વ્યાખ્યારંભ પ્રયાસ એમ કહીને વિવરણ
બોધપૂર્વક કરતી ક્રિયાને “સમ્યકકિયા” તરીકે જણાવી અને વ્યાખ્યાનના પ્રાંત ભાગે ઉં “શુષ્કસુચવર્ણપ્રાયમવિશાતામધ્યયનમુ અથત મર્થના શ્રદ્ધાયુક્ત શાતા વગરનો પાઠ, સુકાયેલ શેરડીના
ચાવવા બરોબર છે. આમ પણ ચોખેચોખ્ખું દર્શાવ્યું. વળી ૨. વ. ક્રિયાને અને વિવરણરુપ ક્રિયાને
સફલતા સંપાદક સમ્યક ક્રિયા તરીકે પ્રાયોડધિકૃતસૂત્રોક્તનૈવ’ ઈત્યાદિથી, અને તેના અધિકારી લક્ષણો છે “એતદ્ધહુમાનિ ઈત્યાદિથી, તેના લક્ષણોના લિંગો તત્કથાપ્રીતિ ઈત્યાદિ શ્રીમાનું ભગવાને દર્શાવ્યા