________________
અધ્ય
[ ve
સ્થાનની પસંદગીમાં તેમની મુખ્ય શરત એ હતી કે જ્યાં તેઓ સલેખના શરૂ કરે ત્યાં દર્શનાર્થી એની ધમાલ ન રહે, કાઈ જાણે નહિ, અને એમની એવી પણ ઇચ્છા હતી કે મરણ પછી કોઈપણ જાતના આડંબર કરી ધનશક્તિ કે જનશક્તિ ન વેડવી. મને તે ત્યાં લગી કહેલુ કે મૃતશરીર બળવા માટે કરવા જોઈ તે લાકડાંના ખચ ન કરતાં તમે બધા એને જમીનમાં જ ફ્રાટને અગર જળપ્રવાહમાં વહેવડાવી દેજો. આ વિચારો પાછળ એમને હુંયે
ગરીબ પ્રત્યેની લાગણી વસેલી હતી. તેઓ ઇચ્છતા કે તેટલો ખર્ચ ગરીબને મદદ કરવામાં થાય. એમ લાગે છે કે મુદ્દે પ્રત્યેની તેમની અનન્ય ભક્તિએ તેમતે બુદ્ધના જીવનમાંથી જાતે દુ:ખ વેઠી ખીજાનું ભલું કરવાની કરુણાવૃત્તિના સંસ્કાર અર્પી હાય. ગમે તેમ હો છતાં તેમણે જીવન-વિલોપનનો નિશ્ચય તો કરી જ લીધા હતા અને તે પણ મારાન્તિક લેખના દ્વારા.
વ્યક્તિગત દૃષ્ટિએ જીવનશુદ્ધિ માટે પ્રયત્ન કરી સંતોષ મેળવ્યો હોય અને સામુહિક દૃષ્ટિએ સધ પ્રત્યેનાં કબ્યા ખાવી કૃતાર્થતા સિદ્ધ કરી હોય એવા સાધુ અમુક પરિસ્થિતિમાં સમાધિ–મરણની દૃષ્ટિએ આજીવન અનશન કરે એવું જે અતિ જૂનુ જૈન વિધાન છે અને જે આજે પણ્ જૈનપરંપરામાં કયારેક કયારેક જીવતું જોવામાં આવે છે તે વિધાન કૌશાં શ્રીજીને બહુ ગમી ગયું અને પોતાના નિશ્ચય માટે ઉપયોગી લાગ્યું, તેથી તેઓ જ્યારે વનાન્તના નિર્ણય વિષે વાત કરતા ત્યારે જૈનપરપરાના મરણાન્તિક ‘ સંથારા 'નું હૃદયથી સમર્થન કરતા. મેં અનેક વર્ષો લગી તેમને માઢેથી જૈન ઉગ્ર તપસ્યાના સખત વિરાધ સાંભળેલા અને હવે જ્યારે તેઓ મરણાન્તિક સંથારા જેવી જૈન ઉગ્ર તપસ્યાનું સમર્થન કરતા ત્યારે પ્રથમ કરતાં તેમના વલણમાં પડેલા ફેરફાર હું સ્પષ્ટ જોઈ શકતે, છતાં હું એ વિષે કાંઈ ખેલતા નહિ અને તે કહે તે મૂંગે મોઢે સાંભળ્યા કરતે. મને કૌશાંબીજીએ છેલ્લાં વર્ષોમાં અનેકવાર કહ્યું, કે મહાવીરસ્વામીની તપસ્યા પણ ધણીવાર ઉપયેાગી છે. ' તે અનશન કરવા તે ઋત! પણ સાથે જ કેટલાક સુધારા તેમાં દાખલ કરવા વિશે પણ કહેતા. સ્થાનકવાસી સાધ્વી ૨ભાકુમારીએ અનશનપૂર્વક દેહાંત્સગ કર્યોને દાખલેો તેમની સામે હતા. એવું અનશન કૌશાંબીજીને પસંદ હતું; પણ એવા અનશન–પ્રસંગે જે ધમાલ થાય છે, જે દર્શનાર્થીઓની ભીડ જામે છે, જે દૂર-દૂરના યાત્રીઓથી લદાયેલી ટ્રૅના આવ-જા કરે છે અને જે આગળપાછળ બેસુમાર પૈસા અવિવેકથી વેડફવામાં આવે છે તે કૌશાંખીને જરાય પસદ
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org